________________
૮૬
વિશ્વની અસ્મિતા
જાય છે. સુખની પ્રાપ્તિનું સ્મરણ થાય છે, સર્વત્ર આનંદ દેખાય છે. પશુ-પક્ષી પ્રાણુઓ ઉલ્લાસમાં હોય છે, ધન-ધાન્યની વૃદ્ધિ થતી હોય છે. નિયતિ (કુદરત) પણ સુંદર ભાસે છે. જીવમાત્રને સારો વિચાર આવે છે. આ છે ત્રિલોકના નાથના જન્મનું પ્રમાણ ! જ્યારે યુગદિવાકર જગત ઉપર કલ્યાણ કરનારા આત્માઓનાં લક્ષણ જન્મ થતાંની સાથે જ ઉત્તમ હોય છે. પરંતુ તેમની જાણકારી જયારે તેઓ જગત ઉપર કલ્યાણ કરતા થાય છે, દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ ધર્મને ઉપદેશ આચરણે સહિત આપતા હોય છે, ત્યારે સાથે સાથે પરમપકારી કાર્યો કરતા હોય છે, ત્યારે જ આવી અધ્યાત્મજ્ઞાની સંતનો ખ્યાલ આવે છે કે, કલ્યાણ માર્ગને પંથ બતાવનાર આ મહાયોગી અવતારી પુરુષ છે. તે રીતે આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને તેમના પૂવે થઈ ગયેલા મહાન જૈનાચાર્યોની પરંપરામાં મૂકવામાં આવે તે જરીપણુ અતિશક્તિ નથી. આ યુગદ્રષ્ટા સંતે કેવળ ધર્મ-ધર્મનાં વ્યાખ્યાને કરી પિતાની જતને ઊંચી માની નથી, પરંતુ જમાનાને રુચે તેમ જ પ્રત્યક્ષ જે શુભાશુભ દેખાણું, વર્તમાન કાળમાં શું થઈ રહ્યું છે અને શું થશે, તે પોતાના અલ્પ જ્ઞાનથી જે કંઈ દેખાણું તેમાંથી પણ ધર્મને વફાદાર રહી શુદ્ધ અને ધાર્મિક જીવન જીવવા માટે ઉદ્દેશ બતાવ્યો, કર્મ
ગ જેવા મહાન ગ્રંથ લખી ધમને વફાદાર રહી જીવન જીવવા માટે પંથ બતાવ્યો, જેમાં મુખ્યત્વે મુમુક્ષુઓના ઉદ્ધાર માટે જૈન શાસન, જૈનધર્મ વિશ્વવ્યાપક બને, જેને બહાદુર અને કર્મયોગી બને, એ જ ભાવના એમની રગે રગે નીતરતી હતી. “બહાદુર બને, કાયરતા દૂર કરે'' એ એમની કાયમની હાકલ હતી.
તેમને જન્મ ગુજરાતની ભૂમિમાં વિજાપુર મુકામે વિજાપુરમાં રહેતા ખેડૂત કણબી પટેલ શિવદાસને આંગણે તેમનાં ધર્મપત્ની નામે અંબાબાઇની કુખે વિક્રમ સંવત ૧૯૩૦ના મહાવદિ ૧૪ શિવરાત્રી દિને થયા હતા. કુટુંબ શિવમાગી હતું, જેથી તે દિવસે જન્મ થવાથી કુટુંબમાં આનંદમંગળ છવાયેલ હતા. શિવદાસનું આ પાંચમું બાળક હતું જેથી પાંચમો પરમેશ્વર એમ સંબોધી કુટુંબ ખુશખુશાલ હતું. સમય થતાં આ બાળકનું નામ બહેચર પાડયું હતું. આ તે જ બહેચર પૂર્વેના કેઈ સારા કર્મબળે જ્યારથી સમજણ થયો ત્યારથી જન મિત્રોની સાથે ઊછરવા લાગ્યો. જૈનેના સંસ્કાર ગ્રહણ કર ગયે. આઠ વર્ષની ઉંમરે વિજાપુરમાં જ ગામઠી ધૂળી શાળામાં અભ્યાસ માટે આ બાળકને બેસાડ્યો. ઝાડ નીચે ઝાડની છાયામાં શિક્ષક અને શિષ્ય બેસતા. તે વખતે પાટીને ઉપયોગ પણ ઓછો હતો એટલે, ધૂળને ચાદર જેવી સરખી બનાવી તેમાં નાની ડાળની બરુ જેવી બનાવેલી કલમથી એકડો ઘૂંટવાને હતો તેમ જ બારાક્ષરી-બારખડી શીખવાની હતી. તેમની બુદ્ધિ ઘણી જ તેજ હતી. તે અનુસાર ધારણ ૬ સુધી અભ્યાસ કર્યો. શિક્ષણ માટેની તેમની તાલાવેલી એટલી હતી કે ભણતર અને ખેતીના કામમાંથી સમય બચાવીને સરસ્વતીને મંત્ર ગોખી લેતા. સરસ્વતીને સાક્ષાત્કાર કરવા માટે તેમણે મિત્રો આગળ પ્રતિજ્ઞા લીધી હતી. ગામમાં બ્રહ્મભટ્ટ શ્રી
ડાહ્યાભાઈ જૈન સરસ્વતીના ઉપાસક હતા. તેમને મળી તેમને સત્સંગ કરી તેમની પાસેથી તેમણે સરસ્વતીને મંત્ર, સાધના–વિધિ જાણી લીધી. ચૌદ વર્ષની ઉંમરે સરસ્વતીને સાધ્ય કરી લીધાં. કુટુંબ ધાર્મિક હાઈ બેચરદાસનું જીવન ધર્મમય બની ગયું હતું. પિતાને સાહિત્યને શેખ હતો જેથી નાનપણથી જ ઉત્તમ-સારાં પુસ્તક વાંચવા માટે શોખ હતો. સાથે સાથે કવિ બનવાની પણ ઉત્કંઠે હતી.
પંદર વર્ષની ઉમરે એક એવી અણધારી ઘટના બની કે તેમનું આખું જીવન બદલાઈ ગયું. એક સવારે પોતાના ઘરેથી ઢાર લઈ ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કડિયાળી ડાંગ હતી. ભજન ગાતાં ગાતાં ખલનાયક શ્રી બેચરભાઈ જઈ રહ્યા હતા ત્યાં નજીકમાંથી “અરે ! કઈ બચાવે ! ” ની બૂમ સાંભળી તે તરફ નજર કરી જોયું તો એક વીફરેલી ભેંસ તીરના વેગે દેડી રહી હતી, માર્ગમાં બે સાધુઓ પિતાની ધૂનમાં મસ્તપણે જઈ રહ્યા હતા. તે વખતે નજીક વાડમાં ખમચાયેલ એક બાઈએ તે બૂમ પાડી હતી. જે ભેંસને ન અટકાવાય તે સાધુઓની જિંદગી ભયમાં હતી તેમ બેચરભાઈને લાગવાથી એક ક્ષણુની પણ વાર ન લગાડતાં બેચરભાઈએ વિફરેલી ભેંસને લમણામાં ડાંગ ઝીંકી દીધી. પિતાના તરફ ધસી આવતાં બીજી બે-ચાર લાડકી ફટકારી દીધી. પછી સાધુને પગે લાગ્યા. સાધુએ કહ્યું : “ભોળા છોકરા ! તેં આ શું કર્યું ? ભેંસને તે ત્રણ-ચાર લાકડી જોરથી ફટકારી તો તે બિચારીને કેટલું દુઃખ થતું હશે?” ઢોરને દુઃખે દુખી થનાર માનવી આ પહેલાં બહેચરદાસે ક્યારેય જોયો ન હતા. ઢોરને પણ દુઃખ ન અપાય એવી પ્રેમવાણી સાધુ પાસેથી સાંભળી બેચરદાસ તેમના પગમાં નમી પડયો, પૂછવા લાગ્યો : “બાપજી, ક્યાં જઈ રહ્યા છે ? ” ત્યારે સાધુઓએ કહ્યું કે વિજાપૂર ગામમાં ઉપાશ્રયે જઈ રહ્યા છીએ. તે સાંભળી બહેચરભાઈ પોતાનું ધણુ-દ્રારાં બીજાને સોંપી પિતે સાથે ઉપાશ્રયે પહોંચી ગયા. બેચાર પ્રશ્નો પૂછવ્વા હતા તે પૂછી લીધા, જેને સંતોષકારક જવાબ મળવાથી બેચરદાસ આ ગુરુઓના પરમભક્ત બની ગયા. એ સાધુઓ તે જ દિવંગત પૂજય રવિસાગરજી તથા તેમના શિષ્ય સુખસાગરજી હતા. તેમના સહયોગ અને સમાગમથી લેખંડને જેમ પારસમણિને સ્પર્શ થાય તે રીતે બેચરદાસ ધીમે ધીમે ખાખી જ્ઞાની પુરુષ બનતા ગયા. ભવિષ્યમાં મહારાજશ્રી રવિસાગરજી શ્રી બેચરદાસના દીક્ષિત દાદા ગુર બન્યા. તે દરમીનમાં તે જૈન ધર્મના સંપૂર્ણ સંસ્કાર મેળવી લીધા હતા. પંચપ્રતિકમણ, જીવવિચાર, નવતત્વ, ચાર પ્રકરણને સંગીન અભ્યાસ તેમણે કરી લીધા હતા. કેટલાંક કાવ્યો પણ બનાવ્યાં હતાં. લેખ લખ્યા હતા. જૈન ધર્મનું વ્યાકરણ અને અર્થ સહિત અર્ધમાગધી ભાષાનું જ્ઞાન પચાવી લીધું હતું. સંવત ૧૯૫૧ની સાલમાં | વિજાપુર તાલુકાના આજોલ ગામે તેમને જન પાઠશાળા ભણાવવા જૈન શિક્ષક તરીકે પગારના ધેરણથી રાખ્યા હતા. તે વખતે આજેલમાં વૈદ્ય શેઠ પ્રેમચંદ વેણીચંદ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિવાળા હતા. તેઓ તથા શ્રી રતનચંદ વીજાપુર જૈન પાઠશાળામાંથી બેચરદાસ પંડિતને લઈ આવેલા. તેમને બેસવા, સૂવા વગેરેની સગવડતા ઉપાશ્રયમાં જ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org