SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ બિrog: ગાઢ ભાવમલ હતાં સતપતીતિ ન હેય (૧૬૭) આ ઘન હેતાં સત પ્રતિ, પ્રતિત મહદય નોગ્ય; સમ્યગ ફૅપ શું ગ્રહે કદી, મંદલોચને કેય? ૩૬ અર્થકારણ કે આ ભાવમલ ઘન-ગાઢ હોય ત્યારે, સત્પરુષો પ્રત્યે તેની મહેદયવતી એવી પ્રતીતિ હાય નહિં. શું મંદ લોચનવાળો કદી પણ બરાબર રૂ૫ ગ્રહણ કરે ખરો? વિવેચન ઉપરમાં જે કહ્યું કે ભાવમલની અલ્પતા થયે તેવા ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થાય છે, તે જ વાતને વ્યતિરેકથી એટલે નિષેધાત્મક ઉક્તિથી (Negative Affirmation) અહીં દઢ કરી છે –આ ભાવમલની જ્યારે ઘનતા હોય, ગાઢપણું–પ્રબલપણું હોય, ત્યારે સત્પ રુષો પ્રત્યે તેવી મહાદયવાળી પ્રતીતિ હાય નહિં, શ્રદ્ધા-આસ્થા ઉપજે નહિં. આત્માને અંદરનો મેલ જ્યાં સુધી ગાઢ હોય, ત્યાંસુધી સંતની પ્રત્યે વિશ્વાસ બેસે નહિં. જ્યાં સુધી જીવ ગુરુકમ–ભારેકમી હોય ત્યાં સુધી સત્પુરુષની તેવી પીછાન, ઓળખાણ થાય નહિં. તેવી પ્રતીતિ-અંતર્ આસ્થા ખરેખર ! જીવનો મહા ઉદય કરનારી છે-ઉત્તરોત્તર ચઢતી કળા કરનારી છે. આ વાતનું તુલ્ય ઉપમા દ્વારા સમર્થન કરે છે કે-જેની આંખનું તેજ ઓછું છે. મંદ છે, જે દષ્ટિદષથી ઝાંખું ઝાંખું દેખે છે, એ પુરુષ શું બરાબર વસ્તુ સ્વરૂપ દેખી શકે ખરો ? ન જ દેખી શકે. તેમ ભાવમલ ઘણે હેવાથી જેના ભાવચક્ષુ ઉઘડ્યા નથી, તે સત્પરુષના સ્વરૂપને બરાબર ન ઓળખી શકે, ન પીછાની શકે, ને ઓળખે નહિં તે પ્રતીતિ પણ કયાંથી કરે? આમ “સત્પુરુષો પ્રત્યે સત્પણની બુદ્ધિ તીવ્ર મલ હેાય ત્યાંસુધી ઉપજે નહિં. કારણ કે ઘણા ઊંચા ઝાડની શાખાને પાંગળો કદી આંગળીથી સ્પશી શકે નહિ.” * હવે અન્વયપ્રધાનપણે અધિકૃત વરતુના સમર્થન અર્થે જ કહે છે - अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्ध्यर्थं वृत्त्यैवायं तथा हिते ।। ३७॥ વૃત્તિ-અલ્પાધાઅ૧૫ વ્યાધિવાળ, જેનો રોગ ક્ષીણ ખાય-લગભગ ક્ષીણ જેવો થઈ ગયો છે એ કાઈ,ચથા રો-જેમ લાકમાં, તંદ્રા -તેના વિકારેથી, કડૂ-ખજવાળ વગેરેથી, વારેયાધિના અપપણાએ કરીને બાધિત થતું નથી. તેમ જ શું ? તે કે- તે ર-અને ચેષ્ટ કરે છે, રાજસેવા આદિમાં પ્રવૃત્તિ કરે છે, ફુછણિત-ઇષ્ટ સિદ્ધિને અર્થે, કુટુંબ વગેરેના પાલન અર્થે. આ દષ્ટાંત છે. આ એનો અર્થો પનય છે એટલા માટે કહ્યું- વૃ –વૃત્તિથી જ ધર્મનિરૂપ વૃત્તિવડે કરીને જ. અને આ-“વૃતિ કદ સુવિવિવિજા વિક્ષણિતિરિત ધર્મથોનઃ-એ વચન ઉપરથી છે. એટલે ધૃતિ, શ્રદ્ધા, સુવિવિદિષા (જાણવાની ઉત્કટ ઇચછી-જિજ્ઞાસા ), અને વિજ્ઞપ્તિ એ ધર્માનિએ છે (ધર્મની જન્મભૂમિઓ છે, ધર્મના ઉદ ભવસ્થાનો છે). તેથી આ હેતુભૂત એવી વૃત્તિવડે કરીને જ જં-આ યોગી, તેવા અ૯૫વ્યાધિવાળા પુરુષની જેમ, સ્થિર એવા અકાર્ય વૃત્તિના નિરોધથી, દિલે-હિતમાં, દાન આદિ હિત વિષયમાં ચેષ્ટા કરે છે, (પ્રવર્તે છે). * “સહુ સરઘfધર્ઘ દૃના મઢે તીવ્ર ૪ત : / પ્રસ્થાન ઘા રાણાં ફુમતરતઃ ” –શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy