SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૨) યોગદષ્ટિસમુચ્ચય એટલે તેને આ સ્થલ બંધ તત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, ઉપરછલે ને પડછાયા જે (Shadow-like ) હોય છે. આમ આ સ્થલ બેધ તત્વને પરમાર્થને આભાસ આપે એ હેય છે, પણ તત્વથી ચિત્તમાં અંતઃતત્વાભાસરૂપ પ્રવેશરૂપ–સજજડ છાપ લાગી જાય એવો હોતો નથી. એથી કરીને સ્થલ બોધ ઉપર ઉપરથી તે આ જીવને આત્મા–કમ અપાય આદિને બંધ હોય એવું દેખાય છે, એ આભાસ ઉપજે છે. કારણ કે શ્રત શ્રવણદિદ્વારા તેવા સ્થૂલ પ્રકારે જાણે તેવી વાત પણ કરે છે; પરંતુ તેને તે બોધ તત્વથી નહિં હોઈ, બ્રાંતિરૂપ હોય છે, ખરેખરી અંત:પ્રતીતિરૂપ હોતો નથી. કારણ કે આ દષ્ટિમાં વતે જીવ હજુ અજાણતાં પણ તેવા પ્રકારના નાનાવિધ પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી કરીને એમ જણાય છે કે હજુ તેને નરકાદિ અપાયનું તત્વથી દર્શન થયું નથી, જે થયું હોત તો તે ભીષણ નરકાદિ ગતિના અનંત દુઃખથી ભય પામીને તે તે પાપથી ડરતા રહીપાપભીરુ રહી, તથા પ્રકારની પાપપ્રવૃત્તિમાં અજાણયે પણ પ્રવર્તત નહિં, તેથી દૂરથીજ ભાગત. अतोऽन्यदुत्तरास्वस्मात्पापे कर्मागसोऽपि हि । तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ॥ ७० ॥ પદ અવેદ્ય સંવેદ્યથી અન્ય વેધસંઘ; તે તો છેલ્લી ચાર તે, દષ્ટિમાંજ સંવેદ્ય. આથી કર્મ અપરાધથી, પાપકર્મમાં કેય; તત લોહપદ ન્યાસ સમ, વૃત્તિ કવચિત જ હોય. ૭૦ અર્થ –આ અવેધસંવેદ્ય પદથી અન્ય એવું જે વેધસંવેદ્ય પદ , તે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેદ્યસંવેદ્ય પદને લીધે, કર્મના અપરાધથી પણ પાપમાં જે કવચિત્ પ્રવૃત્તિ હોય, તે તે પણ તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે. વિવેચન એ પદ ગ્રંથિ વિભેદથીજી, છેલી પા૫ પ્રવૃત્તિ તપ્ત લોહપદ ધૃતિ સમજી, અંતસમય નિવૃત્તિ. મનમોહન – સઝા. ૪-૭ Íત્તા-તત્ સત્તાયુ-આનાથી એટલે પ્રસ્તુત અઘસંવેદ્ય પદથી અન્ય તે વેદ્ય, સંવેદ્ય પદ, ઉત્તર એટલે સ્થિર આદિ પાછલી ચાર દષ્ટિઓમાં હોય છે. જwાત્-આના થકી, આ વેવસંવેદ્ય પદ થકી, પાવે પાપકર્મમાં, હિંસા આદિમાં, રામનો દિ-કર્મના અપરાધથી પણ, (કર્મના દોષે કરીને પણ), શું ? તો કે-તતોદત્તાતુલ્યવૃત્તિ –તસલોહપદન્યાસ તુલ્ય વૃત્તિ, એટલે તપેલા લેઢા પર પગ મૂકવા જેવી વૃત્તિ-અપાયમાં-અપાય થાય ત્યારે સંસાર-સંગપ્રધાન એવી, ત્રિશદિ-કવચિત હેય તે હેય, પણ પ્રાયે તે હેતી જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy