SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાષ્ટિ : આવા દુષ્ટ કુતર્કથી સયું! (૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિર્મૂળ છે. આ દષ્ટાંતના સામર્થ્યથી, આ દષ્ટાંત આગળ ધરીને કઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલંબન હાઈ મિથ્યા-ખોટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગોચર બીજા બધા જ્ઞાન નિરાલંબન હાઈ મિથ્યા-ખોટા છે. ઝાંઝવાના જલ નિરાલંબન છે, વાસ્તવિક છે નહિં, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાનો નિરાલંબન હાઈ મિસ્યા છે. આમ કુતર્ક કરી દષ્ટાંતના બળે કરીને સર્વ જ્ઞાનોનું નિરાલંબન પણું, નિરાધારપણું, નિમૅળપણું કઈ સાબિત કરવા જાય, તો તેને કેશુ બાધિત કરી શકે વારુ? કેઈ નહિં. કુતર્ક કઈ રીતે બાધિત કરવો શકય નથી, એનું આ ઉદાહરણ માત્ર રજૂ કર્યું માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માર્ગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતર્કને કયે વિવેકી પુરુષ આશ્રય કરે ? અને એમ તત્ત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે– सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સર્વત્ર; પ્રતીતિ બાધિત લોકમાં, એથી કાંઈ ન અત્ર. ૯૭ અર્થ –કારણ કે આ કુતર્કથકી સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમંજસ (અયથાર્થ) અને લોકમાં પ્રતીતિથી બાધિત એવું હોય છે. એટલા માટે આ કુતર્કથી કાંઈ નથી, એનું કાંઈ પ્રયેાજન નથી. વિવેચન અને આમ કુતર્ક કરવાથકી કોઈ પ્રકારે તત્વસિદ્ધિ થતી નથી, કારણ કે આ કુતર્કથી તે સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઈ સાધ્ય થઈ શકે છે. કોઈ એક અમુક દષ્ટાંતના બલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દષ્ટાંત દુષ્ટ સર્વત્ર લાગુ પાડવામાં આવે છે ! એક લાકડીએ બધાયને હાંકવામાં કુતર્કથી સર્યું આવે છે. આ અતિપ્રસંગરૂપ હોઈ અસમંજસ છે, અયથાર્થ છે, અગ્ય છે. વળી આ કુતર્ક તો લેકમાં પણ પ્રતીતિથી બાધિત વૃત્તિ –સર્વ-સર્વ, નિરવશેષ સાથે એમ પ્રક્રમ છે, સર્વત્ર ૪-સર્વત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં કાનોતિ-પ્રાપ્ત થાય છે, ઘરમા-જે આ કુતર્ક થકી, ગણમંડલ-અસમંજસ, (અયથાર્થ ), અતિપ્રસંગને લીધે કાતિવાધિd ઢોલકમાં પ્રતીતિથી બાધિત થતું એવું–તેવા પ્રકારના દષ્ટાંતમાત્ર સારવંતપણાથી, તને વિવા-તેથી આથો–આ કુતર્કથી કાંઈ નથી, (એનું કાંઈ કામ નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy