SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે; સુહમ નિગોદ ભવે વસ્ય, પુદ્ગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહાર પણ ભયે, ક્ષુલ્લક ભવ અત્યંત રે.”—શ્રી દેવચંદ્રજી “એમ અનેક થલ જાણ એ.સખી! દેખણ દે! - ચતુર ન ચઢિયે હાથ રે...સખી.”–શ્રી આનંદઘનજી આમ પુદગલાવર્ત કરતાં કરતાં તથાભવ્યત્વના પાકથી કઈ જીવને ગણત્રીમાં આવે તેમ કેટલાક બાકી રહે છે અને તે કેટલાકમાં પણ જે છેલ્લો પરાવર્ત-ફેરે છે, તે ચરમ પુદગલાવત કહેવાય છે. અને આ છેલ્લા પરાવર્તનું કારણ પણ તથાભવ્યત્વને પરિ પાક, ભવપરિણતિનો પરિપાક છે; એટલે કે જ્યારે જીવમાં તથા પ્રકારની ભવ્યતા પાકે, તેવા પ્રકારની યોગ્યતા–પાત્રતા પરિપકવ થાય, ત્યારે મિથ્યાત્વરૂપ વિષની કડવાશ દૂર થાય અને કંઈક માધુર્યની–મીઠાશની સિદ્ધિ સાંપડે. કહ્યું છે કે – “ योग्यता चेह विज्ञेया बीजसिद्ध्याद्यपेक्षया । જામનઃ સા ત્રિા તથામચરમિયતઃ || ”- શ્રી યોગબિન્દુ, ૨૭૮ અર્થાત-બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની યેગ્યતા, તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવોની તેવા તેવા પ્રકારની યોગ્યતા તેનું નામ તથાભ વ. આમ તેવી ગ્યતાના-તથાભવ્યતાના પાકથી જ્યારે છેલ્લો પુદગલપરાવર્ત વર્તતો હાય, ત્યારે જિન પ્રત્યે આ સંશુદ્ધ ચિત્ત આદિ પ્રાપ્ત થાય, એવો નિયમ છે. તે સિવાય ના બીજા સમયે, તેની પૂર્વે કે તેની પાછળ, આ સંશુદ્ધ ચિત્તાદિ ન હોય. કારણ કે તેની પૂર્વે કિલષ્ટ આશય હોય છે, અને તેની પાછળમાં વધારે વિશુદ્ધ આશય હોય છે - એમ કેગના જાણકારોનું કથન છે. યથાયોગ્ય ગ્યતા-પાત્રતા વિના કોઈ કાર્ય બનવું સંભવતું નથી. એટલે જ્યાં લગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ ગ્યતા–પાત્રતા ન આવી હોય, ત્યાં લગી જીવને ગુણની પ્રાપ્તિ થવી શકય નથી. પ્રભુભક્તિ વગેરે ઉત્તમ યોગબીજની પ્રાપ્તિ થવી, એ કાંઈ જેવી તેવી કે નાની સૂની વાત નથી, પણ જીવના મેટા ભાગ્યની વાત છે. એવો ભાગ્યદય તે જીવને જ્યારે છેલ્લો ભવ-ફેરો હોય, ત્યારે સાંપડે છે કારણ કે ત્યારે જીવની તથા પ્રકારની ભવ્યતા–ગ્યતા પરિપકવ થાય છે, એટલે મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે, અને પરિણામની કંઈક મીઠાશ નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ફુરે છે. * “અનાદિ સંતાને નાનાતિમાથા . પુરાનાં પાવા ત્રાતા તથા જતા / ”—-શ્રી ગબિન્દુ, ૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy