SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૦) યોગ દિસમુચ્ચય દઢતાથી અંતરાયના વિજય યાય છે,× દ્વન્દ્વોના અભિધાત થતા નથી, અને હૃષ્ટ દેષના પ્રણિધાનપૂર્વક પરિત્યાગ થાય છે. સુખાસન આ ‘સુખાસન' શબ્દ સમજવા જેવા છે. ‘સ્થિરણુલમાલનમ્ ’ (પા૦ યા૦ ૨-૪૬). સુખાસન એટલે જ્યાં સુખેથી-આરામથી-લહેરથી મેસી શકાય એવું સ્થિર હાય તે આસન. ઉદ્વેગ ન પમાડે એવું સ્થિર આસન તે સુખાસન. જે આસન ડગમગતું હાય, અસ્થિર હાય, જ્યાં સુખેથી-આરામથી બેસી શકાય એવું ન હેાય, તે સુખાસન ન કહેવાય જેમ ડગમગતા પાયાવાળી કે ભાંગી તૂટી કે ખૂંચે એવી ખુરશી સુખાસન ન કહેવાય, પણ સ્થિર પાયાવાળી, અખંડ સુંદર ગાદીવાળી હાય તે સુખાસન કહેવાય; તેમ પરમા માં, અધ્યાત્મ પરિભાષામાં પણુ, પર વસ્તુનું જે આસન તે અસ્થિર, ડગમગતું, બેસતાં ખૂંચે એવું દુ:ખદાયક છે, માટે તે સુખાસન નહિ, પણ દુ:ખાસન છે! સાચું ‘સુખાસન ’ તે એક નિજ સહુજ આત્મસ્વરૂપપદ છે. કારણ કે તે જ અત્યંત સ્થિર, નહિ. ડગમગતું, ને બેસતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારૂં છે, માટે તે જ પારમાર્થિક સુખાસન છે. જેમ જેમ તેવા ભાવ સુખા સનમાં જીવ એસે છે, તેમ તેમ તેને સુખની- પરમાનંદની આર લહરીએ છૂટતી જાય છે. આમ જેમ બને તેમ દેહાધ્યાસ છેડતા જઇ, આત્મારામી બનતા જવું, તે આસન નામના ત્રીજા ચેગ અંગની સિદ્ધિ છે. “ છૂટે દેહાધ્યાસ તે, તું કો નહિં કર્મ, તું ભાક્તા નહિ' તેના, એજ ધર્મના મ.”— શ્રી આત્મસિદ્ધિ 66 આતમબુદ્ધે હા કાયાદિકે ગ્રહ્યો, બહિરાતમ અરૂપ....સુગ્યાની કાયાદિકે હા સાખીધર થઇ રહ્યો અતર આતમરૂપ....સુ૦′′—શ્રી આન ધનજી ૩. અક્ષેપ ત્રીજો જે ‘ક્ષેપ’ નામના ચિત્તદોષ કહ્યો હતા, તેના અહીં ત્યાગ હાય છે. કારણુ કે આગલી એ દૃષ્ટિમાં ખેદ્ય અને ઉદ્વેગ નામના એ દોષ દૂર થયા પછી આ દોષ પણ દૂર થાય છે. પ્રથમ ખેદ એટલે યેાગક્રિયા પ્રત્યે મનનું અઢપણું-થાકી જવું તે દૂર થાય છે. એટલે પછી તે યોગક્રિયા પ્રત્યેના દ્વેષરૂપ-અણગમારૂપ ઉદ્વેગ દોષ ટળે છે, વેડિયાપણું દૂર થાય છે. અને પછી સ્વાભાવિક ક્રમે ‘ક્ષેપ' દાષ પણ ટળે છે. ક્ષેપ એટલે ફૂંકાવું તે (ક્ષિપ્ ધાતુ પરથી ). ચિત્તનું જ્યાં ત્યાં ફૂંકાવું-દોડવું તેનું નામ ક્ષેપ. કોઇ પણ ક્રિયા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ત્યાંથી ઉખડી ઉખડીને ચિત્ત બીજે બીજે સ્થળે આડું-અવળુ " अतोऽन्तरायविजयो द्वन्द्वानभिहतिस्तथा । X પ્રટ્રોવર્ષારસ્થાનઃ પ્રવિધાનપુર:૧૬: ॥ ’--શ્રી યશાકૃત દ્વા॰ દ્વા॰ 66 'તતો દ્વન્દ્વામિઘાતઃ ॥ ’શ્રી પાત ંજલ યા, સુ ૨-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy