SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) માગદક્ષિણ “પરમાતમ પદ કામના, કામનાશન એહ.” જોતાં પણ જંગી જતુને, ન વધે વિષયવિરામ.”—શ્રી દેવચંદ્રજી “જિહાં કામ ત્યાં રામ ના, રામ તિહાં નહિં કામ.” પરિગ્રહસંજ્ઞા–પરિબ્રહની મૂછ, પરવસ્તુને પિતાની માનવારૂપ મમત્વબુદ્ધિ અને દૂર થઈ જાય, કારણ કે પરવતુ પ્રત્યેની-પુદગલાદિ પ્રત્યેની પ્રીતિ છોડ્યા વિના, પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં. અને સાચો ભક્ત જન તો પ્રભુને નિરંતર પ્રાથે છે કે-હ પરમકૃપાળુ દેવ! આપ મને આ પર પરિણતિરંગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છોડાવે ! આવા પુરુષને ભક્તિકાર્યમાં પરિગ્રહ સાંભરે પણ શેનો ? “એ પર પરિણતિ રંગથી રે, મુજને નાથે ઉગાર રે..દયાલરાય!” “પ્રીતિ અનંતી પર થકી, જે તેડે તે જોડે એહઋષભ.–શ્રી દેવચંદ્રજી ક્રોધસંજ્ઞા-ક્રોધનો ઉદય અહીં હેય નહિં. કારણ કે ક્રોધ અને પરમ શાંતસુધારસમાં નિમજજનરૂપ ભક્તિને બને નહિં. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ ક્રોધ શમી જાય, ને આત્મા શાંત અમૃતરસમાં ઝીલે. અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હાય...વિમલ”—-શ્રી આનંદધનજી “ઉપશમરસભરી, સર્વજનશંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી”—શ્રી દેવચંદ્રજી માનસંજ્ઞા-લોકિક માન-મોટાઈની કે કીર્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહીં સંશુદ્ધ ભકિત આદિમાં ઘટે નહિં. જે લેકમાં મનાવા-પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભકિત કરૂં છું એવું દુષ્ટ અભિમાન ધરવામાં આવે, તો તે ચિંતામણિ રત્નને કાણુ કોડી જેવું કરી મૂકે છે! કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભકિતકર્તવ્યને ગૌણ કરી તે પામર, તુચ્છ નિર્માલ્ય માનની પાછળ દોડે છે, એટલે કે પરમ મહત એવા ભકિત આદિ ધર્મકાર્યનું ખુલ્લું અપમાન કરી આશાતના કરે છે. પણ સાચો ભકતજન તે કેવલ એક આત્માથે જ-આત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ આદિ કરે છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વત અભિમાન ગ્રહે નહિં પરમાર્થને, લેવા લોકિક માન, ”–શ્રી આત્મસિદ્ધિ માયાસંજ્ઞા–શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હોય, બગલા ભગત જેવી કુટિલતામાયાચાર ન હોય, દંભ ન હોય, પોતાના દોષના આછાદનરૂપે-ઢાંકણરૂપે ધર્મને ડોળ* “साम्यं विना यस्य तपः क्रियादेनिष्ठा प्रतिष्ठार्जनमात्र एव । સ્વર્ઘનુચિંતામણિવામjમાન ચણો વાળvટ્વભૂથાન ”—શ્રીઅધ્યાત્મપનિષદ્ર + “મવામિનન્દ્રિો શ્રોતiા ધર્માિયામાં મતો ઢીનરશ્નોગૅટુરત તદિરો વિદુર છે ”– શ્રી ગબિન્દુ, ૮૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy