________________
(૧૪૦)
યુગદષ્ટિસમુચ્ચય લેખના–સત પુસ્તકમાં, સુંદર ગ્રંથોમાં તે સતશાસ્ત્રો લખાવવા. તે તે સિદ્ધાન્તોને છાજે એવા અનુરૂપ કાગળ, શાહી, છાપ, પૂંઠાં વગેરે, શાસ્ત્રનું ગૌરવ દીપાવે એવા બાઢા આકર્ષણરૂપ ગુણેથી; તેમ જ અક્ષર, વર્ણ, શબ્દ, અર્થ આદિની શુદ્ધિ–સુસંકલના વગેરે આત્યંત ગુણોથી યુક્ત, એવા સર્વાંગસુંદર સગ્રંથોમાં સશાસ્ત્રોનું લખવું–લખાવવું તે લેખના. અને આ ગદષ્ટિ પામેલો મુમુક્ષુજન તો સત્કૃતનો પરમ ઉપકાર ગણી જેમ બને તેમ તેની પ્રભાવના કરવા ઈચ્છે છે, એટલે તે લેખનાદિમાં યથાશક્તિ પ્રવર્તે છે. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-“પાપ વ્યાધિનું ઓષધ શાસ્ત્ર છે, પુણ્યનું નિબંધન શાસ્ત્ર છે, સર્વત્ર ગમન કરનારૂં ચક્ષુ શાસ્ત્ર છે, સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.”
" पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् ।
ચક્ષુ સર્વત્રમાં શાશં શાä સર્વાર્થસાધનમ્ – શ્રી ગબિન્દુ, ૨૫૫. પૂજના-પુષ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિવડે સશાસ્ત્રની–પરમકૃતની પૂજા કરવી તે પૂજના. આ બાહ્ય પૂજના અંતરંગ બહુમાન-ભક્તિની સૂચક છે, કારણ કે મુમુક્ષુ જોગીજનના મનમાં એવો ભાવ ઉપજે છે કે-આ સતપુરુષના વચનામૃતને માટે હું હારૂં સર્વસ્વ એવારી નાંખ્યું તે પણ ઓછું છે, આ સત્પુરુષના વચનામૃત મહારા હૃદયમાં અખંડ જ્ઞાન-દીપક પ્રગટાવો ! આમ નિર્મલ અંત:કરણથી સતુશાસ્ત્રના ગુણગ્રામ કરવા તે પણ પૂજાનો પ્રકાર છે. જેમકે– અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે;
સકલ જગત હિતકારિણું હારિણી મોહ, તારિણું ભવાબ્ધિ મોક્ષચારિણું પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણ તેણે જાણ છે.
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીમેક્ષમાળા. દાન-અન્ય આત્માથી મુમુક્ષુને અથવા સત્પાત્ર નિગ્રંથ મુનીશ્વર આદિને સન્શાસ્ત્ર આપવું તે દાન. સતુશાસ્ત્રનો નિ:સ્વાર્થપણે પ્રચાર કર, પરમશ્રતની એકાંત આત્મકલ્યાણાર્થે પ્રભાવના કરવી, તે આમાં સમાય છે. આમ જ્ઞાનનું તો દાન કરવાનું છે, તે પછી જ્ઞાન વેચીને દ્રવ્ય ઉપાર્જન કરવાની અધમ વૃત્તિની વાત તે કયાંય દૂર રહી!
વાંચના–સશાસ્ત્રનું પતે વાંચન કરવું તે, આ પણ આશાતના ટાળી, વિનયવિવેકપૂર્વક, દ્રવ્ય-ભાવ શુદ્ધિ જાળવી થવું જોઈએ. સદગુરુના વિરહે સશાસ્ત્રનો અભ્યાસ સુપાત્ર મુમુક્ષુ જીવને પરમ આલંબનભૂત થાય છે. કારણ કે
તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તો પણ વારંવાર પિતાથી વચનગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમને યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org