________________
htબ નિજ શણ હાથ
“હે પ્રભુ! હે પ્રભુ! શું કહું ? દીનાનાથ દયાળ !
હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ ! શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ;
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ;
આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સતસંગને, નથી સસેવા જેગ;
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. હું પામર શું કરી શકું? એ નથી વિવેક,
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રકુલિત ભાવ;
અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહિં, નહિં વિરહનો તાપ;
કથા અલભ્ય તુજ પ્રેમની, નહિં તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિં, નહિં ભજન દઢ ભાન;
સમજ નહિં નિજ ધર્મની, નહિં શુભ દેશે સ્થાન. કાળ દેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ
તેય નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ;
દેહેંદ્રિય માને નહિં, કરે બાહા પર રાગ. તુજ વિયોગ કુરતે નથી, વચન નયન યમ નહિ,
નહિં ઉદાસીન અભક્તથી તેમ ગૃહાદિક માંહિ. અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નાંહિ;
નહિં નિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય
નહિં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શું? કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનનાથ !
પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી ! હાથ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ
સદ્દગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દેજ'-શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org