SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કે એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સાંભળતો હોય, ઉંઘમાં ને ઉંઘમાં તે હોંકારો પણ દેતે જાય, પણ તેનું લક્ષ તેમાં હેય નહિં, શું સાંભળ્યું તે તેના ખ્યાલમાં રહે નહિં! અને સવારે ઊઠીને બાપુ પૂછે કે અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી? તેમ પ્રસ્તુત શુશ્રષા વિનાનું શ્રવણ કરતો હોય તે જાણે ઉંઘમાં હોય એમ સાંભળે છે! તે મોટેથી ઘાંટે પાડી “જી! મહારાજ !” એમ હોંકારો પણ દીએ છે. પણ શું સાંભળ્યું તેનું તેને ભાન હેતું નથી ! તે ઘેર આવીને પૂછે છે કે આજ મહારાજ વખાણુમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રષા વિનાનું શ્રવણ ફેગટ-નકામું છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય છે ! ખરું શ્રવણ તો ત્યારે થાય કે જ્યારે મન રીઝ-પ્રસન્નતા પામે, તન ઉલ્લસે-શરીરમાં રોમાંચ-રૂંવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જ ગુણકથા સાંભળવામાં આવે, તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે! ભેંસ આગળ ભાગવત છે ! અંગ્રેજી કહેવત પ્રમાણે-કકર પાસે Aichal RI di 2491 04210429! 'Casting pearls before swine.' મન રીઝે તન ઉદ્ભસેજી, રીઝે બુઝે એક તાન; એ ઈછા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે... જિનજી ! ધન ધન તજ ઉપદેશ.” –ચોગ સઝાય ૩-૪ અહીં જ વ્યતિરેક કહે છે – श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥५४॥ શ્રવણ અભાવે ય આ સતે, શુભભાવે આ સ્થાન; ફલ કર્મક્ષય નામનું, ઉત્તમ બોધ નિદાન, ૫૪ અર્થ:-શ્રવણના અભાવે પણ આ શુશ્રષા–સાંભળવાની ઈચ્છા હતાં, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનું ફળ હોય છે કે જે પરમ બેધનું નિબંધન–કારણ થાય છે. વિવેચન ઉપરમાં જે શુશ્રષાની પ્રશંસા કરી, તે વ્યતિરેકથી એટલે કે નકારાત્મક ઉક્તિથી વિશેષ દઢ કરે છે. ધારો કે તેવી શુશ્રષા-નવ સાંભળવાની તીવ્ર ઈચ્છા છે, પણ શ્રવણને કૃત્તિ-વૃતામવેદ –શ્રવણના અભાવે પણ, માડા -આ શુશ્રષાનો ભાવ–સદૂભાવ હતાં, (આ શુશ્રુષા હોય તે), શું? તે કે-ગુમાવપ્રવૃત્તિત–શુભ ભાવની પ્રવૃત્તિને લીધે,-તે શુશ્રુષા ભાવના જ શુભપણુથકી, ૧૮ વર્મક્ષયર્થ દયા-કર્મક્ષય નામનું ફલ હેય-વચનના પ્રામાણ્યથી (આગમવાણીના પ્રમાણપણથી). અને આ-Tોધનાધનમ્-પરમ બેધનું નિબંધન, પ્રધાન બોધનું કારણ હોય છે -વચનપ્રામાણ્યથી જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy