SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સત શ્રદ્ધાયુક્ત બેધ ( ૮૯) સત શ્રદ્ધાયુત બોધ જે, તે “દષ્ટિ” કહેવાય; અસત પ્રવૃત્તિ બાધથી, સપ્રવૃત્તિ પદદાય. ૧૭, અર્થ –સતશ્રદ્ધાથી સંગત એ જે બેધ તે “દષ્ટિ” કહેવાય છે, અને તે અસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકવાથી) સતપ્રવૃત્તિ પદાવહ એટલે સપ્રવૃત્તિપદ પમાડનાર એ હોય છે. વિવેચન અહીં “દષ્ટિ એટલે શું? તેની સ્પષ્ટ વ્યાખ્યા કહી છે. સતશ્રદ્ધાથી યુક્ત એ જે બોધ તેનું નામ “દષ્ટિ' છે. અહીં “સત્ શ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે અસત્ શ્રદ્ધાનો અપવાદ-નિષેધ કરવા માટે છે. સતશાસ્ત્રને આધાર છોડી સતશ્રદ્ધાયુકત પિતાના અભિપ્રાયે કરીને–પિતાના સ્વચ્છેદે કરીને, પોતાની મતિક૯૫ના બોધ તે દષ્ટિ પ્રમાણે જ્યાં અસત પેટા તર્કવિતર્ક-વિક૯પ કરવામાં આવે છે, એવી શાસ્ત્રબાહા જે શ્રદ્ધા તે અસતશ્રદ્ધા છે. આવી અસત શ્રદ્ધા આ “દષ્ટિ', માં હોતી નથી. એમાં તો સશાસ્ત્રના આધારવાળી, સશાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી, એવી સતશ્રદ્ધા-સાચી શ્રદ્ધા જ હોય છે. આવી સત્ શ્રદ્ધા હોય તે જ તે બેધને “દૃષ્ટિ' નામ ઘટે છે. - દષ્ટિ” એટલે દર્શન–દેખવું તે છે. આમાં નિપ્રત્યાયપણું હોય છે, કોઈ પણ આડખીલી હોતી નથી, એટલા માટે તે “દર્શન” અથવા “દષ્ટિ” કહેવાય છે. પછી ભલે આ ચેડી ઉઘડી હેય કે ઝાઝી ઉઘડી હોય, પણ તે ખૂલતાં જે કાંઈ દષ્ટિ એટલે દેખાય છે તે દેખાય છે, દીઠું એટલે બસ દીઠું, તેમાં કોઈ પ્રત્યવાય દર્શન નડતો નથી. આમ “દષ્ટિ” એટલે “દર્શન” એમ કહ્યું તે યથાર્થ છે. આ બરાબર સમજવા આંખનેચર્મચક્ષુને દાખલો લઈએ:આંખ બંધ હોય તો કાંઈ દેખાતું નથી, પછી આંખ જરાક ઉઘડે તે પાસેનો પદાર્થ ઝાંખો ઝાંખો દેખાય છે, પછી વધારે ઉઘડે તે તેથી વધારે દેખાય છે, એમ જેમ જેમ આંખ ખૂલતી જાય છે, તેમ તેમ વધારે ને વધારે દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ આંખ અરબસ્કૃત્તિ થાશાતા–અસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકી જવાપણાથી). એટલે કે તેવા પ્રકારની શ્રાદ્ધતાથી-શ્રદ્ધાનંતપણાથી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિના વ્યાઘાતથી-અટકી જવાપણાને લીધે, શું? તે કે wવૃત્તિપાવા–સત પ્રવૃત્તિપદને આણનારે, લાવનારે. એટલે શાસ્ત્રથી અવિરુદ્ધ એવા પ્રવૃત્તિપદને આણી આપનાર. અદ્યસંવેદ્યપદના પરિત્યાગવડે કરીને સંવેદ્યપદ પમાડનાર એમ અર્થ છે. સ્થિર આદિ દૃષ્ટિનું વેદ્ય પદરૂપપણું છતાં આના સામાન્ય લક્ષણપણાને લીધે એમ પણ અદેષ છે. અથવા સત પ્રવૃત્તિપદ એટલે પરમાર્થથી શૈલેશીપદ છે. એટલે આ દષ્ટિના તતપદા વહાણમાં–તે પદ પમાડવાપણામાં કોઈ દેષ નથી. - ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy