SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અમિતા થયેલાં માપ જુદાં છે પણ જૈન ભૂગોળની વાત – સર્વજ્ઞકથિત છે તેથી તે મિથ્યા કરવાનાં નથી. માત્ર કઈ સાહસિક વરની રાહ જોવાય છે જે પિતાનાં સંશોધન વડે સર્વજ્ઞવચને સિદ્ધ કરશે. શ્રી દિગમ્બર જૈન મુનિના ૨૮ મુખ્ય ગુણ ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીની પરિપાટીએ આચાર્ય દેવ શ્રી કુંદકુંદાચાર્યની આમન્યાયે પ્રવર્તતા દિગંબર મુનિ મહારાજ અઠ્ઠાવીસ મૂળ ગુણ તથા અનેક બાહ્ય ગુણોને ધારણ કરે છે. અને આગમ પ્રમાણિત ધર્મને વંશવેલો ચાલુ રાખી સ્વપરના હિત અર્થે ધર્મની ધુરાને વહન કરતાં થકા મોક્ષ પંથે પ્રયાણ કરે છે. તેઓશ્રીના અઠ્ઠાવીસ મૂળ ગુણને સંક્ષિપ્ત પરિચય – અઠ્ઠાવીસ મુખ્ય ગુણ- ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૫ ઇંદ્રિય – દમન, ૬ આવશ્યક અને શેષ, સાત ગુણ મળી કુલ ૨૮ મૂળ ગુણ હોય છે. મહાવ્રત–પાંચ (૧) અહિંસા-નાના કે મોટા કોઈ જીવની દ્રવ્ય હિંસાને ત્યાગ, રાગદ્વેષ, કામ, ક્રોધ વગેરે ભાવહિંસાને ત્યાગ. (૨) સત્ય – ધૂળ કે સૂક્ષ્મ બંને પ્રકારના અસત્યને ત્યાગ. (૩) અચૌર્ય-ધૂળ (માટી) કે પાણી પણ આપ્યા વગર લેવાને ત્યાગ. ઇન્દ્રિયદમન–પાંચ (૧૧) સ્પર્શ - ચામડીની ૮ પ્રકારની અભિરુચિને વશ ન થવું. (૧૨) રસના – જીભની પાંચ પ્રકારની સ્વાદેન્દ્રિયને વશ ન થવું. (૧૩) ઘાણ – નાકની ૨ પ્રકારની ગંધને વશ ન થવું. (૧૪) ચક્ષુ – આંખને પસંદ પાંચ પ્રકારના રૂપને વશ ન થવું. ( ૧૫ ) કર્ણ – કાનને પ્રિય તથા અપ્રિય સ્વરને વશ ન થવું. આવશ્યક ગુણે-છે (૧૬) સામાયિક – હંમેશા ત્રિકાલ (સવાર, બપોર, સાંજ) સામાયિક કરે છે. (૧૭) વંદન – હંમેશા જિનેન્દ્ર ભગવાનને વંદના કરે છે. (૧૮) સ્તુતિ હંમેશા સાચાદેવ, ગુરુ અને શાસ્ત્રની સ્તુતિ કરે છે. (૧૯) પ્રતિક્રમણ-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રના અંશમાત્રનો ત્યાગ કરે છે. (૨૦) સ્વાધ્યાય – હંમેશા ધર્મશાસ્ત્રને અભ્યાસ કરે છે. (૨૧) કાયોત્સર્ગ - આત્મા અને શરીરને જુદા ગણીને આત્માનું ધ્યાન કરે છે. અન્ય ગુણે-સાત (૨૨) સ્નાન કરતા નથી અને જળકાયના જીવોની હિંસાથી બચે છે. (૨૩) રાત્રિના પાછલા ભાગમાં સ્વચ્છ ભૂમિ ઉપર ફક્ત એક પડખે નિદ્રા લે છે. (૨૪) લેશમાત્ર વસ્ત્રનો ત્યાગ કરે છે. (૨૫) વાળને કેશ લેય પોતાના હાથે કરે છે. (૨૬) અલગ દાતણ કરતા નથી કારણ કે ફક્ત એક જ વખત આહાર અને પાણી લેવાનું વ્રત પાળે છે. (૨૭) સ્વાદમાં રસ લીધા સિવાય, મળે તે ઊભા ઊભા આહાર લે છે. (૨૮) જરૂર કરતાં ઓછો આહાર લે છે. ઉપરના ૨૮ મુખ્ય ગુણે પાળવા ઉપરાંત ૨૨ પ્રકારના પરિષહ સહન કરે છે અને વૈરાગ્યધારી મુનિ શરીર સાથે વૈરાગ્ય ઉત્પન્ન (૪) બ્રહ્મચર્ય-આત્મામાં લીન થઈ શીલના ૧૮ હજાર | દોષો સહિતને ત્યાગ, (૫) અપરિગ્રહ–પીંછી કમંડળ સિવાય સર્વને ત્યાગ. સમિતિ–પાંચ (૬) ઈર્યા– ફક્ત દિવસે જ અપ્રમાદી થઈ ચાર હાથ જમીન જઈ ચાલે છે. (૭) ભાષા– પ્રામાણિક, હિતકારી અને મધુર વચનો બોલે છે. (૮) એષણ– દિવસમાં એક જ વાર શુદ્ધ નિર્દોષ આહાર અને પાણી, ઊભા રહીને હાથના ખોબાથી (૯) આદાનનિક્ષેપણુ—શાસ્ત્ર, પછી અને કમંડળ પિતાની દિનચર્યામાં જમીન જોઈને લે છે અને મૂકે છે. (૧૦) પ્રતિષ્ઠાપન–છવજંતુ રહિત સાફ જગ્યામાં મળમૂત્રને ત્યાગ કરે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy