SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ માટણ : રાજસેવકવત સર્વજ્ઞભક્તો અભેદ (૩૫) માન્યતા પૂરતા અંશથી ધીમે તેને મન સરખા જ છે. એટલે કે નિવ્યાજ પણે, નિર્દભ પણે, નિષ્કપટપણે, સાચેસાચી રીતે તે સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં યાચિત પણે તત્પર થઈ, તેને જે કોઈ માન્ય કરે છે, તે સર્વજ્ઞ માન્યતારૂપ સામાન્ય અંશે કરીને બુદ્ધિમાન પ્રાજ્ઞજનેને મન તુલ્ય જ છે, સમાન જ છે - પછી તે ભલે ગમે તે મતને, સંપ્રદાયનો કે દર્શનનો અનુયાયી હોય. અત્રે સર્વજ્ઞને માનવું, એટલે નિષ્કપટ, નિર્દભ પણે તેની ભાખેલી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર રહેવું, એમ અર્થ સ્પષ્ટ કર્યો છે. કારણ કે મુખેથી માન્યપણે કહીએ, પણ આજ્ઞા આરાધન ન કરીએ, તો તે માન્યપણાની મશ્કરી વા વિડંબના કરવા બરાબર છે! એ તો “ચાકર તેરા, કહ્યા નહિં કરું!” એના જેવો ઘાટ થયો! માટે અહિંસા, સત્ય આદિના પાલન સંબંધી એની આજ્ઞાના પાલનમાં સદા ઉક્ત રહેવું, એજ એ સર્વજ્ઞ ભગવાનની આરાધનાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને તેવા પ્રકારે શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં કહ્યું છે સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે હુકમ હાજર બીજ મતિ કરતાં, સહેજે નાથ નિવાજે. સેવા સારો રે જિનની મન સાચે –શ્રી દેવચંદ્રજી. તાત્પર્ય કે--જે કોઈપણ સર્વજ્ઞ તત્વને સ્વીકારી, નિર્દભ પણે-નિષ્કપટપણે, સાચા ભાવથી તેની આજ્ઞાના આરાધનામાં તત્પર હોય છે, તે સર્વે તેટલી માન્યતા પૂરતા સમાન અંશથીઝ તુલ્ય જ છે, સમાન જ છે. ચાહે તે જેન હોય કે અજેન સર્વજ્ઞ ભકતને હોય, બોદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હાય, સાંખ્ય અભેદ હોય કે નૈયાયિક હોય, વેદાંતી હોય કે સિદ્ધાંતી હોય, ઈસલામી હોય કે ઈસાઈ હોય, ગમે તે મત સંપ્રદાયનો અનુસખ્ત હોય, પણ જે તે સર્વજ્ઞને (omniscient) માનતે હેય તે તે એકરૂપ-અભેદરૂપ જ છે. આમ સર્વને સામાન્ય એવી સર્વજ્ઞ માન્યતા જગના સમસ્ત સંપ્રદાયનું એક અનુપમ મિલનસ્થાન છે, માટે એક અભેદસ્વરૂપ સજ્ઞને માનનારા સેવક ભક્તજનમાં કોઈ પણ ભેદ ઘટતો નથી, એમ સિદ્ધ થયું. આ જ અર્થ નિદર્શનગર્ભ પણ કહે છે– + “ यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः॥" x “ सर्वक्षप्रतिपत्त्यंशमाश्रित्यामलया धिया। નિર= ગુચના માથા પર્વતપુ થોાિનામ્ ” હા, હા. ૨૩-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy