________________
(૪) મન સ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ અથવા સ્થિર પણું એ યોગ એમ પણ યુગની વ્યાખ્યા છે. કારણ કે યુજ ધાતુને સમાધિ પામવી એવો અર્થ પણ થાય છે. એટલે ચિત્તસમાધિ-મન:સ્થિરતા તે ગ. આ પણ યથાર્થ છે. ચિત્તવૃત્તિઓ જ્યાં સુધી જ્યાં ત્યાં દેડ્યા કરે ત્યાં સુધી ચિત્ત સ્થિર થાય નહિં, અને સ્થિર થાય નહિં ત્યાં સુધી સમાધિ-આત્મલીનતા પામે નહિં. ચિત્ત નિર્મલ થાય તો સ્થિર થાય ને સ્થિર થાય તે સમાધિ-આત્મલય પામે આ ભેગમાં મનનો જય કરે, મનને સાધવું એ જ મુખ્ય વસ્તુ છે. આ મને ખરેખર ! “દુરારાધ” છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે. ગીતામાં કહ્યું છે કે “આ ચંચલ મન મથન કરનારું ને અત્યંત બળવાન છે. વાયુની જેમ તેને નિગ્રહ કરવો ઘણે કઠિન છે. ” આ મનમર્કટના તરકટ ભારી છે. આ “મનડું” છે તે નપુંસકલિંગી, પણ એ બધાય “મરદ”ને ઠેલે મારે છે–ઠેબે ચડાવે છે ! બીજી વાત તો “પુરુષ” સમર્થ છે, પણ આ મનડાને કઈ જેર” કરી શકતું નથી ! મનડું કિમહી ન બાઝે હે કુંથુજિન! મનડું કિમહી ન બાઝે, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે. કુંથુજિન. !
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એને કઈ ન જેલે છે. કુંથુ.”–શ્રી આનંદઘનજી.
આ મનમર્કટને વશ કરવા માટે પ્રથમ તો એને કયાંક બાંધી રાખવું જોઈએ અથવા એના જેગું કાંઈ કામ સોંપી દેવું જોઈએ, એટલે એ વાંદરું બિચારું ભલે ચઢઉતર કર્યા કરે! દા. ત. જેણે તે મનને જય કર્યો છે એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું, એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકે નહિં. અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડા ચુંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકી લટકીને હીંચકા ખાય! ભલે વિશાલમતિરૂપ મૂળભાગમાં નાયા કૂદ્યા કરે ! અથવા મન:સમાધિનો સુગમ ને શ્રેષ્ઠ વિધિ સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદસ્વામીજીએx પ્રદર્શિત કર્યા પ્રમાણે આ છે કે–આત્માને મનની સાથે જ, વાફ-કાયાથી વિજ, અને વાફકાયાએ જે વ્યવહાર મનથી છોડી દેવો. ઈત્યાદિ પ્રકારે વૈરાગ્ય-અભ્યાસના બલથી
વરું દિ મન: sor, પ્રમાથિ વઢવત્ રઢમા તસ્થાÉ નિગ્રહૂં મળે, વાયોજિવ કુટુમ્ ” *"युञ्जीत मनसात्मानं,वाक्कायाभ्यां वियोजयेत्। मनसा व्यवहारं तु त्यजेत्वाक्काययोजितम्॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org