SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ : તપસ્વીનું વધતું જતું તેજ (૧૮૩) પૂર્વક કરવામાં આપે, પિતાની શક્તિની મર્યાદા–ગજુ ખ્યાલમાં રાખીને જ જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તો જ તે કલ્યાણકારી થાય છે. બાકી ગજા ઉપરવટ યથાશક્ત તપ થઈને મમતની ખાતર અથવા દેખાદેખીથી મહિના મહિનાના ઉપવાસ “ખેંચવામાં આવે, અથવા મનમાં માયાને રંગ રાખી અજ્ઞાનપણે માસખમણ વગેરે તપશ્ચર્યા કરવામાં આવે, તોપણ જન્મમરણ દુઃખ ટળતું નથી. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે-અજ્ઞાનીઝ કોડે વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતો નથી, તે જ્ઞાની એક વાસોચ્છવાસ માત્રમાં ક્ષીણ કરે છે.” કેવલ કાયકલેશરૂપ તપ તે બાલ તપ છે, અજ્ઞાન તપ છે, માટે તપ જ્ઞાનપૂર્વક હોય તો જ કલ્યાણ થાય છે. “કઈ કરો સંયમ ધરે, ગાળો નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહિં દુઃખને છે.”—સવાસો ગાથાનું સ્તવન “દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જો માયા રંગ રે; તો પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજુ અંગ રે”–સા. 2. ગા સ્ત ખરેખરૂં મુખ્ય તપ તે આત્યંતર તપ છે. સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, બુ ત્સર્ગ, વિનય, ને ધ્યાન એ અંતરંગ તપના છ પ્રકાર છે. તેના વળી અનેક ઉત્તર ભેદ છે. આ તપથી અંતરાત્માની શુદ્ધિ થતી જાય છે, કર્મમલ ગળાતે જાય છે, નિર્જરતો જાય છે. જેમ અગ્નિમાં તપાવવાથી સોનાનો મેલ ગળાઈ જઈ તે ચોકખું થતું જાય છે, તેમ જ્ઞાનપૂર્વક તપથી આત્માને અંદરને મેલ ગળાતો જઈ આત્મા ચોક બને છે. તપથી કલેશાદિ અશુચિના ક્ષયથી કાય-ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. “ન્દ્રિસિદ્ધિાગુણથાત્ તાર' (પ. . ૨-૪૩). અને જેમ જેમ આ જ્ઞાનપૂર્વક તપનું અંતરતેજ વધતું જાય છે, તેમ તેમ આત્મા રવિ”ની જેમ પ્રતાપી તેજથી ઝળહળતો જાય છે. તે સાધીને તે “સામ” (ચંદ્ર જે સૌમ્ય-શીતલ) બને છે. એટલે તે મહાત્ “મંગલ” પંક્તિ પામે છે. તપસ્વીનું એટલે પછી તે “બુધ જનેના પ્રણામનું પાત્ર-અર્વત” થાય છે, ને વધતું તેજ નિગ્રંથ જ્ઞાતા સિદ્ધિદાતા “ગુરુ” બને છે, અથવા તો પરિપૂર્ણ આત્મ વીર્યથી વિરાજતો “ક” થાય છે, અને ત્યાં ત્રિગ–મન વચન કાયાના ગ કેવળ મંદ (શનિ) થાય છે, ને પછી સ્વરૂપસિદ્ધિમાં વિચરી તે વિરામ પામે છે! આ આ તપને અપૂર્વ મહિમા છે. આ જ ભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં પિતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યો છે – * “અજ્ઞાની તપના સમરમિ: લાર્મ વત્તા ૩d રાત સુરત– નૈવ સંદર્ભ ” --- શ્રી અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy