SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથ પ્રકાશનને જેમનું સ્નેહાળ સાંનિધ્ય અને સદ્ભાવ સાંપડ્યા છે ચિનુભાઈ જાણે આ યુગના માનવી જ નહીંસતયુગના કોઈ ભદ્રપુરુષ જેવા ભાસે. બિલકુલ નિખાલસ હૃદય, મુખ ઉપર ભેળપણના સ્પષ્ટ ભાવે, અને ૨ ધર્મ તરફની અણીશુદ્ધ ભાવુક્તા તેમનામાં જઈ. સંવત ૧૯૮૫ની સાલમાં (મહુડી ) મધુ પુરી મુકામે તેમનો જન્મ થયો. (માતા-પિતા) કુટુંબ સુખી હતું, ધર્મિષ્ઠ હતું, દાનેશ્વરી હતું. ચાર ભાઈઓમાં તેમને નંબર ત્રીજો હતો. બે બહેને છે, સો સોના ઘરે સૈ સુખી છે. નાનપણમાં તોફાની, અલમસ્ત શરીર અને નફકરા શરીર જેથી રમતગમતના ક્ષેત્રે તે મેખરે રહ્યા પણ દુઃખ એ વાતનું થાય છે કે પૂરુ ભણી ન શકયા. પિતાશ્રી વોરા વાડીલાલ કાળીદાસ તે સદ્દગત શ્રીમદ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના અનન્ય ભક્ત હતા, જેથી તેમને પણ સત્સંગમાં બહુ જ રસ જાગતો ગયે. જિજ્ઞાસા વધતી રહી, મંથનના આધારે “ દુનિયાને છેડો ઘર’ માની પ્રથમ ઘરને જ જગતરૂપ માન્યું. સવંત ૨૦૦૩ની સાલમાં તેમનાં લગ્ન થયાં ત્યારથી આજ સુધીમાં ચડતી પડતીના ધણુ પ્રસંગે જોયા, ઘણું અનુભવ થયાઃ આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જલ નહિ' સ્વસ્થ થઈ “જાગ્યા ત્યાંથી સવાર' એ સારાંશને સાક્ષાત્કાર કરવા પ્રથમ તે સંતે કેળ. દેવ, ગુરુ, ધર્મ ઉપર શ્રદ્ધા વધતી ગઈ. શ્રી ચિનુભાઈ વાડીલાલ વોરા સવંત ૨૦૧૮ની સાલમાં મુંબઈ આવી પાંચ વર્ષ નોકરી કરી, ત્યારબાદ સંવત ૨૦૧૬ની સાલમાં નાનાભાઈ શાંતિભાઈ સાથે ભાગીદારીમાં ધંધામાં જોડાયા. આજે ટ્રાન્સ પેટના ધંધાથી તેમની આજીવિકા ચાલે છે. વડીલેએ કુટુંબમાં ઘણાં જ સારાં ધાર્મિક કાર્યો કરેલાં તે સાંભળીને આનંદ થતા અને ગૌરવ અનુભવતા; પરંતુ ૧૯ વર્ષની ઉંમરે વડીલેએ જ્ઞાતિ તથા નેહીઓને કેસરિયાજી તીર્થને સંઘ કાઢવ્યો હતો તે ઉમદા અને પવિત્ર ભાવના ને સાધર્મિક સેવા તેમ જ મન ઉપર સારી અસર પડી. ત્યારબાદ ધર્મમાં ઓતપ્રેત બનતા ગયા. પછી શ્રી મહુડી (મધુપૂરી ) જન તીર્થ માં દેરાસર વિગેરે બંધાવવા વડીલેએ પોતાના કબજાની જમીન - ખેતર ભેટ આપ્યું ને તન મન ધનથી સેવા પણ આપી. સારાં કાર્યો કરી ગામને રોશન કર્યું. સંવત ૨૦૨૩ની સાલમાં મહુડી મહાજન સંઘે તેમને શ્રી મહુડી જન કહે. મૂર્તિપૂજક તીર્થમાં ટ્રસ્ટી તરીકે લીધા છે. પોતે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ ગ્રંથ જનાને સફળ બનાવવા તેમણે તન મન ધનથી પૂરી મદદ કરી છે. ધણુ જ ઉમદા સ્વભાવના શ્રી ચિનુભાઈ વિશાળ સ્નેહી વર્ગના સન્માનીય બની શકચા છે. Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy