SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૭૯ અને કેશરિયાજીમાં આપના નામે મોટી સંસ્થાઓ - ગુરુકુળ ચાલે છે. આપે લાખનું દાન તે માટે કર્યું છે. પંડિત રામચંદ્રજી આપના જમણ હાથ હતા. સ્વ. મુનિશ્રી ૧૦૮ વૃષભસાગરજી ઈડરના ચંદુલાલ કાલિદાસ દેશી. સ્વ. શ્રી વર્ધમાનસાગરજી બ્ર. ચુનીલાલ દેશાઈ રાજકોટ સ્વ. શ્રી ૧૦૫ આદિસાગરજી ભિલોડાના લલભાઈ છે , ઉદયસાગરજી પેથાપુરના ચુનીલાલ શાહ ક્ષલક શ્રી ૧૦૫ સમતાસાગરજી તાલેદના અમૃતલાલ કેશવલાલ (માજી સ્ટેશન માસ્તર ) શ્રી ૧૦૫ આર્થિક જ્ઞાનમતિજી પેશીનાનાં કંચનબેન સ્વ. બ્ર. મૂળશંકર દેસાઈ રાજકેટ ચુનીલાલ ગુલાબચંદ ગાંધી સોનાસન , કેશવલાલ ગુલાબચંદ ગાંધી તલોદ બ્ર. કેશવલાલ વાસણું બ, રમણલાલ મગનલાલ લાકડિયા બ્ર. કપિલભાઈ તલકચંદ કોટડિયા હિંમતનગર બ્ર. મણિલાલ વીરચંદ ગાંધી સરડાઈ બ્ર. કચરાલાલ વેણીચંદ શાહ ઈડર સ્વ. બ્ર. મગનલાલ કાલિદાસ કડિયાદરા સ્વ. લક્ષ્મીચંદ ગુલાબચંદ ગોરલ. બ્ર. સમુબેન ઈડર બ્ર. બબુબેન પ્યારચંદ વિજયનગર બ્ર. નાનીબેન સંધવી સીતવાડી. ઈડર સ્વ. બ્ર. મૂળશંકર દેસાઈ આપ બ્રહ્મચારી ચુનીલાલના મોટાભાઈ છે. આ૫ કલકત્તામાં એક મુસ્લિમને ઘેર નોકરી કરતા હતા ત્યારે મોટા વણજીને સાંભળવા દર શનિવારે ઈસરી જતા હતા. તેમાંથી વૈરાગ્ય થય ને બ્રહ્મ ચર્યની પ્રતિમાનાં વ્રત લીધાં ને તરત જ આજીવન નમકને ત્યાગ કર્યો. શાકભાજીમાં દૂધી અને ગવાર માત્ર વાપરતા હતા. સારા વક્તા હતા. અનેક ગ્રંથની રચના કરી સ્વખચે છપાવ્યા છે. તેમને બે દીકરા છે જે કલકત્તામાં સ્વતંત્ર ધંધો કરે છે. ધર્મ પ્રચાર માટે અનેક સ્થળોએ વિહાર કર્યો અને પ્રવચને મારફતે ધર્મના મર્મ અનેકને સમાવ્યાં. આપ એકાંતમતના પ્રખર આલેચક હતા. સ્થાનકવાસી સંપ્રદાયમાંથી આવેલ હોઈ આપની ચર્યા અણીશુદ્ધ અને કડક હતી. જરાયે શિથિલતા જોવા ન મળે તેવી જાગૃતિ તેઓ રાખતા. રાજકોટમાં તેમને સ્વર્ગવાસ થયો હતો. બ્ર. મણિલાલ વીરચંદગાંધી મેડાસાની પાસે સરડોઈ ગામે ૧૯૭૭ની આસો માસમાં જન્મ થયેલે. નાનપણથી જ ધર્મના સંસકાર હતા તેથી મૌનથી ભોજન કરવું ને વ્રતાદિ કરવાની આદત બની ગયેલી. ધર્મ ચર્યા સિવાય કઈ વ્યસન નહિ. ઘરમાં છે છતાં દિલ ઘરમાં નથી. ચાળીસ વર્ષથી પગરખાંને ત્યાગ છે. ૨૫ વર્ષથી વાહનને ત્યાગ છે. પંદર વર્ષથી બ્રહ્મચર્યથી રહે છે. ઘઉં – બાજરી - મકાઈને યમરૂપ ત્યાગ છે. હાલ ગેળ, કેળાં અને મગફળી ઉપર નભાવે છે. દરરોજ એકાસણુને નિયમ છે. ૧૨૩૪ ઉપવાસનું વ્રત પણ ચાલે છે. અપાનિકા, દશલક્ષિણી, સોળ સકારણ તે પાર પડી ગયાં છે. વેપાર ધંધો બંધ જે છે. બધી માત્રાઓ કરી લીધી છે. અલ્પનિદ્રા હોવાથી ધ્યાનમાં વધુ સમય આપે છે, જીવનચર્યા નિર્મોહી મુનિ જેવી છે. સરડોઈમાં આચાર્ય સુમતિસાગરજીને સંઘ સમક્ષ સાતમી પ્રતિમાનાં વિધિસર વ્રત લીધાં છે ને વહેલી તકે દિગંબરી દીક્ષાની ભાવના છે. ગુજરાતના અન્ય દિગંબર મુનિઓ અને અનુયાયીઓ સ્વ. મુનિશ્રી ૧૦૮ ધમકીર્તિજી ભાવનગરના કાંતિલાલ ધામી - અ આ ઇ સુપાર્શ્વ સાગરજી સામેરાના કચરાલાલ પાનાચંદ , વિજયસાગરજી ઈડરના દેવચંદ નાથાલાલ મુનિશ્રી ૧૦૮ શીલસાગરજી ગેરલના પાનાચંદ નાથાલાલ કુથુસાગરજી કડિયાદરાના કચરાલાલ હેમચંદ સમાધિસાગરજી દાહોદના રાજસ્થાનના મનસેર ગામમાં હરખચંદ ચૂડીવાડની અણીબાઈ નામની પત્નીથી આપને ૧૯૮૫ના ફાગણ સુદિ ૯ ને રાજ જન્મ થયો. નામ પાડયું ભંવરીબાઈ. ૧૨ વર્ષની ઉંમરે લગ્ન થયું, નાગૌરના ઇન્દ્રચંદ્રથી પણ ત્રણ માસમાં પતિને ચિર વિગ થયે. ધર્મધ્યાનના સંસ્કાર હતા તેથી ૨૦૦૬માં ઇન્દુમતી માતાજીથી લવણત્યાગ સાથે સાતમી પ્રતિમા ગ્રહણ કરી અને ૨૦૧૩માં આચાર્ય વીરસાગરજીથી ખાનિયામાં આર્થિકા દીક્ષા લીધી. આપે સતત લગન અને નિષ્ઠાથી અધ્યયન કરી સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ, તિષ આદિ સર્વને આગળ કર્યા છે. આપ બીરબલ સમાન હાજરજવાબી છે. પ્રભાવશાળી ધારાપ્રવાહી વક્તા છો. તંત્રમંત્રના જ્ઞાતા છે. વિદ્વત્તા, ગંભીરતા, શાસ્ત્ર પારંગતતાને કારણે ભલભલા વિદ્વાને પણ આશ્ચર્યચકિત છે. આપ જાણે સાક્ષાત્ સરસ્વતી હે તેવી આપની પ્રતિભા છે. વાત્સલ્યમૂર્તિ સમા આપે અનેકને વ્રત આપી, અધ્યયન કરાવી સન્માર્ગે વાળ્યાં છે. કોઈ શાસ્ત્રીય પરીક્ષા આપે આપી નથી છતાં આપ ન્યાયાચાર્ય જેવી પદવી પ્રાપ્ત થાય તેવું શિક્ષણું આપી શકે છે તે જ આપના સાતિશય પુણ્યશાળી જીવનને પુરાવો છે. આપે બિહાર-બંગાળ અને આસામને ધર્મઉદ્યોતથી ઝગમગ કર્યો છે. નાદુરસ્ત તબિયત છતાં આપ અથક ધ્યાન અને અધ્યયનમાં ડૂબેલાં રહે છે. અધ્યાપન તે આપનું વ્યસન છે. આપ અભુત પ્રતિભાનાં ધની છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy