SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮) ગદષ્ટિસમુચ્ચય છે, આત્માનુભવગોચર થાય છે, તે પદ “વેદ્યસંવેદ્ય પદ” નામથી શાસ્ત્રમાં ઓળખાય છે. સમ્યક્ પ્રકારે અવસ્થાનવાળું, સ્થિતિવાળું, સ્થિરતાવાળું હોવાથી તેને વેધસંવેદ્ય તેજ પદ' નામ બરાબર ઘટે છે, કારણ કે “દ” એટલે પદ-પગ મૂકવાનું યથાર્થ “પદ’ સ્થાન અને તે સ્થિરતાવાળું હોય, ડગમગતું ન હોય, તે જ ત્યાં પદ (પગ) મૂકી શકાય નહિં તે ત્યાં “ચરણ ધરણું નહિં ઠાય, ”ત્યાં પગ મૂકી શકાય જ નહિં. પણ અત્રે તો ભાવથી તેવી સ્થિરતા હોય જ છે, એટલે આ પદને “વેઘસંવેધ પદ” નામ આપ્યું, તે તે શબ્દના યથાર્થ અર્થમાં બરાબર ઘટે છે, પરમાર્થથી તેમ જ છે. કારણ કે આ વેધસંવેદ્ય પદ સંવેદનરૂપ-આત્માનુભવપ્રધાન છે. અને આ આમ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે. કારણ કે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે, તેજ ત્રિકાલાબાધિતપણે સ્થિર આત્મસ્વભાવ હોય છે, એટલે તે સહજાન્મસ્વરૂપ પદનું-શુદ્ધ આત્મસ્વભાવનું જે પદ” નિશ્ચયરૂપ ભાન થવું, અનુભવન થવું, સંવેદન થવું, તે પણ ત્રણે કાળમાં ફરે નહિં એવું સ્થિર નિશ્ચલ હાઈ પદ” નામને યોગ્ય છે. તે સિવાયના–આત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા બીજા બધાય કહેવાતા પદ તે પદ નથી, પણ અપદ છે, કારણ કે તે સ્વભાવરૂપ ન હોવાથી, અસ્થિર છે, અનિયત છે. એટલે આ અસ્થિરરૂપ દ્રવ્ય-ભાવ અપને મૂકી દઈ, નિશ્ચય સમ્યગદષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર, એ સ્વભાવથી પ્રાપ્ત થતા ભાવ (પદ) ગ્રહણ કરે છે. " आदम्हि दव्वभावे अपदे मोत्तण गिण्ह तह णियदं । fધામેમિમં માથં કવરુદમંત સરળ છે.” -– શ્રી સમયસાર, ગા. ૨૩ કારણ કે આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવોની મળે જે અતત્ સ્વભાવથી ઉપલબ્ધ થતા–અનુભવાતા, અનિયતપણાની અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, એવા વ્યભિચારી ભાવે છે,–તે સર્વેય પોતે અસ્થાયીપણાને લીધે સ્થિતિ કરનારનું સ્થાન થવાને અશક્ય હોવાથી અપદરૂપ છે. અને જે તત્ સ્વભાવથી–આત્મસ્વભાવથી ઉપલબ્ધ અપદ અનેક, થત-અનુભવાતે, નિયતપણાની અવસ્થાવાળે, એક, નિત્ય, એ પદ એક જ અવ્યભિચારી ભાવ છે,–તે એક જ, પોતે સ્થાયીપણાને લીધે સ્થિતિ * " इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्य. માના, નિવારવાવરથr:, અને, ક્ષણવાડ, થીમવાળો માવા તે સર્વે હાથથરિत्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः। यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावस्था, एकः, नित्यः, अव्यभिचारीभावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थान भवितुं शक्यस्वात् पदभूतः। ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं, vમાથેરાતચારવમાનં શામેલામેવયં સ્થા” અમૃતચંદ્રાચાર્યજીની સમયસારટીકા. ગા. ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy