SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાષ્ટિ : ગુણીને અપ, ઔચિત્યથી સર્વની સેવા (૧૫) હે છમ! તું પુણ્યશાળી જીવેનાં સુચરિત્ર ઉચ્ચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા! બીજાની કીર્તિ સાંભળવાનો રસ પામી મારા બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ! અહો! બીજાની ઉત્તમ લક્ષ્મી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચનો ઠરો, દ્રો, એમાંથી હર્ષાશ્રુ આવો! હે જીભ! હે કાન ! હે ચક્ષુ ! અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે.” –શ્રી મનસુખભાઈ કીરચંદ્રત શાંતસુધારસ વિવેચન. “ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ સેવી છે, જે દેશના સુણે જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવયોગે હો નિજ સાધકપણે, સેવ ઈશ્વર દેવ ”– શ્રી દેવચંદ્રજી “મૈત્રી ભૂતમાં, ગુણમાં પ્રમોદ, દુઃખી જીવોમાં કરુણ પ્રયોગ, માધ્યમય વૃત્તિ વિપરીત પ્રત્યે, હે દેવ! ધારે મુજ આત્મ નિ. -શ્રી અમિતગતિ આચાર્ય કૃત “સામાયિક પાઠ (ડે. ભગવાનદાસ અનુવાદિત ) ૩. ઔચિત્યથી સર્વત્ર અવિશેષપણે સેવન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઔચિત્યથી, ઉચિતપણાથી, જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. “ઉચિતપણાને અનુસરવાથી અસતુપ્રવૃત્તિ દૂર થાય છે, ને સત્ પ્રવૃત્તિમાં પ્રવર્તન થાય છે, તેથી કરીને ચક્કસ કર્મક્ષય થાય છે.” x માટે જ આત્માથી હાય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે, તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે, તે તે સમજે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”—શ્રી આત્મસિદ્ધિ અને તેમાં પણ અવિશેષથી-કઈ પણ જાતના ભેદભાવ વિના, સામાન્યપણે દીન-દુઃખી વગેરે સર્વ કોઈની પણ યથાયોગ્ય સેવા કરવી, એ ઉચિત સેવા છે. અત્રે ઉચિતપણું, યથાયોગ્ય પણું આમ સમજવું; મુનિ-સાચા સાધુગુણથી યુક્ત એવા સપાત્ર પુરુષ પ્રત્યે જે સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુ:ખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપા ભાવનું પ્રધાનપણું ઉચિત છે. આ (મૂળ શ્લોક ) “મૈત્ર જુનિનુ પ્રમો, વુિ શીજુ કviggવું ! माध्यस्थ्यवृत्तिं विपरीतवृत्ती, सदा ममात्मा विदधातु देव ॥" x “अस्यौचित्यानुसारित्वात्प्रवृत्ति सती भवेत् । વાવૃરિશ્ચ નિયમોષવ: વર્મક્ષ ચતઃ | »– શ્રી ગબિન્દુ. * “ अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु सङ्गता। ૩થાપીતુ રાણામતિના કવિ છે – શ્રી યશોવિજયજીકૃત દ્વા૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy