SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૬) ગદરિસરુચિય नास्यां सत्यामसत्तृष्णा प्रकृत्यैव प्रवर्तते । तदभावाच सर्वत्र स्थितमेव सुखासनम् ॥ ५० ॥ પ્રકૃતિથી જ તૃષ્ણ અસત, પ્રવર્તતી નહિં અત્ર; તાસ અભાવે સ્થિત વળી, સુખાસન જ સવત્ર. ૫૦ અર્થ –આ દષ્ટિ હતાં, અસત તૃષ્ણા પ્રકૃતિથી જ પ્રવર્તતી નથી અને તેના અભાવને લીધે સર્વત્ર-સર્વસ્થળે સુખાસન રહે જ છે. વિવેચન પૂર્વે જે સુખાસન કર્યું, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનું અહીં વિવરણ કર્યું છે. જ્યારે આ દષ્ટિ વર્તતી હોય છે, ત્યારે જ્યાં સ્થિતિ કરી હોય ત્યાંથી બીજે સ્થળે ચિત્ત દેડતું નથી. એટલે સ્વભાવથી જ અસત્ તૃષ્ણ પ્રવર્તતી નથી, અને અસત તૃષ્ણ તેના અભાવથી સર્વત્ર જ સુખાસન હોય છે. આમ આ દષ્ટિમાં વર્તતા અભાવ મુમુક્ષુ જોગીજનની અસત્ તૃષ્ણા દૂર થાય છે. મૃગજળ-ઝાંઝવાના પાણી જેવી પરવસ્તુની પ્રાપ્તિ માટે ઝાંવાં નાંખવા જેવી જૂઠી તૃષ્ણા તેને હવે ઉપજતી નથી. અત્યાર સુધી તો વિષયરૂપ મૃગતૃષ્ણની પાછળ ખુવાર થવામાં તેણે બાકી રાખી હતી, તેની પાછળ તેણે દેડાય એટલું દેડ્યા જ કર્યું હતું, “ડત દેડત દેડિયે, જેતી મનની રે દોડ, પણ હવે તે કાંઈક થાક છે, વિરામ પામે છે. કારણ કે આ સકલ જીવલેક સંસારચક્રને ચાકડે ચડેલ છે. તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવના પરાવર્તાથી નિરંતર ભમી રહ્યો છે. વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય ધરાવતા મહામોહરૂપ ગ્રહથી બળદીઆની પેઠે તે હંકારાઈ રહ્યો છે. એમ ભમતાં ભમતાં તેને તૃષ્ણાની તીવ્ર પીડા ઉપજે છે. એટલે તે તરસ છીપાવવા માટે બળદની પેઠે ઉછળી વૃત્તિ – નથી, અહ્યાં, આ અધિકૃત–પ્રસ્તુત દષ્ટિ, સત્ય-તે સતે, -અસત તૃષ્ણા,સ્થિતિ કારણથી અતિરિક્ત ગોચર-વિષય સંબંધી, ઇશૈવ-પ્રકૃતિથી જ, સ્વભાવથી જ, પ્રવર્તત-પ્રવર્તતી –વિશિષ્ટ શુદ્ધિના યોગને લીધે તમાવાચ-અને તેના અસત્ તૃષ્ણના અભાવથકી, સર્વત્ર-વ્યાપ્તિથી સર્વથાને, શિવમેવ સુણાસનમ-સુખાસન સ્થિત જ હોય છે,–તેવા પ્રકારના પરિભ્રમણના અભાવને લીધે. • " इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रांतमनंतद्रव्यक्षेत्रकालभवभावपरावतः समुपक्रांतभ्रांतरेकछत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाहामानस्य प्रसभोचूंभिततृष्णातंकत्वेन व्यक्तांतराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुंधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुतपूर्वानंतशः परिचितपूर्वानंतशोऽनुभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यंतविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा ॥" –આચાર્યચૂડામણિ શ્રી અમૃતચંદ્રસૂરિજીત સમયસાર ટકા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy