SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યાગાદિનું સામાન્ય કથન આથી ઉલટું, અભ તે નલ જેવા-બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કઈ કાળે સંવેગરૂપ માધુર્ય નીપજતું નથી. “નલ’–બરૂ તો સાવ નીરસ હોય છે. એટલે એને ગમે તેટલે પલે તો પણ તેમાંથી રસ નીકળતો નથી, તો પછી તેમાંથી અભવ્યો મીઠી સાકરની પ્રાપ્તિ તે કયાંય દૂર રહી ! તેમ આ અભો પણ અપાવ તેવા જ નીરસ, કેરાધાકડ” હોય છે, તેમને ગમે તેટલા બોધથી પણ પરમાર્થ પ્રેમરૂપ રસ ઉપજતું નથી, તે પછી સંવેગરૂપ મીઠી સાકરની આશા કયાંથી હોય? આવા અભવ્ય ભલે પરમાર્થ પ્રેમ વિનાની નીરસ–સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તો “ખૂબ શાસ્ત્રો ભણું મોટા પંડિત શ્રતધર બને, પણ તેઓ પોતાની પ્રકૃતિને કદી છોડતા નથી, -ગોળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિં તેમ. કારણ કે તેઓના હૃદયમાં અંતરાત્મામાં કરી પણ પરમાર્થ રસનો અંકુર ફુટતો નથી. આમ હોવાથી તેઓ મેક્ષમાર્ગ પામવાને સર્વથા અગ્ય છે, એટલા માટે જ તે “અભય” કહેવાય છે. એટલે અથપત્તિન્યાયથી તેવા પુરુષે આ મિત્રા વગેરે દષ્ટિ પામવાને પણ યોગ્ય નથી હોતા, કારણ કે જે તે પામે તે તે “અભવ્ય” કયાંથી રહે? આ મિત્રા વગેરે દષ્ટિ પામે તે ભવ્ય જ હોય, અભવ્ય હાય જ નહિં. – પરિણામી આત્મામાં જ યોગદષ્ટિનું ઘટનાનપણું – આમ જૂદી જૂદી દષ્ટિઓનું તેવા તેવા પ્રકારે પરિણમન થતાં થતાં, અવસ્થાઓ બદલાતાં બદલાતાં, શુદ્ધ આત્મારૂપ વસ્તુને આવિર્ભાવ થાય છે, પ્રગટપણું સિદ્ધ થાય છે. આ ઉપરથી વળી આ ફલિત થાય છે કે (૧) જે સર્વથા અપરિણમી-પરિણામ નહિં પામતે એ આત્મા માને છે, એવા અપરિણામી આત્મવાદમાં આ કહ્યો તે દષ્ટિભેદ ઘટતો નથી. તેમ જ, (૨) જે સર્વથા ક્ષણિક એવો આત્મા માને છે, એવા ક્ષણિક આત્મવાદમાં પણ ઉક્ત દષ્ટિભેદ ઘટતા નથી. કારણ કે તેમના જ અભિપ્રાય પ્રમાણે, તથા પ્રકારનું ભવન-પરિણમન ઘટતું નથી. તે આ પ્રકારે : ૧. જે સર્વથા અપરિણમી એટલે એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તો ઉત્તરોત્તર દષ્ટિને લાભ કયાંથી થશે ? તે તે દષ્ટિએ તથારૂપ પરિણમન વિના સંભવતી નથી, એટલે અપરિણામી આત્મામાં તથારૂપ પરિણમન વિના તે તે એકાંત અપરિ- દષ્ટિ ક્યાંથી આવે ? માટે કાં તો પરિણમી આત્મા માનવો પડશે, ગામી વાદ ને કાં તો આ યોગદષ્ટિ લાભ છેડી દે પડશે. અને આ લાભ જે અયુકત જતો કર્યો, તે પછી આ અપરિણામવાદીનું યોગમાર્ગમાં સ્થાન કયાં રહેશે ? તેઓએ મુક્તિ અર્થે કપેલે ગમાર્ગ પણ “ક૯પનામાત્ર ___* "ण मुयइ पयडिमभव्यो सुट्ठवि अज्झाइऊण सत्थाणि । જુહુર્તા િવિવંતા guળયા બિઘિતા હૈંતિ છે”—શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy