SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાષ્ટિ! સત્સંગનો અનન્ય મહિમા (૩૨૧) “પરિચય પાતકઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ.” “હુજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે.”—શ્રી આનન્દઘનજી અત્રે સત્સંગ-આગમ યોગથી એમ એકવચનરૂપ પ્રયોગ કરી એકભાવ કહ્યો છે, તે સહેતુક છે, કારણ કે માર્ગના દર્શનમાં સતુ પુરુષનું જ પ્રાધાન્ય-પ્રધાનપણું છે. માર્ગ, દણા પુરુષ સદગુરુ જ માર્ગ દેખાડી શકે, તે જ અજ્ઞાનાં જીવનું “નયન” એટલે કે સન્માર્ગે દોરવણ કરી શકે. અને તે પુરુષને સમાગમ જોગ બને તે તેના અનુસંધાનમાં જ સંસ્કૃતના શ્રવણને જેગ પણ બની આવે છે. અથવા તેમની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મશાસ્ત્ર વાંચવા-વિચારવાની–અવગાહવાની પ્રેરણા મળે છે. આમ અગમ એવું આગમજ્ઞાન પણ ગુરૂગમને આધીન છે, માટે બને કારણની એકતા કહી. ( જ્ઞાની પુરુષોએ આ સત્સંગને મહિમા ઠેર ઠેર ખૂબ ગાયે છે. સત્સંગ એ જીવને તરવાનું ઉત્તમ સાધન છે. ‘ક્ષણ પણે સજજનની સંગતિઝ થઈ તો તે ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન થઈ પડે છે,” એમ મહાજનો કહે છે. કારણ કે સત્સંગથી જીવના સ્વચ્છેદાદિ દોષ સહેજે દૂર થાય છે. ને આત્મગુણની વૃદ્ધિ થાય છે. આમ સસંગને આશ્રય જીવને પરમ આધારરૂપ, અવર્ણભરૂ૫, ઓથરૂપ થઈ પડે છે, ને તેના અવલંબને સંસારસાગર ખાબોચીઆ જે થઈ જઈ લીલાથી પાર ઉતરાય છે. જીવના પરમ બાંધવરૂપ આ સત્સંગની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, માટે તેમાં સર્વાત્માથી આત્માર્પણ કરવું યોગ્ય છે એમ પુરુષો ઉપદેશે છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે. અને પછી “સત્ ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચન લખ્યા છે, તે સર્વે મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે, એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષ દર્શનનું સર્વોત્તમ તત્તવ અને જ્ઞાનીના બોધનું બીજ સલેપે કહ્યું છે. “સર્વ પરમાર્થના સાધનમાં પરમસાધન તે સત્સંગ છે. પુરુષના ચરણ સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનું દુલ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ ક૯૫નાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ છ પ્રથમ સર્વ સાધનને ગોણ ગણી, નિવણનો મુખ્ય હેતુ એ * “ક્ષામ િવષનરંતરા, મવતિ માર્ણવતો 1 —શ્રી શંકરાચાર્ય. "पातयन्ति भवावर्ते ये त्वां ते नैव बांधवाः। ૪૧ “વંધુતાં તે વ્યનિત હિતમુદ્રા યોજના ”—શો જ્ઞાનાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy