SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : સ્વરૂપ પદને મહિમા-સમ્યગ્દષ્ટિની ચરણુધારા ( ૨૮૯) કરનારનું સ્થાન થવાને શકય હોવાથી, પદરૂપ છે. તેથી કરીને સર્વેય અસ્થાયી ભાવોને મૂકીને, સ્થાયી ભાવરૂપ, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, એવું આ જ્ઞાન એક જ સ્વાદ્ય-સ્વાદ લેવા ગ્ય છે”-(સંવેદ્ય છે). તાત્પર્ય કે સહજ સ્વભાવરૂપ જ્ઞાયક એવો એક આમભાવ જ-આત્મપદ જ સ્થાયી છે, સ્થિર છે, એટલે ત્યાં જ સ્થિતિ-સ્થિરતા થઈ શકે, માટે તે જ પરમાર્થથી ખરેખરૂં પદ છે. બાકી એ આમભાવ સિવાયના બીજા બધાય ભાવો પોતે જ અસ્થાયી છે, અસ્થિર છે, ડગમગતા છે, એટલે ત્યાં સ્થિતિ–સ્થિરતા થઈ શકવી સંભવતી નથી, માટે તે બધાય અપદ છે. અને આ આત્મપદરૂપ પારમાર્થિક પદ તો સ્વસંવેદનફાની સમ્યગુદષ્ટિને સાક્ષાત અનુભવગોચર હોય જ છે, એટલે તે સ્થિર પદમાં તેની સ્થિતિ હોવાથી, એના એ વેધસંવેધ પદને “પદ” કહ્યું તે સર્વથા યથાર્થ છે. આ શુદ્ધ સહજામસ્વરૂપ પદની પરમ સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની પુરુષોએ ઠેર ઠેર મુક્તકંઠે સ્તુતિ કરી, તે સ્વરૂપ પદનો ખૂબ મહિમા ગાવે છે. જેમકે – “જે સ્વરૂપ સમજ્યા વિના પાપે દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ઈછે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ વિમલજિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય...વિમલ.”– ગિરાજ આનંદઘનજી. “ શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયાજી.”—તત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી. આમ આ વસંવેદનરૂપ-આત્માનુભવરૂપ વેધસંવેદ્ય પદ સમ્યક સ્થિતિવાળું હોય છે અને ગ્રંથિભેદ, દેશવિરતિ આદિ લક્ષણેથી તે સૂચિત થાય છે. આ કર્મ ગ્રંથિ જે અત્યંત કલેશ ઉપજાવનારી અને પર્વત જેવી મહાબલવાળી હોઈ ભેરવી દુષ્કર છે, ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy