SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય માદિ ધાગાયુતને થયે, ખેદાદિ પરિહાર; અષાદિ ગુણસ્થાન આ, સંત સંમત કમવાર ૧૬. અર્થ –બેદ આદિના પરિહારથી–ત્યાગથી યમ આદિ યોગથી યુક્ત એવા જનોને અનુક્રમે અષાદિ ગુણનું સ્થાન, એવી આ દષ્ટિ સંતોને સંમત છે. વિવેચન જે આ આઠ દષ્ટિ કહી, તે અનુક્રમે યમ-નિયમ વગેરે ભેગના આઠ અંગથી યુક્ત ગીઓને હોય છે. એટલે કે-(૧) જ્યાં યોગનું પ્રથમ અંગ યમ હોય, ત્યાં પ્રથમ મિત્રા દષ્ટિ હોય છે, જયાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી ૮ ચોગાંગ તારા દષ્ટિ હોય છે. એમ યાવત્ આઠેનો પરસ્પર સંબંધ સમજવો. ૮ ચિત્તદોષ તેમ જ-(૨) ખેદ, ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના દુષ્ટ આશય-ચિત્તવૃત્તિ ૮ ગુણ છે, તેનો ત્યાગ કરવામાં આવતાં, અનુક્રમે યેગનાં આઠ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા ખેદ દોષનો ત્યાગ થતાં, યોગનું પહેલું અંગ યમ અને પહેલી મિત્રા દષ્ટિ હોય છે, બીજા ઉદ્વેગ દોષનો ત્યાગ થતાં, યેગનું બીજું અંગ નિયમ અને બીજી તારા દૃષ્ટિ હોય છે, ઈત્યાદિ. અને (૩) આ આઠ દૃષ્ટિ અનુકમે અષ, જિજ્ઞાસા વગેરે ગુણનું સ્થાન છે. એટલે પહેલા અદ્દેષ ગુણ પ્રગટ્ય પહેલી મિત્રા દષ્ટિ હોય છે, બીજો જિજ્ઞાસા ગુણ પ્રગટ્ય બીજી તારા દષ્ટિ હોય છે. આમ થાવત્ આઠેને સંબંધ જોડવો. “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः। युक्तानि हि चित्तानि प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥" ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, બ્રાંતિ, અન્યમુદ્દ, ગૂ (રોગ) ને આસંગથી (આસક્તિ) યુના ચિત્તને પ્રતિમાનું નિશ્ચયે કરીને પ્રપંચથી વજે-છેડી દીએ. તેથી એમ, વાલપરદાતા–તે ખેદ આદિના પરિવારથી-યાગથી પણુ ક્રમે કરીને આ દષ્ટિ આઠ પ્રકારની છે. આ દષ્ટિ અવવિગુનાનં–અષાદિ ગુણનું સ્થાન છે એટલા માટે પણ એમ છે, કારણ કે આ પણ આઠ છે. કહ્યું છે કે – “કો સાલ સુબુir શાળવવમીમાંસા: | परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे ॥" ૧. અષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રષા, ૪. શ્રવણ, પ. બેધ, ૬. મીમાંસા, ૭. પરિશુદ્ધ પ્રતિપત્તિ, ૮. પ્રવૃત્તિ-એમ તત્વમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ સામે-કમે કરીને જુવા--આ સદ્દષ્ટિ, સતાં-સંતને, મુનિઓને-ભગવત્ પતંજલિ, ભદંત ભાસ્કરબંધુ, ભગવત્ અંતવ (?) આદિ યોગીઓને, માતા-ઈષ્ટ-સંમત છે. અને એનું સાકલ્ય–સંપૂર્ણ વિસ્તાર પ્રત્યેક દષ્ટિમાં અમે દર્શાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy