SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮ ) યોગદષ્ટિસમુચ્ચય શંકા-સમાધાન, શંકા–સદષ્ટિપણું–સમ્યગદષ્ટિપણું તો ગ્રંથિભેદ થયા પછી હોય છે, અને તે ગ્રંથિભેદ તો હજુ આગળ ઉપર ઘણા લાંબા વખત પછી થવાનો છે, કારણ કે તે તે પાંચમી દૃષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તો મિથ્યાદષ્ટિ છે, તો પછી “સદ્દષ્ટિનીસમ્યગદષ્ટિની” આઠ દષ્ટિ એમ કહેવાનું શું કારણ? સમાધાન–જે મિત્રા વગેરે ચાર દષ્ટિઓ છે, તે સમ્યગદષ્ટિના અમોઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રા વગેરેનું પણ સમ્યગ્રષ્ટિપણું ઘટે છે, એટલે જ એને સમગૂદષ્ટિની અંદર ગણે છે. આ સમજવા માટે આ દષ્ટાંત છે – શુદ્ધ સાકરના ચોસલાની–ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાઓ પણ કામની છે. કારણ કે તે ખડી સાકર બને છે, તે કાંઈ એમ ને એમ બની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું શેરડીમાંથી પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે:-(૧) પ્રથમ તો સાકર-દષ્ટાંત શેરડી હોય, (૨) પછી તેને રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને કાવે બનાવાય, (૪) તેમાંથી ગોળ બને, (૫) ત્યાર પછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને, (૭) અશુદ્ધ સાકરના ગઠ્ઠા-પિંડા થાય, (૮) એને છેવટે શુદ્ધ સાકરના ચોસલા–ખડી સાકર (Refined crystallised sugar) બને. આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી (Various processes ) પસાર થવું જ પડે છે. તેમાં શેરડીથી માંડીને ગોળ બનવા સુધીની ચાર અવસ્થાઓ બરાબર મિત્રા વગેરે પહેલી ચાર દષ્ટિઓ છે. અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાઓ બરાબર સ્થિરા વગેરે છેલ્લી ચાર દષ્ટિઓ છે. એટલે જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની-કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા દષ્ટિ વગેરે અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપગની છે; કારણ કે તે સમ્યગદષ્ટિનું કારણ થાય છે. આમ મિત્રા વગેરે દષ્ટિને અત્રે યોગદષ્ટિમાં પોતપોતાનું યથાયોગ્ય સ્થાન છે જ. આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર! ઈશુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની–મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તે રસ કયાંથી નીકળે? રસ ન હોય તે ગેળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજે? પણ આ મિત્રા વગેરે તો શેરડી વગેરે જેવી હેઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સંવેગની મધુરતાનો અનુભવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy