________________
धर्मबिंदुप्रकरणे सद्यः पश्यत्यमलमतिहन्मेदिनीमध्यमग्नं गंभीरार्थं प्रवचननिधिं भारती तां स्तवीमि ॥ ३ ॥ विदधामि धर्मबिंदोरतिविरलीभूतगर्भपदविंदोः।
भव्यजनोपकृतिकृते यथावबोधं विवृतिमेनाम् ॥ ४ ॥ प्रणम्येति । प्रणम्य प्रकर्षण नखा वंदनस्तवनानुचिंतनादिप्रशस्तकायवाङ्मनोव्यापारगोचरभावमुपनीय । कमित्याह । परमात्मानं, अतति सततमेव अपरापरपर्यायान् गच्छतीति आत्मा जीवः स च द्विधा परमोऽपरमश्च । तत्र परमो यः खलु निखिलमलविलयवशोपलब्धविशुद्धज्ञानबलविलोकितलोकालोकः, जगजंतुचित्तसंतोषकारणं पुरंदरादिसुंदरसुरसमूहाहियमाणप्राચક્ષુમાં આંજવાથી શુદ્ધ અવલક-પ્રકાશને પ્રાપ્ત કરી, નિર્મલ બુદ્ધિ સહિત હૃદયરૂપી ભૂમિના મધ્ય ભાગમાં નિમગ્ન થઈ ગયેલા ગંભીર અર્થવાળા પ્રવચનરૂ૫ રનના ભંડારને તત્કાલ જોઈ શકે છે, તે ભારતી દેવી (શ્રીપરમાત્માની વાણુરૂપ સરસ્વતી)નું હું સ્તવન કરું છું. ૩
હું મારા બોધ પ્રમાણે, ભવ્ય જનના ઉપકારને અર્થે જેમાં સારરૂપ પદ ( નિશ્ચયાત્મક વાક્ય) ના લેશ ભાગ ઘણા વિરલ કરેલા છે એવા આ ધર્મબિંદુ પ્રકરણ નામના ગ્રંથ ઉપર ટીકા કરું છું. ૪
પ્રણમ્ય–એટલે પ્રકર્ષવડે નમસ્કાર કરીને અર્થાત કાયાથી વંદન, વાણથી રતવન અને મનથી ચિંતવન–એવા શ્રેષ્ઠ કાયા, વાણું અને મનના વ્યાપારના વિષયમાં પરમાત્માનું મનન કરીને, પરમાત્મા શબ્દને અર્થ એ છે કે, પરમ–શ્રેષ્ઠ એવો આભ તે પરમાત્મા કહેવાય. આત્માનો અર્થ એવો છે કે, શતતિ કેતાં નિરંતર અન્ય અન્ય પર્યાયને પ્રાપ્ત થાય તે આત્મા એટલે જીવ કહેવાય છે. તે આત્મા-જીવ પરમ અને અપરમ એવા બે પ્રકારને છે. તેમાં જે પરમાત્મા તે કેવલી–સિદ્ધ–અર્હત, અને અપરમાત્મા તે સંસારી જીવ. જે પરમાત્મા છે તે સમગ્ર કમૅરૂપ મલને નાશ કરવાથી પ્રાપ્ત થયેલા શુદ્ધજ્ઞાન-કેવલજ્ઞાનના બલથી લોકાલોકને જેનારા છે, જે આ જગતના પ્રાણીઓનાં ચિત્તને સંતોષનું કારણ છે, ઇંદ્રાદિક ઉત્તમ દેવતાઓના સમૂહ જેમને અષ્ટ પ્રાતિહાર્યરૂપ પૂજાનો ઉપચાર કરે છે, અનંતર સર્વ ભવ્ય પ્રાણુઓની
૧ આ ગ્રંથ સૂત્રાત્મક છે તેથી સૂત્રમાં ઘણાં વિરલ પદ આવે તે માટે ટીકાની આવશ્યકતા છે એમ ટીકાકારો આશય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org