________________
સંદર્ભ ગ્રંથ ભાગ-૨
૭૫
તાર્થ કરવા ૨૦૧૪ માં જયપુરમાં મુનિદીક્ષા લીધી. પેશાબના દર્દીને ઘર ઉપસર્ગ જીતીને આત્મસાધનાની કસોટીને અપૂર્વ રીતે ચમકાવી. આપે “યથા નામ તથા ગુણ'ની કહેવત અનુસાર અનેકને શ્રતામૃતનું પાને કરાવી આપનું નામ સાર્થક કર્યું છે.
મુનિશ્રી શ્રેયાંસસાગરજી (વર્ધ)
જિનદાસ નારાયણચ વડેના હિસા સાવજને પુત્ર પ્રાપ્ત થયો નામ પાડયું રત્નાકરજી. જન્મતારીખ છે ૩૧-૧૨-૨૦, ભાગલપુરમાં સાતમી પ્રતિમા ગ્રહણ કરી. ૮-૪–૭૪ ને રોજ દેહગામે મુનિદીક્ષા લીધી. સરલ પરિણામ અને મંદ કલાથી હાઈ સર્વત્ર આપને આદર થાય છે. આપને પત્ની રત્નમાલાથી વિજયા નામની દીકરી થઈ જે સુશિક્ષિત છે. મેસને ધંધો કરતા હતા જે આજ કુટુંબીજને પણ તે જ કરે છે. ૨૦૩૨માં આપે ઈડરમાં ચાતુર્માસ કરેલ. ૨૦૩૫માં ગુરુઆદેશથી આપ આચાર્યક૫ બન્યા.
૨૫૦ માં ઈડરમાં ચોમાસુ કર્યું ત્યારે આપની સાથે સાત મુનિ હતા. તેમના સાંનિધ્યમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા થઈ અને ઘણી ધર્મ પ્રભાવના થઈ. ઈડરના દેવચંદભાઈએ દીક્ષા લીધી ને બીજા કેટલાક વ્રતી બન્યા. શ્રી કપિલભાઈ કોટડિયાએ સપ્તમી પ્રતિમાનાં વ્રત આપથી લીધેલ છે.
આચાર્યા વિદ્યાસાગર બેલગાંવના સદગલા ગામે શ્રી મલપ્પાજીને ત્યાં શ્રીમતીજીને કુખે ર૦૦૩ના આસો સુદિ ૧૫ ને દિને બાળક થયું તેનું નામ પાડયું વિદ્યાધર. કનડભાષી વિદ્યાધરે ઉપદેશામૃત ચારિત્રચક્રવતી શાંતિસાગરજીથી પીધાં. અને બ્રહ્મચર્ય પ્રતિમાનાં વ્રત આચાર્ય દેશભૂષણથી લીધાં, પણ અભ્યાસ કરવાની ઇચ્છાથી તેઓ અજમેર આવ્યા ને ત્યાં જ્ઞાનના સાગર એવા ગુરુથી સર્વ અનુગોને અભ્યાસ કર્યો અને પૂર્ણ શાસ્ત્રજ્ઞ બન્યા. યોગ્યતા જઈ ગુરુએ ૩૦-૬-૬૮ ના રોજ મુનિદીક્ષા આપી. ગુરુએ પિતાની હયાતીમાં ' જ યુવાન છતાં ચારિત્રના પાક્કા હોઈ તેમને નસીરાબાદમાં ૨૧-૧૧-૭૨ના રોજ આચાર્ય પદ અર્પણ કર્યું. ચરિત્રનાયકના બે ભાઈઓમાં એક મુનિ છે ને બીજા શુલ્લક છે. પિતા મુનિ છે ને માતા આર્થિકા છે. બહેન પણ આર્થિકા છે. ઘેર એક ભાઈ માત્ર રહે છે. આમ સમગ્ર કુટુંબ જૈનધર્મના ત્યાગ માગે વિચરી રહેલ છે. આચાર્ય શ્રીમાં આશુ કવિત્વ અને પ્રત્યુત્પન મુનિત્વ છે. આપે પોતાના ગુરુની જેમ સંસ્કૃતમાં ગ્રંથો લખવાનું કામ પણ કર્યું છે. આપે હિંદી અનુવાદનું કામ કરી હિંદીભાષી જીવે ઉપર ઉપકાર કર્યો છે, સમણુસૂત્રને જૈનગીતાના નામથી અનુ-વાદ કરી આપે હિંદવ્યાપી કીર્તિ સંપાદિત કરી છે. પકકા અનુશાસનના આગ્રહી હોઈ આ૫ પૂર્ણ પરીક્ષા પછી જ દીક્ષા આપે છે. શુદ્ધ ચરિત્રનાં આચારનાર ત્યાગીજન તરીકેની સુંદર છાપ ઉભી કરી છે. આપનાથી ધર્મ ઉદ્યોતની ઘણું શકયતાઓ છે.
શ્રી આચાર્ય કલ્પકૃતસાગરજી બિકાનેરમાં ૧૯૬૨ની ફાગણ વદિ ૧૫ ને દિવસે આપને ગજજો- -આઈની કુખે શ્રી છોગામલજીને ત્યાં જન્મ થયેલ. ગોત્ર ઓસવાલ
વેતાંબર સંપ્રદાયના, ઘેર કાપડને મોટા ધંધે હતો. ધંધાને કારણે શિક્ષણ તરફ લક્ષ અપાયું નહિ; પણ કુશળ અને સન્માનિત વેપારી બન્યા જેને પ્રભાવ આપ પર પડયો, મકાનના ભાડૂત દરજીની પ્રેરણાથી આપનાં માતાપિતા દિગંબર જૈન ધર્મમાં આસ્થાવાળાં બન્યાં જેને પ્રભાવ આપ પર પડ્યો. કલકત્તામાં પં. મખનલાલ દ્વારા ધાર્મિક શિક્ષા પણ તેથી આપે લીધી. સામાન્ય બીમારીમાં પિતાજી ચાલ્યા, બાપા પછી માતા પણ ધર્મ પરાયણતામાં પરલેકવાસી બન્યાં. ૨૦૦૯માં આચાર્ય વરસાગરનાં ઈસરામાં દર્શન કર્યા બાદ આપ આશ્રમમાં આવી રહેવા લાગ્યા ને બે વર્ષ બાદ બ્રહ્મચારી બની કારતક સુદિ ૧૩ - ૨૦૧૧ના દિવસે ક્ષુલ્લકપદ ધારણ કર્યું. તે દરમ્યાન સુસંગતિથી તેઓ વિદ્વાન બની ચૂક્યા હતા ને જ્ઞાનને ચારિત્રમાં ચરિત
એલાચાર્ય મુનિશ્રી વિદ્યાનંદજી વિશ્વધર્મની જય ગુંજતી કરનાર શ્રી વિદ્યાનંદજી હાલ એક પ્રભાવશાળી સંત શિરોમણિ છે. તેમને જન્મ ૨૫-૪-૨૫ને રોજ શેડવાલ ગામે થયેલો. કલિચંદ ઉપાધ્યાય અને સરસ્વતીદેવી તેમનાં માતાપિતા છે. બાળક સુરેન્દ્ર બ્રહ્મચર્યનાં વ્રત ૧૯૪૫માં મહાવીર કીર્તિથી લીધાં. “સમસ્ત વસુધા એક કુટુંબની ભાવના લઈને તેઓ ચાલે છે જેથી તેમના પ્રવચનમાં સર્વ જાતિ સંમેલનને ભાસ થાય છે. માનવમાત્ર માટે ઉપયોગી વાણીનું ઝરણું તેમના મુખારવિંદમાંથી ઝરે છે. સ્વાધ્યાય સાથે સાહિત્યસૃજનની ક્રિયા પણ અહર્નિશ ચાલે છે ને તેથી તેઓની શ્રુતસેવા પણ નોંધપાત્ર છે. અત્યાર સુધી પછી કમંડળ જેવી ૩૦-૩૫ રચનાઓ આકર્ષક ઢંગની પ્રગટ થઈ ચૂકી છે. મોહક વ્યક્તિત્વ વડે અનેક રાજનીતિજ્ઞા અને રાજ્યકર્મચારીઓને પણુ આકર્ષ્યા છે જે વડે તેમણે જૈન ધર્મની પ્રભાવનાનાં અનેક કામે સંપન્ન કરાવ્યાં છે. આકાશવાણીને ધર્મ પ્રચારમાં જે ફાળો છે તે તેમને જ આભારી છે. આચાર્ય તુલસીની જેમ આપની દૃષ્ટિ રાષ્ટ્રીય ચારિત્રને નિર્મલ બનાવવા તરફ છે. બદ્રિનારાયણ સુધીની આપની વિહારયાત્રાએ એક નવીન ઈતિહાસ ખેલ્યો છે. ભયંકર શીતઋતુમાં આપને હિમાલયમાં નિવાસ આપને સહિષ્ણુની કસોટી સમાન બનેલ અને દર્શકોએ ધન્ય ધન્ય મુનિચર્યા કહી. આપનું અધ્યયન ઊંડુ, તલસ્પર્શી અને વિશાળ છે જેથી અનેક દેશવિદેશના વિદ્વાનેને ધર્મની વાત આપ સતર્ક સમજાવી શકે છે અને તેનાથી ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરાવી રહ્યા છે. આપ નવયુવકૅ માટે શ્રદ્ધાસ્પદ ગાઈડ છે. હાલ આપે દક્ષિણમાં થાણું નાખ્યું છે અને ભગવાન બાહુબલિના મહામસ્તકાભિષેકના ઉત્સવને સફળ બનાવવામાં સંલગ્ન છે, ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવની સફળતામાં અને જનમંગળ મહાકળશને પરિવર્તન કરાવવામાં આપને જ વરદ હસ્તે કાર્ય કરી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org