SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) અર્થ. જેવી રીતે ખરજવાલાને ખરજ ખણવામાં જે બુદ્ધિ છે-લની લાગી છે, તેવી બુદ્ધિ બસ દૂર કરીને સુખી થવામાં નથી. તેવી રીતે ભવાભિનંદિ જીવોની બુદ્ધિ ભેગના જે અંગ છે. સ્ત્રી, વસ્ત્ર, ગંધ. સુંદર આહારાદિ વિગેરે મેળવવા જે લગ્ની લાગી છે, તેવી ભેગની ઈચ્છા મૂલથીજ નાશ થાય તેના માટે પ્રવૃત્તિ કરતા નથી. ૫૮૧ વિવેચન. ભવાભિનંદ જીવનું સ્વરૂપ દ્રષ્ટાંતથી જણાવે છે કે. કોઈ એક ખસ-ખરજવાળો જીવ તેને ખરજ ઘણી આવવાથી ખુબ નખવડે આંગળાને ખણવા લાગ્યા, આખરે નખે પણ ક્ષીણ થઈ જવાથી ખરજને ખણવા સારૂ સાંઠીની શોધમાં ફરે છે, પણ તે જે જગ્યાએ રહે છે ત્યાં રેતીવાળી જમીન હેવાથી ખણવા માટે સાંઠી ન મળી. એટલામાં ભિક્ષાપુટિક, તથા ઔષધ આપીને ગ્રહણ કરેલ છે ઘાસને પળે જેણે એવા વૈદ્યરૂપ વટેમાર્ગનું દર્શન થયું, આ ખરજવાળા માણસે તેની પાસેથી એક તૃણ-સાંઠીની માગણી કરી. તેણે એક સાંઠી આ માણસને આપી, આમાણસ હૃદયથી ઘણોજ ખુશી થયો અને વિચારવા લાગ્યો કે ધન્ય છે આ માણસને, કે જેની પાસે આટલા બધા કડ્ડયન-ખરજ ખણવાની સાડીઓ છે, પછી તેણે આ વટેમાર્ગુને પુછ્યું,ભાઈ આટલા બધા કયને કયાં મળે છે, તેણે જવાબ આપે કે લાટ દેશમાં, પણ તને આની જરૂર શું છે? આ માણસે ઉત્તર આપે કે ખરજ ખણવાને વિદઆથી કરવાનો છે, પથિક કહે છે કે જે આમ છે તે પછી કંડુનેની–સાંઠીઓની જરૂર શું છે–તારી ખરજ સાત રાત્રિમાંજ દૂર કરી દઉ, ત્રિફલાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy