________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
( ૭૭ ) આલંબન સાધન જે ત્યાગે, પરંપરિકૃતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.....વિરજીને ચરણે લાગું”
–ગિરાજ આનંદધનજી ૩. પરોપકારિપણું યથાભવ્યત્વ પ્રમાણે–આ પરમ સતપુરુષ, પરમ સદગુરુ, પરમકૃપાળુ દેવ પછી પિતાના કર્મ ઉદય પ્રમાણે, નિષ્કારણ કરુણાથી જગતજીને શુદ્ધ કલ્યાણમાર્ગનો ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ યોગીશ્વરરૂપ મહામેઘ પરમાર્થ બધામૃતની વૃષ્ટિ કરી, જગત્માં પરમાનંદરૂપ સુભિક્ષ-સુકાળ પ્રવર્તાવે છે,
“ક ઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય રે...બાહુ નિણંદ દયામયી.
પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રે; પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે...શ્રી નમિ.”—શ્રી દેવચંદ્રજી
અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવું જેવું પિતાનું ભવ્યત્વ છે-હેવા ગ્યપણું છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કર્મનું ભોગવવાપણું વગેરે છે, તે યથાયેગ્યપણે ભેળવીને ક્ષીણ કરે છે. જેમકે-શ્રી તીર્થકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલી ભગવાન વગેરે.
અવંધ્ય સતક્રિયા–અત્રે પહેલાની જેમ જ શુદ્ધ આત્માનુચરણરૂપ–આત્મચારિત્રરૂપ અવંધ્ય ક્રિયા હોય છે, અમેઘ-અચૂક મોક્ષફલદાયી ક્રિયા હોય છે. અને આમ આ યોગિરાજ રાજેશ્વર–
ક્ષીણુદેષ સર્વજ્ઞ મહામુનિ સર્વ લબ્ધિ ફલ ભેગીજી,
પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી,
સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહા–ો ગઢ સક્ઝાય
આમ આ આઠ દૃષ્ટિને યથાયોગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ થોડા શબ્દોમાં ઘણું રહસ્ય ચમત્કારિક રીતે બતાવી દીધું. અને તે થોડા શબ્દો પણ પરમ અર્થગંભીર હોવાથી, તેની સ્પષ્ટ સમજણ પડવા માટે સંક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દષ્ટિઓનો સામાન્યપણે કંઈક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તે પ્રત્યેક દષ્ટિનું સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા જેગીને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org