________________
(૧૮૨)
યોગદષ્ટિસમુચ્ચય માત્રા વધતી જાય છે. જેમ જેમ પંચ ઇન્દ્રિયના વિષયમાંથી વિરામ પામતે જઈ, પરતૃષ્ણાથી પરિત થયેલે આત્મા પરતૃષ્ણા છોડતા જાય છે, તેમ તેમ તે આત્માથી પરિતૃપ્ત થઈ સંતોષજન્ય આત્મશાંતિ અનુભવતો જાય છે. એટલે જ આ દષ્ટિવાળે મુમુક્ષુ જોગીજન જેમ બને તેમ ઇદ્રિની વિષયતૃષ્ણામાંથીx પાછા હઠી, આત્માધીને એવું સંતોષસુખ મેળવવા ઈચ્છે છે.
મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ૦ પર તૃષ્ણાએ તપ્તરે
તે સમતા રસ અનુભવે રે લાલ૦ સુમતિ સેવન વ્યાપ્તરે.”—શ્રી દેવચંદ્રજી. ૩. તપ–કમના ક્ષય અર્થે, નિર્જરા અર્થે જે તપવામાં આવે, તે તપ છે. અથવા જે તપ–તેજવડે આત્માનું સ્વરૂપમાં પ્રતપવું–અત્યંત પ્રતાપવંત હોવું, નિજ સ્વરૂપને જે ઝળહળવું, તે “તપ” કહેવાય છે. જેમ આમ્ર-ફણસ વગેરે ફળ ગરમી વગેરેથી જલ્દી પાકે છે, તેમ કર્મ પણ તપ-અગ્નિના તાપથી શીધ્ર પાકીને નિજરે છે. આ તપના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય બાર ભેદ છે,–ઉપવાસ, ઊદરી વગેરે છ બાહ્ય તપ છે, અને પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાય વગેરે છ અત્યંતર તપ છે. બાહ્ય તપ, અત્યંતર તપને ઉપકારી થાય છે, અનુકૂળતા કરી આપે છે, સહાયકારી કારણરૂપ થાય છે. કારણ કે-જ્યારે ઉપવાસાદિ હોય છે, ત્યારે ઘણી બાહ્ય પંચાત મટી જાય છે, મન સ્વચ્છ રહે છે, પ્રમાદ થતો નથી, અને સ્વાધ્યાય-ભક્તિ આદિમાં પ્રવર્તવાની અનુકૂળતા–અનુકૂળ તક મળે છે. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષયકષાયનો ત્યાગ કરવો જોઈએ, ઉંઘવું–પાના રમવા વગેરે પ્રમાદ ન હોવો જોઈએ, આત્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવો જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાનો પ્રયાસ કરવા જોઈએ, તે જ તે ખરેખર “ઉપવાસ’ કહી શકાય. નહિ તો લાંઘણુ જ છે!
" कषायविषयाहारत्यागो यत्र विधीयते ।
ઉપવાસઃ સ વિશેો રોષે જાન વિદુઃ”—શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ, " यत्रः रोधः कषायाणां ब्रह्मध्यानं जिनस्य च ।
જ્ઞાતચં તત્ત: શુદ્ધમવશિષ્ટ તુ અનY I”—શ્રી અધ્યાત્મસાર. આમ બાહા તપ, આત્યંતર તપને પુષ્ટિ આપે છે, તેના સાધનની નિરાકુલતા કરી આપે છે, તેથી તે કર્તવ્ય છે જ, પરંતુ ક્રિયાજડ૫ણે નહિં; પણ સમજણપૂર્વક-જ્ઞાનx “यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इंद्रियाणींद्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥"
–શ્રી ગીતા. * “પૂરું કર્મક્ષાર્થ ચત્તવ્યને તત્ તા. મૃત” ” “ જે કતપના છે”–શ્રી અમૃતચંદ્રાચાર્યજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org