SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અમિતા.. દિગંબર તીર્થધામે સ્વરૂપી ઘણી વેળા રત્નત્રય આરાધના કરી સમ્યફ ચરિત્ર પ્રગટાવે છે. આ રત્નત્રય પદ-પૂજા મુક્તિ માટે અજોડ અંતરંગ ઉપાય છે. બાહ્ય ઉપાયમાં કર્મભૂમિ, દુઃખમાં સુખમાં કાલ, કિંજવણું જન્મ, શુકલધ્યાન કરવા યોગ્ય શક્તિશાળી વ્રજવૃષભનારા સંહનન, મુનિદીક્ષા, મહાવ્રત સમિતિ, ગુપ્તિ, ઈન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, આત્મધ્યાનની દઢતા માટે ઉપવાસ આદિ બાહ્યતપની પરમ આવશ્યતા છે. આસહકારી કારણ વિના અંતરંગ ઉપાય નિશ્ચય રત્નત્રયની પૂર્ણતા થતી નથી. આ પ્રમાણે આલેચના – ગણદેષને વિચાર કરી અનુકૂલ પરિસ્થિતિમાં અને દુઃખદાયી પ્રતિકૂળ સ્થિતિમાં યથાશક્તિ સદા રાગદ્વેષ રહિત શુદ્ધ આત્માની ભાવના કરવી. સમતાભાવ બનાવો. કપાયભાવ મંદ કરો. ભવ્યજીવોએ હંમેશાં પ્રયત્નશીલ રહેવું. રાગદ્વેષ આદિ કષાયથી રંગાએલો આત્મા શુદ્ધ સ્વરૂપને વિચારી શકતો નથી. જેવી રીતે ગળીના રંગ પર કંકુનો રંગ ચઢતે નથી. કષાયભાવોને દબાવવા – જેથી આત્મા વિવેકપૂર્વક કાર્ય કરી શકે. ઈચ્છા રહિત થવું આત્મહિત છે. તીર્થક્ષેત્ર, સિદ્ધક્ષેત્ર અને અતિશયક્ષેત્ર એમ ત્રણ પ્રકારનાં ધામ હોય છે. મહાપુરુષોની ઉત્પત્તિ આર્ય ખંડમાં જ થાય છે. તેથી હિંદનું સૌભાગ્ય છે કે સઘળાં તીર્થ તેમાં વસેલાં છે. દરેક ધર્મને પિતપિતાનાં તીર્થ હોય છે. – તેમ દિગંબર ધર્મનાં પણ અલગ તીર્થ છે. જેની વિગત અત્રે. અપાઈ છે. તારે તે તીર્થ. આ પવિત્ર ભૂમિમાં પવિત્ર પરમાત્માની ચરણરજ પડેલી છે તેથી યાત્રાળુના આત્માને તે પવિત્ર બનાવે છે, પ્રફુલિત કરે છે, સાધનાયોગ્ય બનાવે છે. તત્વજ્ઞાનીએ હંમેશાં રાગ, દ્વેષ, ક્ષોભ, ક્રોધ, વ્યાકુળતા આદિ દેથી છૂટવા માટે સમસ્ત ઈષ્ટ–અનિષ્ટ વિષયથી મેહ-મમતા રહિત થઈને શરીરથી, સંસારના વિષયભોગેથી સદા ઉદાસીન રહેવું. નિજ તત્વચિંતવનમાં તત્પર રહેવું. દેય, ઉપાદેય તત્વ સ્વરૂપને જાણીને અન્ય પદાર્થ રૂપ દેય એટલે કે ત્યાગવા ગ્ય તત્ત્વને આશ્રય ન કરવો. ગ્રહણ કરવા ગ્ય ઉપાદેય નિજાત્મતત્વને આશ્રય ગ્રહણ કરો. સાત તરવમાં અજીવ, આશ્રવ, બંધ દેય તત્ત્વ છે. ભવભ્રમણમાં કારણભૂત છે. જીવને સંવર, નિર્જરા તત્વ ઉપાદેય છે. પ્રબલ આત્મશક્તિ જાગૃત થતાં ગુણોને વિકાસ કરવો. કાલાન્તરમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિજાત્મતત્ત્વને અને અન્ય વસ્તુને વસ્તુ સ્વભાવે ભા, રાગદ્વેષ રહિત થઈને મોક્ષપદ મેળવો. શુભોપગથી શુદ્ધીપગમાં આવી શકાય છે. સ્વપરભેદવિજ્ઞાન કરીને “આ મારે આત્મા છે. અને આ હેય પર–પદાર્થ છે.” તે પક્ષ પણ છોડવો. નિર્વિકલ્પભાવે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવી. તે જ શુકલધ્યાન – શુદ્ધોપયોગ છે. સ્વપરભેદ્યવિજ્ઞાન શુભપગ છે. જે શુદ્ધોપયોગનું કારણ છે. આત્મા પોતે, પોતાના દ્વારા, પિતાના સ્વરૂપને, પિતાને માટે, પિતાના આત્માથી પોતાના આત્માનું, પોતાના આત્માથી ઉત્પન્ન અવિનાશી અમૃતમય આનંદપ્રદ પિતાના આત્મામાં ધ્યાન કરીને પ્રાપ્ત કરો. આ હિતકારી પ્રેરણા આત્મા એકાગ્ર ચિત્તવૃત્તિ કરીને પ્રાપ્ત કરે એમ જ્ઞાની આચાર્ય ભટ્ટાકલંકદેવ ભવ્ય જીવોને ભવરોગ દૂર કરવાને ઉપાય દર્શાવે છે. | # શાંતિ છે ભારતમાં પાંચ તીર્થક્ષેત્ર છે. (૧) કૈલાસ જ્યાંથી પ્રથમ તીર્થકર ઋષભદેવ અને તેમની સાથેના ઘણું કેવળી મેક્ષિપદ પામેલા. આ પર્વત હાલ દશ્યમાન નથી. હિમાલય સ્થિત કૈલાસ આનાથી જુદો હશે કે તે જ આ છે તે એક ગૂઢ પ્રશ્ન છે. મૂળ કૈલાસ માનવગગ્ય નથી. (૨) તીર્થરાજ સન્મેદશિખરજી –(મધુવન) – આ પર્વત અનાદિનિધન કહેવાય છે. તે શાશ્વતો પહાડ છે. જેના ઉપર અનંત આત્માઓ તપ કરી યોગ-સાધના કરી નિર્વાણ પામ્યા છે. ચોથા કાળની વર્તમાન ચોવીસીમાંથી વીસ તીર્થંકરની આ નિર્વાણ ભૂમિ છે. તેથી વિશ્વભરમાં સૌથી વધુ પવિત્રતમ ભૂમિ તરીકે તે પ્રસિદ્ધ છે જેને કણકણું પાવન છે અને પાવન કરે છે કારણકે અહીંથી અસંખ્યાત મુનિરાજે પંચમગતિને પ્રાપ્ત થયા છે. (૩) ચંપાપુરી -નાથનગર – ભાગલપુર જ્યાંથી ૧૨માં તીર્થકર વાસુપૂજ્ય સ્વધામ પધારેલા. (૪) પાવાપુરી - જ્યાંથી ૨૪મા તીર્થકર મહાવીર સ્વામી – વર્ધમાન સ્વામી મેલે પધાર્યા છે. પાવા ત્રણ છે તેથી હાલ તે અંગે વિવાદ શરૂ થયેલ છે કે સાચું પાવા કયું !!! (૫) ગિરનાર - જૂનાગઢ (સૌરાષ્ટ્ર) જે પર્વત પરથી શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ રર માં તીર્થકર ભગવાન નેમિનાથ પરમાત્માપદે પહોંચ્યા. તે ઉપરાંતના સ્થળે સિદ્ધક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે કારણકે ત્યાંથી અસંખ્ય આત્માઓ સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. તે છે – પાલિતાણું, પાવાગઢ, તારંગા, ધિક્કાવરકૂટ, બડવાની, કુંડલપુર, દ્રોણગિરિ, નનાગિરિ, સોમાગિરિ, મથુરા, હસ્તિનાપુર, અયોધ્યા, કાશી, પટણ રાજગૃહિ, ગુણવા, મંદાગિરિ, ઉદયગિરિ, માંગીતૂ ગી, ગજપંથ, મુકતાગિરી, કુંથલગીરિ, તે પછી આવે છે અતિશય ક્ષેત્ર જ્યાંથી કોઈ વિશેષ પ્રભાવનાના કે અલૌકિક ચમત્કારના પ્રસંગે બન્યા છે યા જ્યાં ભકતોની કામનાઓ પૂર્ણ બને છે તેવાં સ્થળા આ પ્રમાણે છે. :- અમીજરા પાર્શ્વનાથ વડાલી –ઋષભદેવ, મહાવીર, આબુ અનુવાદક – ક્ષ – સમતાસાગરજી-તલોદ (“સ્વરૂપ સંબોધન” ગ્રંથની ટીકાના આધારે) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy