SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ બલાષ્ટિ : અક્ષેપ, · મનહુ કિમહી ન ભાડે ’ C ( ૨૧૧ ) ગયા કરે તે ક્ષેપ. જેમ શાલિને ઉખેડી ઉખેડીને ખીજે વાવવાથી તેનુ ફળ હાતું નથી, તેમ ઉખડી ઉખડીને અન્યત્ર દોડતા-ઝવાં નાંખતાં ચિત્તથી થતી ક્રિયાનું યુદ્ધ ફળ હાતું નથી. (જુઓ પૃ. ૮૫). આવી ચિત્તની ડામાડાળ અવસ્થા તે ક્ષેપ છે. આ Àપ દોષના અહીં ત્યાગ થતાં અક્ષેપ હૈાય છે. આ વિક્ષેપ વિનાનું એવું અવિક્ષિપ્ત મન તેજ આત્માનું તત્ત્વ છે, વિક્ષિપ્ત મન તે આત્માની બ્રાંતિ છે. એમ જાણીને આ દૃષ્ટિવાળા ચેગી પુરુષ જેમ અને તેમ મનને અવિક્ષેપ રાખે છે, વિક્ષેપ પામવા દેતા નથી. તે પ્રતિક્રમણ કરતા હાય કે સામા યિક કરતા હોય, તે પ્રભુભક્તિ કરતે હાય કે સદ્ગુરુવંદન કરતા હાય, પણ તેનું મન ખીજે આડુ અવળુ જતું નથી, ડામાડોળ થઇ પર વસ્તુમાં ગમન કરતું નથી. સામાયિક કરતાં ઢેઢવાડે ગયેલા શેઠની જેવું તે નથી કરતાઃ— એક ગૃહસ્થ હતા. તે સામાયિકમાં બેઠેલા. દરમ્યાન વિચારચક્રે ચડી જઇ, ચામ ડાના વેપારી અમુક ચમારને ત્યાં જવું છે ને એની સાથે આમ આમ વાત કરવી છે એવી તે મનમાં ઘડભાંજ કરવા લાગ્યા ! તે તેમ બડબડવા પણ માંડ્યા ! તે છેાકરાની વિચક્ષણ વહુએ સાંભળ્યું. તેવામાં કાઇ આવ્યું ને પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ? વહુએ પાધર જવાબ આપ્યા—ઘરમાં નથી, ઢેઢવાડે ગયા છે! પછી સામાયિક પૂરી થયે, શેઠે વહુને પૂછ્યું-હું તે! ઘરમાં હતા, છતાં તું ખાટુ કેમ એટલી ? ડાહી વહુએ જવાબ આપ્યાસસરાજી! આપનું શરીર ઘરમાં હતું ને સામાયિકમાં બેઠું હતું, પણ આપનું મન શું ઢઢવાડે હેાતું ગયું ? તે સાંભળી શેઠને પેાતાની ભૂલનું ભાન આવ્યું ને પેાતાના ચિત્તનો ચ'ચલતા માટે પશ્ચાત્તાપ થયેા. આ મુમુક્ષુ પુરુષ જેમ બને તેમ પરભાવમાંથી મનને પાછું વાળે છે, કારણ કે તેને અવિદ્યાભ્યાસના સંસ્કાર દૂર થઈ રહ્યા છે, ને જ્ઞાનસંસ્કાર પ્રાપ્ત થઇ રહ્યા છે. એટલે રાગ-દ્વેષ-માહાદિ ભાવે! તેને ઝાઝા ક્ષેાભ પમાડી શકતા નથી; તીવ્ર કષાયે તેની ચિત્તભૂમિને ખૂંદી નાંખો ખળભળાટ મચાવતા નથી; વિષયાનુ આકર્ષણ તેના મનને ડામાડોળ કરતું નથી; માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શેાક વગેરે દ્વન્દ્વો તેના ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી; અર્થ કથા, કામકથા કે કોઈ પણ પ્રકારની વિકથા તેના ચિત્તને આકર્ષતી નથી. * " अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥ अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નવમાનાટ્યસ્તસ્ય ન શો ચચ શ્વેતસ: I’—શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy