SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૨). યોગદરિસમુચ્ચય ચિંતના–જે સિદ્ધાંત વાંચ્યા હોય, શ્રવણ કર્યા હોય, ગ્રહણ કર્યા હોય, તેનું તત્વચિંતન કરવું, સૂક્ષ્મ વિચારણા કરવી, ઊહાપોહ કરે, હે પાદેય વિવેક વિચારો તે ચિંતના. ભાવના–તે ને તે સિદ્ધાંતનું પુનઃ પુનઃ ભાવન કરવું, રટણ કરવું, ફરી ફરી ફેરવવું, ધૂન લગાવવી, કે જેથી કરીને તેને સંરકારની દઢ છા૫ આત્મામાં પડે, તેને દઢ ભાવઅવિહડ રંગ આત્મામાં લાગી જાય, ભાવના એટલે પુટ, જેમ સુવર્ણને સાવ ચેકબું કરવું હોય તે સંપુટમાં, કુલડીમાં મૂકી, ફરી ફરી તપાવવારૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સુંઠ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિંબુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવારૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે; x x x તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે, વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે.” –શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન. આમ ભાવના એ આત્મશુદ્ધિને ઉત્તમ પ્રયોગ છે. તે એટલે સુધી કે તેથી સંપૂર્ણ આત્મસિદ્ધિ સાંપડે છે, આત્મભાવના ભાવમાં જીવ કેવલજ્ઞાન પામે છે તે માટે પરમ અદ્દભુત મંત્રરૂપ સૂત્રવચન છે – “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે.” આમ સિદ્ધાંતના લેખન, વાંચનાદિ પણ ઉત્તમ યોગબીજ છે. લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદગ્રાહે રે, યાન વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહે રે...વીર.”–ો ગ૦ સઝાય, ૨-૧૦ તથા बीजश्रुतौ च संवेगात्प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ બીજ શ્રવણે સંવેગથી, સ્થિરઆશય શ્રદ્ધાન; ઉપાદેય તસ ભાવ જે, શુદ્ધ મહદયવાન. ૨૯ - વૃત્તિ –-વીષત -અને બીજશ્રુતિ થતાં, યથા યોગબીજ સંબંધી શ્રવણ થતાં, વાસંવેગથકી, શ્રદ્ધાવિશેષને લીધે, ઇતિપત્તિ- આ એમ છે” એવા રૂપે પ્રતિપત્તિ-માન્યતા; રિધારાવારિથર આશયવાળી,-તથા પ્રકારના ચિત્તપ્રબંધની વિસ્ત્રોતસિકાના ( ઉલટા વહેણના) અભાવથી કરીને. તદુપરમાવશ્વ-અને તેને ઉપાદેય ભાવ,-એ બીજશ્રુતિનો ઉપાદેયતા ભાવ, (આ બીજશ્રુતિ ગ્રહણ કરવા યોગ્ય–આદરવા યોગ્ય છે એ ભાવ), grશુદ્રક-પરિશુદ્ધ –ફલ સુક્યા, ફલની ઉત્સુકતાના અભાવથી, મદદ-તે જ મહા ઉદયવાળા હોય છે; આનુષંગિક એવા અભ્યદયથકી,-નિઃશ્રેયસના (મેક્ષના) સાધનને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy