SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કિયા કરે છે ત્યારે વિદને પણ ભાગ્યોદયથી પિતાની મેળે ચાલ્યા જાય છે, વિદને ચાલ્યા જવાથી શુભ ભાવની વૃદ્ધિ થતા પુણ્યની પણ વૃદ્ધિ થાય છે, તેમજ સત્ ક્રિયામાં પ્રવૃત્તિ કરતાં જ્ઞાન દશનાદિ રૂપભાવ લક્ષમી પણ પ્રાપ્ત થાય છે, તથા પિતાને ઈષ્ટ એવી પ્રભુની પૂજા વિગેરે સ૬ અનુષ્ઠાન કરવાની પ્રબલ ઈછા કરવી તે જીજ્ઞાસા, તે પછી તે કાર્ય કરવું તેઓની સેવાભક્તિ કરવી તે “તનિસેવા ” ચશબ્દથી તે અનુષ્ઠાનો ઉપર હદયની લાગણી રાખવી આ અનુષ્ઠાન ક્રિયાનું લક્ષણ છે, આનાથી ભાવિ ઘણોજ પુણ્યનો બંધ પડે છે, અને પરંપરાએ મોક્ષ મેળવી આપે છે. ૧૨૧ બુદ્ધયાદિ બોધથી કરાતા અનુષ્ઠાનોના ફળ કહે છે. बुद्धि पूर्वाणि कर्माणि सर्वाण्येवेहदेहिनाम् । संसार फलदान्येव विपाकविरस स्वतः ॥१२२॥ અર્થ. બુદ્ધિ, જ્ઞાન, અને અસંમોહ, આ પ્રમાણે ત્રણ પ્રકારનો બોધ પ્રથમ જણાવી આવ્યા છીએ, હવે આ ત્રણ પ્રકારના બંધનું ફલ જણાવે છે, આમાં પ્રથમ બુદ્ધિ બેધનું ફલ કહે છે, આ બોધ પુગલીક વસ્તુની પ્રાપ્તિરૂપ હોવાથી તેના ગુણ દોષનું જ્ઞાન આ જીવમાં ન હોવાથી પુદ્ગલીક વસ્તુ તરફ અત્યંત આસકિત કરવાથી, બુદ્ધિપૂર્વકના જે જે શુભાશુભ કર્મો કરે છે તે સમગ્ર કર્મો, સામાન્ય પ્રકારે લોકમાં મનુષ્યને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવા રૂપ ફલને આપે છે, કારણ કે શાસ્ત્રપૂર્વક તે પ્રવૃત્તિ ન હેવાથી, તેમજ પરિણામે મહાદારૂણ વેદના વિપાકે વિરસા હેવાથી. નિચે કરી મનુષ્યને ભેગવવી પડે છે ૧રરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy