SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કઝાદષ્ટિ : યોગનું અનુસ્થાન, તત્વશ્રવણ (૨૩૭) - “બહિતરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ - પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરપણ દાવ.”-શ્રી આનંદઘનજી. “શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરીએ પરભાવ.” અંતર અંતર આતમતા લહી હોજી, ૫ર પરિણતિ નિરહ.”-શ્રી દેવચંદ્રજી યોગનું ઉત્થાન-ઊઠી જવું તે અન્ન થતું નથી, કારણ કે તેવા પ્રકારની પ્રશાંતવાહિતા હોય છે, એટલે કે એવા પ્રકારને પ્રશાંત રસનો પ્રવાહ પ્રવહે છે કે વેગમાંથી ચિત્ત ઊઠતું નથી. જેમ શાંત સરિતાને પ્રવાહ અખંડ શાંતપણે વહ્યા કરે, અનુસ્થાન તેમાં તરંગ ઊઠે નહિં, તેમ અત્રે ગસરિતાના શાંત રસને પ્રવાહ અખંડપણે વહ્યા કરે છે, તેમાં ઉત્થાનરૂપ તરંગ ઊઠતું નથી. કારણ કે આગલી દ્રષ્ટિમાં ક્ષે૫ નામને દોષ ટળે, એટલે કેઈ પણ પ્રકારે ચિત્તમાં વિક્ષેપ ઉપ. જતો નથી, તેથી ચિત્તમાં શાંતરસ પ્રવહે છે, અને મને પોતાના સ્થાનમાંથી ઊઠવાનું બનતું નથી, આરંભેલી ગક્રિયામાં જ ચિત્ત ચોટયું રહે છે. આમ અનુત્થાન ઘટે છે. પણ આવી આ શાંતવાહિતા–કરેલપણું ન હોય, તે યુગમાં ઉત્થાન થાય છે, એટલે કે પ્રારબ્ધ ગક્રિયામાંથી મન ઊઠી જાય છે, ઉચક થાય છે, ઉમન થાય છે, ચિત્ત ચુંટતું નથી–ઠરતું નથી. છતાં તેવી ઉન્માન સ્થિતિમાં ત્યાગવા ગ્ય એવી તે યોગક્રિયા ઝંડાતી પણ નથી. જેમકે-કેઈએ દીક્ષા લીધી હોય, અને તે પાળવાને સર્વથા અસમર્થ હોઈ તેમાંથી તેનું મન ઊઠી ગયું હોય, તેવાને તે દીક્ષા છોડી શ્રાવકનું લિંગ ધરવું વધારે યોગ્ય છે, તથાપિ તે લેકનિંદા આદિ ભયથી તે મુનિલિંગ છાંડતો નથી. આ ઉત્થાન દોષનું ઉદાહરણ છે. આવો ઉત્થાનદેષ અહીં ટળે છે. શાંતવાહિતા વિણ હવે રે, જે યોગે ઉત્થાન રે, ત્યાગ યોગ છે તેહથી રે, અણછડાતું ઇયાન રે.....પ્રભુ”—સાત્રગા૦ સ્ત૨તા.-૧૦ આગલી દષ્ટિમાં શુશ્રુષા–સાંભળવાની ઈચ્છાને ગુણ પ્રગટ્યો છે, એટલે તેના પછી સ્વાભાવિક ક્રમે અત્રે તcવનું શ્રવણ બને છે. આગળમાં કહ્યું હતું તેમ શુશ્રષા એટલે સાંભળવાની ઉત્કંઠા-અંતરંગ જિજ્ઞાસા વિનાનું શ્રવણ વૃથા છે, એ ખાસ તત્વશ્રવણ લક્ષમાં રાખવા ગ્ય છે. કદાપિ શ્રવણ વિનાની શુશ્રષા કલ્યાણકારી થાય, પણ શુશ્રષા વિનાનું શ્રવણ કલ્યાણકારી થતું નથી. માટે શુષાના અનુવેધવાળું—અનુસંધાનવાળું શ્રવણ જ ઉપકારી થાય છે. અને આ શ્રવણ એટલે કણેન્દ્રિય પર શબ્દોનું અથડાવું ને સાંભળવું એમ નથી, પરંતુ અંતરાત્માથી અંત:કણેન્દ્રિયદ્વારા શબ્દનું અર્થગ્રહણ–ભાવગ્રહણ કરવું, તેનું નામ શ્રવણ છે. એમ તે આ જીવે કર્ણપટ * "जइ न तरसि धारेउं मूलगुणभरं उत्तरगुणभरं च । મોજૂળ તોત્તિ મૂર્ષિ પુરાવારં વાતtri ”– શ્રી ઉપદેશમાલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy