SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ - સંદર્ભગ્રંથ ભાગ-૨ અનંત શક્તિપણું (૧) તીર્થકરને જીવ ગર્ભમાં આવે તે પહેલાં છ મહિનાથી તેમને જન્મ થાય ત્યાં સુધી દેવ તીર્થ કરની જન્મભૂમિ- સ્થળ ઉપર દિવસમાં ચાર વખત સાડા ત્રણ કરોડ રનેની વૃષ્ટિ કરે છે. આ છે જીવના પુણ્યનો મહિમા. (૨) તીર્થકર જ્યારે જન્મે છે ત્યારે દેવે આવી તેમને લાખ જન ઊંચા એવા મેરૂ પર્વત ઉપર અભિષેક કરવા લઈ જાય છે ને તેમના ઉપર આઠ યોજન પેટવાળા, એક એજનના મોઢાવાળા અને એજનની ઊંચાઈવાળા ૧૦૦૮ સુવર્ણ કળશોથી અભિષેક કરે છે. છતાં તે એક દિવસના બાળ તીર્થકરને કશું થતું નથી. આ છે તેમનું અનંત શક્તિ-બળ. (૩) ચક્રવતી બળ અંગે શાસ્ત્રકારો કહે છે કે તે કૂવા કાંઠે - સ્નાન કરતા હોય તે વખતે એક હાથે દેરડું પકડે ને બીજે છેડે તેનું આખું લશ્કર પૂર્ણ બળથી ખેંચે છતાં તેને એક તસુ પણ નમાવી શકે નહિ. તેને ૯૬૦૦૦ રાણીઓ હોય તે બધી પાસે ૯૬૦૦૦ રૂ૫ કરીને એક જ સમયે જઈ શકે છે. મૂળ શરીર તેની -પટરાણી પાસે રહે છે. આ પ્રમાણે છવમાં અનંત શક્તિ છે પણ તે મોટા ભાગે કર્મના આવરણને કારણે ઢંકાએલી પડી છે. યમનિયમ, સંયમ – તપ - અને ત્યાગનાં અનુષ્ઠાન કરી જીવ પિતે પિતાના પુરુષાર્થ વડે – ધર્મ પુરુષાર્થ વડે આ કર્મોને ખેરવે – નિર્જરા થાય તેવું કરે છે તે - જીવમાં અનંત શક્તિ છે તેનું પ્રગટીકરણ થાય છે. સૂકમ જીવ – - જંતુની રક્ષા કરવાથી પુણ્ય બંધાય છે ને તે પુણ્યના બળે કરીને -જીવમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને તેથી તે સુસંસ્કારી બને છે – - સમ્યફ દર્શન - જ્ઞાન અને ચારિત્રને ધારણ કરવાની લાયકાતવાળા - બને છે અને તે નત્રયીનું ધારણ થતાં – તેની આરાધના થતાં તે કાં તો ચક્રવતી બને છે અગર સંપૂર્ણ નિલેપ બની જાય તો – પરમાત્મા શિવ – જગદીશ - ઈશ્વર બની જાય છે. માટે જ બધા - ધર્મોમાં અહિંસાને પરમો ધર્મ : માનવામાં આવે છે. અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે વિશ્વમાં જેટલા નાના-મોટા છો - છે તે બધાની ઓળખાણ કરવી પ્રથમ જરૂરી છે. તેવી ઓળખાણ - હોય તે જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા આરાધક પિતાના અહિંસા મહાવ્રતનું સંપૂર્ણ પણે અને દઢપણે નિરતિચાર પૂર્વક -પાલન કરી શકે. આત્મવત્ સર્વ ભૂતેષુની વાત પણ અહિંસાના 'પરમસૂત્રને જીવનમાં ઉતારવા માટે જ કહેવામાં આવી છે. તેથી અહિંસા રૂપી ધર્મને ધારવા માટે જીવ અને તેના પરિવારને -પહેચાન એ સર્વનું પરમ અને પ્રથમ કર્તવ્ય છે. આંકડાઓમાં તત્ત્વજ્ઞાન ૧ આત્મા આકાશ, ધર્મ, અધર્મ, કાળ. (૨) જીવઃ સંસારી અને સિદ્ધ, ૨ જ્ઞાનઃ સુજ્ઞાન અને કુજ્ઞાન, ૨ નય: નિશ્ચયનય અને વ્યવહારનય. (૩)બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ૩ શલ્ય : માયા, મિથ્યાત્વ અને નિદાન. ૩ ગુપ્તિઃ મનની, વચનની અને કાયાની (મન, વચન, કાયા વશ કરવાં, સુરક્ષિત રાખવાં). ૩ રત્ન : સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચરિત્ર, (૪) દાન : આહારદાન, અભયદાન, ઔષધદાન, શાસ્ત્રદાન, ૪ વિકથા : સ્ત્રીકથા, ભોજનકથા, ચરકથા, રાજકથા. જ અનુગઃ પ્રથમાનુયોગ, કરણનુયેગ, ચરણનુયાગ, દ્રવ્યાનુયેગ, ૪ કષાયઃ ક્રોધ, માન, માયા, લેભ. (૫) ઈન્દ્રિયો : સ્પશન, રસના, ઘણિ; ચક્ષુ, કર્ણ. ૫ મહાવત: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ૫ સમિતિ : ઈર્યા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપણ, પ્રતિષ્ઠાપના ( ઉત્સર્ગ). ૫ અણુવ્રત: અહિંસાણુવ્રત, સત્યણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત, પરિગ્રહપરિમાણુણુવ્રત. ૫ ચારિત્રઃ સામાયિક, છેદે પસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂકમસાંપરાય, યથાખ્યાત. ૫ ભાવ: ઉપશમ, ક્ષાપશમિક, ક્ષાયિક, આદયિક, પારિણામિક. (૬) નિત્યકર્મઃ દેવપૂજા, ગુરુઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન. ૬ દ્રવ્યો : જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ, આકાશ, કાલ, ક લેસ્યા : કૃષ્ણ, નીલ, કાપત, પીત, પદ્મશુકલ. ૬ કાય ? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. ૬ કાળઃ સુખમાસુખમા, સુખમાં, સુખમાદુઃખમા, દુઃખમાસુખમાં, દુઃખમાં, દુઃખમાદુઃખમાં. (૭) વ્યસન : જુગાર રમવો, માંસ ખાવું, દારૂ પીવો, વેશ્યાગમન, શિકાર કરવો, ચોરી કરવી, પરસ્ત્રી સેવન. ૭ રસ : નમક ત્યાગ (રવિવારે), ગળપણ ત્યાગ (મંગળવારે ), ઘી ત્યાગ (બુધવારે), દૂધ ત્યાગ (ગુરુવારે), દહીં ત્યાગ (શુક્રવારે) તેલ ત્યાગ (શનિવારે), લીલોતરી ત્યાગ (સોમવારે). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy