SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૦) દષ્ટિવાળા એવા પ્રમાતા–સપુરૂષોએ ત—તિક્ષેપ-સર્વજ્ઞના અભિપ્રાયનો તિરસ્કાર કે ખંડન કદિ ન કરવું. કારણકે તે પ્રતિક્ષેપ છે તે. મહાન અનર્થને કરવામાં પ્રધાન કારણ છે. ભવિષ્યમાં મહાન દુર્ગતિને દેનાર બને છે. ૧૩૭ના આ વાત દૃષ્ટાંત આપી જણાવે છે. निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः ॥ तद्भेदपरिकल्पश्च तथैवाग्दिशामयम् ॥१३८॥ અર્થ. જેમ આંધળા માણસો ચંદ્રમાનો પ્રતિક્ષેપ-નિષેધ કરે આ અસંગત–અયુક્ત છે, તેમજ ચંદ્રના ભેદની કલ્પના કરવી આ જેમ અયોગ્ય છે, તેવી રીતે વર્તમાન દષ્ટિવાળા જીવોએ સર્વજ્ઞને પ્રતિક્ષેપ કરે તે તેના જેવો છે. ૧૩૮ - વિવેચન. જે વસ્તુ આપણાથી હજારો કેષ દૂર પડી હોય, જેને આપણે જાણતા પણ ન હોઈએ, નજરે પણ ક્યારે જોઈ નથી, આવી વસ્તુ બાબત આપણે તેનો નીકાલ કરવા–ફેસલો આપવા તૈયાર થઈએ આ જેટલી મુર્ખતા છે તેટલી સર્વજ્ઞના અંગે તેઓની દેશના વિગેરેમાં તર્કવિર્તક કરવા તે પણ એટલી મુર્ખતા છે. આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે કે કેટલાક આંધળા માણસે છે, કે જેઓને જન્મથી ચક્ષુઓ નથી. તેમજ ચંદ્રમાને પણ ક્યારે જોયે નથી આવા અંધ માણસો ચંદ્રમા બાબત કલ્પના કરે કે ચંદ્રમા વાંકે છે, ગોળ છે, ચતુરસ્ત્ર છે, તેમજ ચંદ્રમા છેજ નહિ, આ વિગેરે ભેદની કલપના તથા તિરસ્કાર કરવો કે ચંદ્રમા છેજ નહિ, આ જેમ અસંગત છે–અગ્ય છે, તેટલું જ વર્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy