SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ કહેવાતા ઘણા પંજાખ અને સિધમાં આવ્યા હતા અને નાથપ'થીઓ, તાંત્રિક, રસાયણવિદેાના સંપર્કમાં આવતાં હઠયાગની ક્રિયાઓ શીખ્યા હતા. એ સમય ભારતમાં ઊંચનીચના ભેદભાવ દૂર કરી માનવઐકથની જરૂર હતી. ગેારખ તથા કબીર દ્વારા આ કાર્ય થયું. બહારથી આવનારા સૂફીએ અહી આવતાં તેના પ્રેમતત્ત્વ પણ માનવ માનવ વચ્ચે એકતા સ્થાપવામાં અનુકૂળતા કરી આપી. ભારતમાં ૧૫મી સદીથી ૧૭મી સદી સુધી સગુણુ અને નિર્ગુણુના નામે ભક્તિકાવ્યની બે સમાંતર ધારાએ ચાલતી રહી. આ નિર્ગુણુધારા એ શાખામાં વિભક્ત થઈ : એક જ્ઞાનાશ્રયી શાખા અને બીજી સૂફીઓની શુદ્ધ પ્રેમમાગ શાખા, ૧૪૧ આ સૂફી સાધનામાં બુદ્ધિ કરતાં હૃદયની ભાવના વધુ મહત્ત્વની બની જાય છે. એટલે જ તેમાં પ્રેમનુ સ્થાન છે. સૂફીએ અલૌકિક પ્રેમને માને છે અને અલ્લાહને માશૂક ગણે છે. તેમની ગણતરી મુજખ ઈશ્કના બે પ્રકાર છે. ૧. ઈશ્કે મજાઝી માનવ પ્રેમ છે. ૨. ઈશ્ક હકીકી એ ઈશ્યુ મજાઝીના પડદામાં છુપાયેલેા છે. ૪ર તે સૂફીએ નિર્માણુસાધનામાં ઉત્કટ પ્રેમને દરેક માનવી માટે ઈશ્વર તરફ લઈ જનારા પ્રેમમાને સાધનાના માર્ગ મનાવવા ઇચ્છતા હતા. આ પ્રેમમાં વિરહની વ્યાકુળતા હોય છે અને એ પ્રેમ પીડાની જે વ્યંજના છે તે વિશ્વવ્યાપી બને છે, અને પ્રેમનુ સ્વરૂપ પારલૌકિક ખની જાય છે. આપણા સૂફીઓએ પ્રેમકથાએ લીધી તે હિન્દુઓમાં પ્રચલિત હતી. આથી તેમની વિચારસરણી હિન્દુએ પણ સરળ બની રહી. રીતે જોઈએ લાગ્યા. તે માટે સૂફી સાધનામાં પ્રેમતત્ત્વ છે. આથી તેમાં વાસ્તવિકતા અને પ્રેમની અનુભૂતિનું દર્શન છે. “ સાચા ભાવનાત્મક અને અગીભૂત રહસ્યવાદ આ જ છે” એમ શ્રી વિશ્વનાથ ગૌડ જણાવતાં હિન્દી કવિએ ની તુલના કરતાં લખે છે કે તેની તુલનામાં આધુનિક કવિઓના રહસ્યવાદ કાલ્પનિક અને મિથ્યા છે, કારણ કે તેની રહસ્યાનુભૂતિને આધાર કલ્પના છે, અનુભવ નહી. ૧૪૩ સૂફી પરંપરામાં કુતખન, મ’ઝન, જાયસી, ઉસમાન, શેખ નખી, કાસિમ શાૐ, નૂરમહમ્મદ વગેરે થઈ ગયા. કુતખન (સ. ૧૫૫૦ ) એ ‘ મૃગાવતી’ લખ્યુ' જેમાં રહસ્યવાદી Jain Education Intemational વિશ્વની અસ્મિતા આભાસનાં દર્શન થાય છે. મ’અનની પશુ ‘મધુમાલતી' નામની ખ'ડિત કૃતિ મળે છે જેમાં આધ્યાત્મિક પ્રેમભાવના ની વ્યંજના માટે પ્રકૃતિનાં ઘણાં દશ્યાને મ`ઝન આવરી લે છે. ઉપર્યુક્ત સૂફી સંતેમાં મલિક મહમદ જાયસી શ્રેષ્ઠ ગણાય છે. સૂફી પરપરામાં તેને પ્રતિનિધિ ગણીને આપણે તેના રહસ્યવાદને જોઈએ. જાયસીએ પેાતાના પ્રબંધ કાવ્ય ‘ પદ્માવત'ની રચના મસનવી પદ્ધતિએ કરી છે. તેમાં જાયસીનું કામળ હૃદય તથા આધ્યાત્મિક ગૂઢતા ભર્યા છે, ચિતાડ નરેશ રત્નસેન સ'હલની રાજકુમારી પદ્માવતીના પ્રેમમાં પડતાં તેને મેળવવા જોગી બની નીકળી પડે છે. અનેક મુશ્કેલીઓ બેઠતાં તેને પ્રાપ્ત કરે છે તેનુ વણુ ન તેમાં છે. ઉત્તરાર્ધમાં પદ્માવતીને મેળવવાના અલ્લાદીનના પ્રયત્ના તથા તેનાં દુ:ખાનાં પરિ ામાનું વન છે. આ કથામાં કવિના ઉદ્દેશ રત્નસેન રૂપી આત્માને પદ્માવતી રૂપી ઈશ્વરને પ્રાપ્ત કરવાના છે. આ રીતે ઈશ્વરની પ્રિયતમા અને સુંદરતા દ્વારા સાધના કરી છે. જાયસીમાં ચાત તત્ત્વ પર આધારિત રહસ્યવાદ રહેલા છે. તેમાં વ્યાકુળતા અને વિહ્વળતા છે. જાયસી રહસ્યમય સત્તાને આભાસ મસ્પેશી' સ'કેતા દ્વારા આપે છે; जेहि दिन दसन जोति निरमई । बहुतै जाति जोति ओहि भई । रविससि नखत दिपहिं ओहि जोति । रतन पदारथ मानिक मोती ॥ # * વિના મુક્ ?ણિત્તિ-રેલા મડ઼ે તર્ફે બોવ મહાઁ નારૂં રેલા पावा रूप रूप जस चाहा । ससि मुख सहु हरपन होइ रहा || नयन ना देखा कँवल भा, निरमल नीर समीर । हंसत जो देखा हँसभा दसन जाति नग हीर || १४४ (નાચતી ગ્રંથાવલી, રૃ. ૨૬) * જાયસી પ્રકૃતિની સુંદરતા દ્વારા આત્મા-પરમાત્માના સંબંધ જોડવા પ્રયત્ન કરે છે. પ્રકૃતિનાં વિવિધ રૂપો અને ક્રિયા વ્યવહારોમાં એ પરમતત્ત્વના આભાસ કરાવે છે. અહી વનરાઈના વર્ણન દ્વારા અસીમ સત્તાની આનંદમયી છાયાના જ આધ્યાત્મિક સંકેત છે. ૧૪૫ For Private & Personal Use Only घन अमराई लागु चहुपासा । उग भूमि हुत लागि अकासा ॥ * www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy