SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ બાદ: ઝાંઝવાનાં જલ-અતૂરાપૂર્વક સર્વ મનાદિ કૃત્ય (૨૧૭) ઉછળીને તે મૃગજળ જેવા વિષયગ્રામમાં મોટું નાખે છે ! પણ તે ઝાંઝવાના પાણીથી તેની તરસ છીપતી નથી, છતાં તે તેની પાછળ દોડ્યા જ કરે છે. જેવી રીતે કોઢિયા માણસને પોતાના ગળેલા હાથવડે અન્ન ખાવામાં સંકોચ થતો નથી, તેવી રીતે વિષયને જેનો કંટાળો આવવા છતાં વિષનો જેને કંટાળો આવતે નથી અને કર્મફળ વિષે નિરિચછ થતો નથી. ગધેડે ગધેડીની પાછળ લાગતાં તે ગધેડી લાતો ઉછાળીને તેનું નાક ફોડી નાંખે છે, તોય તે તો તેની પાછળ નકટ થઈને ચાલ્યા જ જાય છે ! તે પ્રમાણે જે વિષય માટે બળતા અગ્નિની જવાળામાં કૂદતાં પણ આગળ પાછળ જેતે નથી અને પિતાના વ્યસનને દૂષણ નહિં પણ ભૂષણ માને છે ! જેમ મૃગજળની લાલસાથી દેડતાં દોડતાં મૃગની છાતી તટી જાય, તો પણ તેની ઉત્કંઠા ઓછી ન થતાં રહામી વધતી જ જાય છે ! પરંતુ એ મૃગજળને તે મિથ્યા માનતા નથી!” –શ્રી જ્ઞાનેશ્વરી ગીતા આમ આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત વ્યાકુલ થઈ રહ્યો હતો. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતા હતા, તેમ તેમ તે તૃણુ બળવત્તર બનતી જતી હતી. અગ્નિમાં ઇંધન નાંખતાં તે જેમ પ્રજવલતો જાય, તેમ વિષયરૂપ આહ વિષયથી તૃષ્ણાતિથી આ તૃષ્ણ અગ્નિ ઉલટો પ્રજવલિત થઈ જીવને પરિતાપ પમાડ્યા વૃદ્ધિ કરતો હતો. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિં, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃણસમુદ્રનો ખાડો પૂરાતે હતો. સાગર જેટલા દેવકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભગવ્યા, છતાં જે તૃષ્ણા સમાઈ નહિં, તે ગાગર જેટલા મનુષ્યના તુછ ભેગોથી શી રીતે શમાવાની હતી? પણ ગઈ તે ગઈ! હવે તો આ મુમુક્ષુ જીવ જાગ્યો છે, ને તેને વેરાગ્યનો દઢ રંગ લાગ્યો છે. એટલે તે તેવા અસતુ તૃણારૂપ મૃગજળ પાછળ દોડતો નથી, ને નકામે દુઃખી થતો નથી. તેનો તૃષ્ણાથી તપ્ત થતો હતો, તે હવે સ્વ-રસ બની સ્વાત્મામાં સંતોષથી તૃપ્ત થાય છે, આત્મા પૂર્વે જે પર-રસી થઈ, પર સદબુદ્ધિના-સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તે હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષયરૂપ મૃગજળ પાછળ દડે જ કેમ? તે એકલું અન્ન ફરી ખાવા ઈચ્છે જ નહિં; જીવવા માટે વિષપાન કરે જ નહિં. અને આમ અસતતૃષ્ણનો અભાવ થતાં આ મુમુક્ષુ જોગીજનને આત્મસંતોષને અનુભવ થાય છે. એટલે પછી આ મુમુક્ષુ પુરુષ ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે વાતાવરણમાં, ગમે તે સંગમાં હાય, તે પણ તેને સર્વત્ર સુખઆસનની સ્થિરતા વ છે. કારણ કે ગીપુરુષ તે તે પરિસ્થિતિને અનુકૂળ થઈ, પ્રાપ્ત સંગેમાં સંતુષ્ટ બની, સુખે જ રહે છે, આરામથી–લહેરથી–સુખચેનથી મેજ માં જ રહે છે, સદા મસ્તરાજ બનીને જ રહે છે. તેના મનની બધી દેડાદોડ અત્ર બંધ થઈ જાય છે, અને २८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy