SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૪) યોગદષ્ટિસમુચ્ચય “ અંતજ્ઞાનથી સ્મરણ કરતાં એવા કોઈ કાળ જણાતો નથી વા સાંભરતે નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. વળી જેનું મુખ કઈ કાળે પણ નહિ જોઉં, જેને કેઈ કાળે હું ગ્રહણ નહીં જ કરૂં તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુષણે શા માટે જન્મે ? અર્થાત્ એવા શ્વેષથી એવારૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહે, એ સ્મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.” ( જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર. પત્રક ૧૧૫. વળી જયારે મૃત્યુ આવે છે ત્યારે પણ આ જીવને તેવી જ અસા તીવ્ર વેદના થાય છે. તેમજ જે દેહમાં આયુષ્ય પર્યત આખો ભવ સ્થિતિ કરી તે દેહને અને તે દેહને-આશ્રિત એવી અન્ય વળગણુઓને સંબંધ વગર નોટિસે તાબડમરણ દુઃખ તબ છોડતી વેળાએ, આ જીવ અત્યંત આંતરિક-માનસિક વ્યથા અનુભવે છે. પ્રત્યેક દેહ છોડતી વેળાએ તે તે દેહના મમત્વથી આવી અસહા આંતર વેદના ભેગવવી પડે છે. અને તે તે ભાવને પરિગ્રહ તે છોડવા ઈચ્છતે નથી, છતાં તેને પરાણે છોડવો પડે છે. તેથી તેનું અંત૨ કપાઈ જાય છે. પણ તે તેણે પિતાની માનેલી બધી સંપત્તિ ત્યાંની ત્યાં જ પડી રહે છે, કઈ સાથે આવતી નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહીં શકું એવા કેટલાક પદાર્થો (ન્નિયાદિક) તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫. આવા ઘર મૃત્યુ-વ્યાધ્રથી૪ સુંઘાયેલા પ્રાણીને દેવો પણ શરણરૂપ થતા નથી, તો * “રૂપાતરા પોળ મૃત્યુદળ નિ: તેવા જ ન જ્ઞાવતે શi fમુ માનવા: ” શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી તત્ત્વાર્થસાર. " जन्मतालगुमाजन्तुफलानि प्रच्युतान्यधः । અપ્રાણ પૃધુમ્મામતે યુઃ શિરમ્ ” –શ્રી આભાનુશાસન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy