________________
વાબદાસ ય કરનારા, વેષધારી-નામધારી એવા દ્રવ્ય આચાર્ય, દ્રવ્યઉપાધ્યાય, દ્રવ્યસાધુ, દ્રવ્યતપવી વગેરે. ભાવાચાર્ય વગેરેની ભક્તિ કરવી એ જ ગબીજ છે, નહિં કે દ્રવ્યાચાર્ય વગેરેની. દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ વગેરે તો બેટા રૂપીઆ જેવા છે, તેને માનવા તે તે કૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું નથી. માટે ભાવાચાર્ય આદિનું જ માન્ય પણું છે. બાહ્યદષ્ટિવાળા પ્રાકૃત જન તો બાહ્ય વેષાદિ દેખીને સાધુપણું કપે છે, મુગ્ધ હાઈ ઉપર ઉપરના દેખાવથી ભોળવાઈ જાય છે, અને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિંગીઓને ગુરુ માની બેસી આરાધે છે! ખોટા રૂપીઆને વટાવવા જતાં કેડીની કિંમત ઉપજતી નથી! કારણ કે-“ભાવ જ પ્રથમ લિંગ છે, દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ગુણ-દોષનું કારણ ભાવ છે એમ જિન ભગવાન કહે છે. ભાવની વિશુદ્ધિ નિમિત્ત બાહ્ય ગ્રંથને ત્યાગ કરાય છે, પણ અત્યંતર એવા રાગદ્વેષાદિ ગ્રંથ યુક્તની બાંહ્ય ત્યાગ નિષ્ફલ છે.'
પણ જે ગઠષ્ટિવાળા જોગીજને છે તેઓ તે ભાવવિહીન વ્યલિંગને કંઈ પણ વજૂદ આપતા નથી, તેઓ તો ભાવ–આત્મપરિણામ પ્રત્યે જ દષ્ટિ કરે છે, ભાવિતાત્મા
એવા ભાવલિંગીને જ મહત્વ આપે છે, દર્શન-જ્ઞાન–ચારિત્ર–તપ ભાવલિંગનું જ આદિ આત્મભાવના પ્રગટપણાના માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા પ્રધાનપણું નગદ રૂપીઆને જ સ્વીકારે છે કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખોટી
અને છાપ બેટી, અથવા ધાતુ ખેટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તો સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે અને ધાતુ સાચી પણ છાપ બેટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિં છતાં ભાવથી જે સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટ્યો છે? તે ગમાર્ગે કેટલે આગળ વધે છે ? તે કેવી ગદશામાં વતે છે ? તેનું ગુણસ્થાન કેવું છે. તેની અંદરની મુંડ (કષાય મુંડનરૂપ) મુંડાઈ છે કે નહિં? તેને આત્મા પરમાર્થે સાધુ” “મુનિ' બન્યો છે કે નહિં? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે. તે જાણે છે
x “भावो हि पढमलिंग ण दवलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो गुणदोसाणं जिणा विति ॥” ।
-ઇત્યાદિ શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાભૂત * "तत्र बालो रतो लिंगे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । गृहत्यागादिकं लिंगं बाह्य शुद्धिं विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥"
શ્રી યશોવિજયજીત દ્વા૨ દ્વા૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org