SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૮) ગદષ્ટિસસ્થય પર અથડાવારૂપ શબ્દ શ્રવણ તો એટલું બધું કર્યા કર્યું છે કે તેના કાનના પડદા પણ તૂટી ગયા છે! તો પણ તેને બ્રહ્મજ્ઞાન થયું નથી! કારણ કે ખરું તત્ત્વશ્રવણ થયું જ નથી, અર્થગ્રહણ-ભાવગ્રહણરૂપ અંતરાત્માથી શ્રવણ થયું જ નથી. શ્રી અખાભો માર્મિક વચન કહ્યું છે કે- “કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” ભાવરેચક આદિ ગુણ કહે છે – प्राणेभ्योऽपि गुरुर्धर्मः सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थ न धर्म प्राणसंकटे ॥५८॥ પ્રાણથીય મટે ગણે, નિસંશય અહિં ધર્મ ધર્મ અર્થ પ્રાણ ત્યજે, પ્રાણસંકટ ન ધર્મ, ૫૮. અર્થ-આ હષ્ટિ હતાં, પ્રાણે કરતાં પણ ધર્મને નિસંશય ગુરુ-મટે માને, ધર્મને અર્થે પ્રાણ છોડે, પણ પ્રાણસંકટ આવી પડ્યે ધર્મ ન છોડે. વિવેચન ધર્મ અર્થ અહીં પ્રાણને જી, છેડે–પણ નહિં ધર્મ, પ્રાણુ અર્થ સંકટ પડે છે, જુઓ! એ દષ્ટિને મર્મ.મન”—૨ દ૦ સઝાય ૪-૩ આ દ્રષ્ટિમાં વર્તનાર યેગીને મન નિ:સંશયપણે પ્રાણ કરતાં પણ ધર્મ ઘણું વધારે માટે લાગે છે, ધર્મનું માહામ્ય પ્રાણ કરતાં પણ અધિક ભાસે છે. આખા જગતમાં હાલામાં વહાલી વસ્તુ પ્રાણુ ગણાય છે, તે પ્રાણની જાળવણી અર્થે પ્રાણુથીય સમસ્ત જગત પ્રવૃત્તિ કરી રહ્યું છે, ને તેની રક્ષા માટે ગમે તે કરવા ધર્મ પ્રિય તે તૈયાર રહે છે. પણ આ જોગીજનને તો આવા પ્રિયતમ પ્રાણ કરતાં પણ ધમ વધારે પ્રિય ભાયમાન થાય છે. એટલે જ તે ધર્મની ખાતર પ્રાણ પણ છોડી દેવા પડે-ન્યોછાવર કરવા પડે, તો તે આંચકે ખાતો નથી, અને પ્રાણસંકટ આવી પડે, પ્રાણ જવાને પ્રસંગ આવી પડે, તો પણ તે પ્રાણ બચાવવાની ખાતર ધર્મને છોડતો નથી. પ્રાણની કે ધર્મની રક્ષા કરવાની હોય, તે તેની પ્રથમ પસંદગી ધર્મરક્ષા પર ઉતરે છે, પ્રાણના ભેગે પણ તે ધર્મનું પરિપાલન કરે છે. જેમકે – “રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાન જાય અરુ બચન ન જાઈ. -શ્રી તુલસીદાસજીકૃત રામાયણ. કૃત્તિ માથ્થsfu–પ્રાણથી પણ, ઈદ્રિય આદિ પ્રમાણે કરતાં પણ ગુહ ધર્મ ગુરુ, મહાર, વધારે મોટો હોય, સામાકુ-આ અંધકૃત દૃષ્ટિ-દીકા હેતે સતે, કસાયમૂ-અસંશયપણે, આ ક્યાંથી? તે માટે કહ્યું- વાત્યાતિ ધમર્થ-ધર્મ અર્થે પ્રાણ ત્યજે, તવઉત્સર્ગ પ્રવૃતિવડે કરીને, (પણ) – ધર્મ પ્રારંવ-પ્રાણસંકટે ધર્મ ન ત્યજે-તત્વઉત્સગ પ્રવૃત્તિવડે કરીને જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy