SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) ગદસિમુચ્ચય દાણ ઉદયી ગલ માં, તુચ્છ કુસુખે સક્ત; ત્યજે સુચા-ધિક અહ, દાણ્ય તમને અત્ર! ૮૪ અર્થ –-બડિશામિષ એટલે માછલાના ગળાના માંસ જેવા તુચ્છ, તથા દારુણ ઉદય-વિપાકવાળા કુસુખમાં સક્ત થયેલા તેઓ સચેષ્ટા જે છે ! અહા ! દારુણ તમનેઅજ્ઞાન અંધકારને ધિક્કાર હો! વિવેચન તે ભવાભિનંદી છે મનુષ્ય જન્મનું સાર્થક તો કરતા નથી, પણ ઉલટું તેને વેડફી નાખે છે, મનુષ્ય અવતારરૂપ ધર્મબીજની ખેતી કરવી તે દૂર રહી, પણ તે બીજાને જ સડાવી નાંખે છે! કમાણી કરવી તે દૂર રહી, ઉલટી મૂડી ગુમાવી ગલની લાલચે નુકશાની જ કરે છે! નફાના બદલે બેટને વ્યાપાર કરે છે. કારણ બૂરા હાલ કે તેઓ માછલાના ગળાના માંસ જેવા તુચ્છ અને દારુણ-ભયંકર વિપાકવાળા દુષ્ટ ગજન્ય વિષયસુખમાં સક્ત થાય છે. માછલાને લલચાવવા માટે માછીમારે માછલાના ગળાનું માંસ–ગલ આરમાં ભરાવીને મૂકે છે. માછલું તે તછ માંસ ખાવાની લાલચે, તેની પાછળ દોડી, તે આરમાં સપડાઈ જાય છે, અને પછી તેના ભૂંડા હાલહવાલ થાય છે, પ્રાણાંત દારુણ દુઃખ તે અનુભવે છે. તેમ મેહરૂપ મચ્છીમાર જીવરૂપ માછલાને લલચાવવા માટે દુષ્ટ વિષયસુખરૂપ ગલ મૂકે છે, તે તુચ્છ અસત સુખની આશાએ તે તેની પાછળ દોડી તેમાં સપડાઈ જાય છે, આસક્તા થાય છે, અને પછી તેના બૂરા હાલહવાલ થાય છે, નરકાદિના દારુણ દુઃખ વિપાક તેને દવા પડે છે. આમ રસનેંદ્રિયની લોલુપતાથી જેમ માછલું સપડાઈને દુઃખી થાય છે તેમ પશેન્દ્રિયને વશ થવાથી મદમસ્ત હાથી પણ બંધન પામે છે, ચક્ષુઈન્દ્રિયને વશ થવાથી પતંગીએ દીપકમાં ઝંપલાવી બળી મરે છે, ધ્રાણેન્દ્રિયને વશ થવાથી ભમરે કમળમાં પુરાઈ જઈ પ્રાણુત દુઃખ પામે છે, શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાલમાં સપડાઈ જાય છે. આમ એકેક દ્રય વિષયના પરવશપણાથી પ્રાણ દાણ વિપાક પામે છે, તો પછી પાંચે ઇંદ્રિય જયાં મકળી હાય, એ ભવાભિનંદી જીવે તે કેટલું દુઃખ પામે એમાં પૂછવું જ શું ? " करिझषमधुपा रे शलभमृगादयो, विषयविनोदरसेन । हंत लभंते रे विविधा वेदना, बत परिणतिविरसेन ॥ વરિળીયા રે સુઝતિમિરાઠવા ”—શાંતસુધારસ માટે કહ્યું–ધિrદો રાજ તમદ-અહો! દારુણ તમસૂને વિકાર છે ! આ દારુણું અજ્ઞાન અંધકારને ધિકાર હોઈ આ કષ્ટરૂપ અજ્ઞાન છે, એમ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy