SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૦ ) : યોગદષ્ટિસંસ્થય મુમુક્ષને કુતર્ક નિવેશનું લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડે નાંખવા જેવું અયુક્ત હાસ્યાસ્પદ છે ! “ મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછડું યુક્તિરૂપી ગાયની પાછળ દેડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહનું મનરૂપો વાંદરું તે યુક્તિરૂપી ગાયને પુંછડાથી ખેંચે છે!”—યુક્તિની ખેંચતાણ કરે છે. આ તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તો માત્ર મોક્ષનો જ અભિલાષી હોય છે, આત્માથે શિવાય બીજી કોઈ ઈચછા કે મનરોગ તેને હેતો નથી. કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.” શ્રીમદ્ રાજચંદ્રજી અને આ કુતર્ક અભિનિવેશ તે મોક્ષનો પ્રતિપક્ષી ને આત્માર્થનો વિરોધી છેબાધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સાધને ઈચ્છે છે, ને કુતર્ક તો બેધને રોગરૂપ થઈ પડી તેનો હાસ અથવા વંસ કરે છે. મુમુક્ષુ શમને–આત્મશાંતિને કતર્ક સંતિમાને ઝંખે છે, ને કુતર્ક તો અમને અપાયરૂપ હોઈ હાનિ મુક્તિવિરોધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માર્ગનું પ્રથમ પગથીયું માની તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ને કુતર્ક તો શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તે “માના ઘરનો માળા ત” “આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ” એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે; ને કુતર્ક તો સ્વ છંદપ્રધાન હેઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવન ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્કને કયારેય પણ કોઈ પણ પ્રકારની કંઈ પણ મળતી પણ આવતી નથી, બનેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અંધકાર જે પ્રગટ ભેદ છે, એ બન્નેનો કોઈ કાળે મેળ ખાય એમ નથી. માટે સાચે મુમુક્ષુ હોય તે પિતાના ઈષ્ટ પ્રયજનમાં વિશ્નકર્તા એવા કુતને કેમ ગ્રહણ કરે વારુ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પર્શે, તો પછી તેમાં અભિનિવેશઆગ્રહરૂપ પકડ તો કેમ જ કરે ? ખરેખર! સાચો મોક્ષાભિલાષી હોય, તે તે કુતરૂપ અસગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતા હોઈ તે કુતર્ક-ગ્રહણને ગ્રહવા ઈછે જ નહિં, કુતર્કગ્રહને ભૂત પિશાચરૂપ બલાનો વળગાડ જાણતા હોઈ, તે બલાને વળગવા ઈચ્છે જ નહિં; કુતર્ક ગ્રહને શાહરૂપ-મગરરૂપ જાણતા હેઈ, તેનાથી ગ્રહાવા-તેના સકં. જામાં આવવા ઈ છે જ નહિં. તે તો તે કુતર્કબલાથી સદા દૂર જ ભાગે, કદી પણ તેમાં અભિનિવેશ કરે જ નહિં. અને એમ જ કરવું મુમુક્ષુને યુકત છે, કારણ કે ગમાર્ગના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના ગીજનોના હિત અર્થે મોહાંધકાર પ્રત્યે આ લાલબત્તીરૂપ વચન કહ્યું છે કે-“તેવા તેવા પ્રકારે વાદે... અને પ્રતિવાદો કરતાં તત્વને અંત પમાતે x “वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । તરવાજો નિય છરત સિસ્ટપીઢવતૌ I " શ્રી ગબિંદુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy