SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદgિ: બીજકથા પ્રીત-ગુહ શ્રદ્ધા (૧૪૩) અથ—અને યોગબીજનું શ્રવણ થતાં, સગથકી સ્થિર આશયવાળી પ્રતિપત્તિમાન્યતા અને તેને પરિશુદ્ધ એ મહદયવાળ ઉપાદેયભાવ-(આ પણ ગબીજ છે.) વિવેચન બીજકથી ભલી સાંભળી, રોમાંચિત હાય દેહ રે; એહ અવંચક યોગથી, લહિએ ધરમ સનેહ રે....વીર.”—શ્રી યો૦, ૨-૧૧ ઉપરમાં જે ગબીજ કહ્યા, તે ચોગેબીજનું શ્રવણ થતાં, તે યોગ વિષયની કથા વાર્તા સાંભળતાં, સંવેગથી–પરમ ભાલ્લાસથી “આ એમ જ છે” એવી જે માન્યતા થવી, પ્રતિપત્તિ થવી. તે પણ ગબીજ છે. તે કથા સાંભળતાં એવો સંવેગબીજકથાને પ્રેમ ભાવાવેશરૂપ શ્રદ્ધાવિશેષ ઉપજે, એવો પ્રેમ કુરે કે-“આ મેં જે શ્રવણ શુદ્ધ શ્રદ્ધા કર્યું તે એમ જ છે, તહતિ છે,” એવા સહજ ઉગાર નીકળી પડે. આવી પ્રતિપત્તિ, માન્યતા, સહણ, અંતરાત્માથી સ્વીકાર થવો, તે પણ ગબીજ છે. અને આ પ્રતિપત્તિ-શ્રદ્ધા પણ સ્થિર આશયવાળી હોય. કારણ કે આ ગ. દષ્ટિમાં વર્તનારા મુમુક્ષુના ચિત્તની સ્થિતિ એવી હોય છે કે તેમાં વિસ્રોતસિકાનો એટલે કે ઉપર કહ્યું તેથી ઊલટા પ્રવાહનો અભાવ-અસંભવ હોય છે, તેના ચિત્તનું વહેણ એકધારૂં પ્રસ્તુત માન્યતા ભણી સ્થિરપણે વહ્યા કરે છે, તેથી ઉલટું-ઊંધું વહેણ થતું નથી. અને એટલા માટે જ આ મુમુક્ષુ જોગીજન -જ્યારે કયાંય પણ પ્રભુભક્તિની, ગુરુભક્તિની કે મૃતભક્તિની વાર્તા ચાલતી હોય, ત્યારે તે પ્રેમમય ભક્તિરસમાં નિમગ્ન થાય છે, પરમ ભાવોલ્લાસમાં આવી જાય છે, તેના શરીરમાં રોમાંચ ઉદ્ઘસે છે–રૂવાંડા ખડા થાય છે, અને સંવેગમાં–અત્યંત આવેગમાં આવી જઈને તે બોલી ઊઠે છે-આ જે કહેવામાં આવે છે તે બધું ય એમ જ છે. પ્રભુભક્તિ આદિનો ખરેખર ! એવો જ અતુલ અચિંત્ય પ્રભાવ છે. અને આમ તે સાચા અંતઃકરણથી માને છે, શ્રદ્ધે છે. આવી અંતરંગ શ્રદ્ધાસદહણ અત્યંત આવશ્યક છે. કારણ કે તેવી શ્રદ્ધા વિનાનું ગબીજનું સેવન શું ફળ આપે? શુદ્ધ શ્રદ્ધા વિનાની જે કંઇ ક્રિયા કરવામાં આવે છે તે તે “છાર પણ લિંપણું” જેવું છે, “એકડા વિનાના મીંડા” જેવું છે. યોગરાજ આનંદઘનજીએ ગર્જના કરી છે કે “દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહ કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરે, છાર પર લિંપણે તેહ જાણે....ધાર તરવારની.” ગ્રંથકાર મહર્ષિ તે હજુ એક ડગલું આગળ વધીને કહે છે કે બીજથતિમાં શ્રદ્ધાની વાત તો દૂર રહી, પણ તેના પ્રત્યે ઉપાદેય ભાવ થવો-આ ગ્રહણ કરવા ગ્ય છે એ Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy