SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ સદૂગુરુ ભક્તિનો મહિમા (૧૨૯) કે-જે આત્મજ્ઞાની સમદશી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈછારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચરતા હોય, અને પરમકૃત એવા જે પુરુષની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હાય, તે જ સાચા સદગુરુ છે. ‘છત્તીર કુળો મુહ મા તે જાણે છે કે-જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા, આત્મારામી હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જ્ઞાની સપુરુષના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય, અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિz છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી બીજા તો ‘દ્રવ્યલિંગી’ વેષધારી છે. આમ તે જાણતા હેઈ, તેવા સાચા ભાવગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમના આદર-ભક્તિ કરે છે. તે નથી જોવા બેસતા કે આણે સફેદ કપડા પહેર્યો છે કે પીળા? પીતાંબર છે કે “વેતાંબર ? લંગોટી છે કે દિગંબર છે? કારણ કે ધર્મ કાંઈ કપડામાં સંતાઈ ગયે નથી ! એટલે તેમાં તે બળવા જતા નથી ! તેઓ તે ગમે ત્યાં સાચું ભાવ–સાધુપણું દેખે ત્યાં નમી પડે છે અને આવા ભાવગીને જ મુખ્યપણે આ ચોગમાર્ગમાં સ્થાન છે. ભાવગીનો જ “ભાવ” અહીં પૂછાય છે દ્રાચાર્ય આદિનું કંઈ “દ્રવ્ય” અહીં ઉપજતું નથી ! કારણ કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે...વાસુપૂજ્ય.” સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે...શ્રી શ્રેયાંસ ” આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર . શાંતિજિન” શ્રી આનંદધનજી “આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રાગ; અપૂર્વવાણી પરમકૃત, સદગુરુ લક્ષણ યોગ્ય.” “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુલગુરુ કલ્પના, આત્માથી નહિ જોય.”——શ્રી આત્મસિદ્ધિ “વું સંમંતિ પારદ્દ, મોતિ પાસ€”–શ્રી આચારાંગ સૂત્ર “કારજ સિદ્ધ ભયે તિનકે જિશે, અંતર મુંડ મુંડાય લિયા રે.”—શ્રી ચિદાનંદજી x “परमट्टो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । તસિ દિરા સાવે મુખનો પાવૅતિ જળવ્યા ” –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર * "पणविहसम्मचरणवयववहारायारसमिइसज्झाए । જન ગ રમો, છત્તીસTrો ગુ થવુ ” --શ્રી વાસ્વામી પ્રશિષ્યકૃત ગુરુગુણ છત્તીસી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy