SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણુ ઈષ્ટદેવસ્તવ–આમ આવા વીરને નમસ્કાર કરી અત્રે શાસ્ત્ર પ્રારંભે મંગલરૂપ ઈષ્ટ દેવતાનું ભાવસ્તવ કહ્યું, કારણ કે અન્યને સાધારણ નહિં એવા અસાધારણુ-અનન્ય યથાભૂત ગુણેનું સંકીર્તન કરવું તે ભાવસ્તવ કહેવાય છે, અને અત્રે ઇષ્ટદેવ સ્તવ પણ ભગવાનના જેવા છે તેવા ગુણવાચક વિશેષણ વડે ઈષ્ટ દેવનું ભાવસ્તવ કર્યું છે. આમાં ભગવાનનું ઈષ્ટપણું અતિશયવંત એવા પરમોત્તમ ગુણગણને લીધે છે, અને દેવતાપણું પરમ દિવ્ય ગતિની–મુક્તિની પ્રાપ્તિને લીધે છે. આમ ભગવાન ખરેખરા “ઈષ્ટ દેવ” છે. તેમજ મોક્ષસુખના કારણરૂપ આ ગદષ્ટિ પણ આ વીર પ્રભુએ ઉપદેશી છે, તે ઉપકારની સ્મૃતિ અર્થે પણ અત્રે તે ભગવાનને નમસ્કાર કર્યો છે. “શિવસુખ કારણ ઉપદિશી, ગતણી અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પુઠ્ઠી રે.........વીર જિનેસર દેશના.” –શ્રી યશોવિજ્યકત યોગદષ્ટિસઝાય. પ્રજનાદિ આમ મંગલાચરણ કરી અહીં પ્રજન, વિષય, સંબંધ એ ત્રણ કહ્યા છે. અહીં કહેવાનો વિષય ગ જ છે. સાધ્ય-સાધનરૂપ તે સંબંધ છે. ગ્રંથકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રોજન સંક્ષેપમાં યોગનું કથન કરવું તે છે; અને પરંપરાજન (Remote, Ultimate) મોક્ષ છે, કારણકે શાસ્ત્ર કાર શુદ્ધ આશયથી આ સત્વહિતરૂપ પરોપકાર પ્રવૃત્તિ કરે છે, અને માન-પૂજા–કીર્તિ આદિ કામનાથી રહિતપણે કેવળ શુદ્ધ આત્માથે કરવામાં આવતી આવી શુદ્ધ પ્રવૃત્તિ મેક્ષના અધ્ય–અચૂક બીજરૂપ છે. બીજ હોય તે કાળાંતરે ફાલીફૂલીને વૃક્ષ થાય, તેમ શુદ્ધ આશયથી કરવામાં આવેલી આ સલ્લાસરૂપ પરોપકાર પ્રવૃત્તિના બીજમાંથી પરંપરાએ નિવણ–મેક્ષ ફળની અવશ્ય પ્રાપ્તિ એ શાસ્ત્રકારનું પરંપરાપ્રયોજન છે. અને શ્રોતાઓનું અનંતર પ્રયજન તે આ પ્રકરણના અર્થનું પરિજ્ઞાન થવું-સારી પેઠે સમજવું એ છે, એમનું પણ પરંપરાજન તે મોક્ષ જ છે, કારણ કે પ્રકરણ અર્થના જ્ઞાનથી જેમ ઘટે તેમ ઉચિતપણે અત્રે જ યોગમાં પ્રવૃત્તિ હોય છે, અને આ ગપ્રવૃત્તિ પણ મોક્ષના અવંધ્ય-અચક બીજરૂપ છે, તેમાંથી પણ કાળાંતરે અવશ્ય મોક્ષરૂપ ફળ મળશે જ. “એહનું ફળ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણા પાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.......... સુવિધિ જિનેસર” -- શ્રી આનંદઘનજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy