SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લોકકલ્યાણના સમર્થક જૈન દર્શન-જ્ઞાનદિવાકર વચનસિદ્ધ મહાયોગીની અજબ સિદ્ધિ – શ્રી ચીનુભાઈ વાડીલાલ વોરા (મહુડીવાળા) ઉત્તમ કર્મોથી, પુણ્ય પ્રતાપે આત્મા જૈન દર્શનમાં જોડાય-કારણ જૈનધર્મમાં ત્યાગ સાથે સાથે જીવો અને જીવવા દ્યો, જીવમાત્રને દુઃખ ગમતું નથી, દુઃખથી અકળાઈ જાય છે. પરંતુ જૈનધર્મમાં દુઃખથી ન અકળાવું, દુઃખ-સુખ એ ગત ભવનું કર્મફળ છે ને કમને હળવાં કરવા ચિત્તપ્રસન આત્માએ સહન કરવા તેમ જ નવા કર્મો ન બાંધવા - આવું સુંદર દર્શન બતાવેલ છે. આત્મા અવિનાશી છે, ચોરાશી લાખ અવનિમાં ભ્રમણકક્ષા કરતાં કરતાં કર્મો અનુસાર ચક્કર મારી રહ્યો છે. સર્વ ધર્મને સારાંશ મેળવી, ગુરુઓ તથા પુસ્તક દ્વારા જ્ઞાન મેળવી જાણી લીધું કે સર્વે ધર્મમાં સત્ય-અહિંસા-નમ્રતાસુખની પ્રાપ્તિ માટે બતાવેલ છે, પરંતુ સુખ મેળવીને પણ ચોરાશી લાખ ઇવનિનાં ચકકરે, ફેરા મારવાનાં હોય તે, પુનઃ પુનઃ જન્મ લેવાયો હોય તે તેના કરતાં દેહ (શરીર) વિનાશી ભલે થાય, પરંતુ આત્મા સિદ્ધિ અવસ્થાને પામવો જોઈએ કે જેથી જન્મ-મરણનું દુઃખ નાશ થાય. તેને માટે જૈન દર્શન, જૈનતત્ત્વ, જૈન આચરણ મને સહેલાઈથી એક, બે કે ત્રણ ભવમાં દેહના દંડમાંથી મુક્તિ અપાવશે. આત્માને સિદ્ધ કરશે. આ પ્રકારે એમના જીવનમાં આત્માના અંતરમાં અજવાળું થયું, તેજ પ્રગટયું. તે તેજનાં કિરણો તેમને સિદ્ધગતિએ લઈ જશે તે સચેટ જૈન દર્શન-જ્ઞાનથી લાગી ગયું. જે સમ્યફ જ્ઞાનદર્શન પ્રાપ્ત થયા પછીની ક્રિયા છે, જે ક્રિયાને આધારે તેઓશ્રી આ જીવન જીવી ગયા. કયાંઈ પણું પીછેહઠ કરી નથી. તેજનાં કિરણોથી તેઓશ્રી તેમને માર્ગ આ દેહના અંતિમ સુધી કાપતા રહ્યા અને દેહ છોડયા બાદ તે તેઓશ્રી કઈ મંજિલે કેટલે દૂર પહોંચ્યા હશે તે તે જ્ઞાની-ભગવંત જાણે ! પરંતુ જૈનદર્શન પ્રમાણે પુણ્યબળે દેવલેકમાં ગયા હોય તે ત્યાં પણ ઝંખના તે આત્માને સિદ્ધપ્રાપ્તિ કરવાની. જયારે સિદ્ધ પ્રાપ્તિ આ મનુષ અવતાર સિવાય જૈન દર્શને બીજા કેઈ અવતારમાં બતાવી નથી. જેથી દેવલોકમાં ગુરુમહારાજશ્રીને આત્મા વિચરતા અને પુણ્ય ઉપાર્જિત કરતા આ મનુષ્ય લોકને સારી રીતે નિહાળી શકે છે, જેથી મનુષ્ય લેકમાં રહેતા ગુરુમહારાજશ્રીના ભક્તો ગુરુના માર્ગને અનુસરવાવાળા, તેમના જેવા થવા માટે કદાપિ ગુરુની સહાયતા ઈચ્છે તે ગુરુજી તે અપક્ષપણે રહી જાણી શકે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સ્વર્ગસ્થ પરમ પૂજ્ય અધ્યાત્મજ્ઞાન દિવાકર સ્વ–પર શાસ્ત્ર વિશારદ બાલબ્રહ્મચારી આદર્શ યુગપ્રભાવક જૈન, મહાન યોગી, કલિસાલમાં જ્ઞાની, ગીતાર્થ, આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ગુજરાતની ભૂમિમાં થઈ ગયા અને કાળધર્મ પામ્યાને કાશરે બાવન વર્ષ થયાં. તેઓશ્રીએ ૧૦ ૫ કરતાં વધુ મહાન પ્રત્યે લખ્યા છે. અનેક શાસન પ્રભાવનાનાં કામ કર્યા છે. તેમના પદેશથી અનેક જિનમંદિર, ઉપાશ્રયે, પૌષધશાળાએ, ગુરુકુળ, ડિગે, પુસ્તકાલની સ્થાપના કરી છે. ઉજમણાં, ચાંખળાં, ઉપ- મન, તીર્થસંધે, જ્ઞાનમંદિરો આદિ શાસનનાં પ્રભાવક કાર્યો થયાં મારાં માતા, પિતા, વડીલે વગેરે સમાજના જૈન મહુડી ગામના તો દ્વારા મેં ઘણી જ માહિતી ગુરુજીના જીવનચરિત્ર વિષે મેળવેલ છે. - આ કાળમાં તેમના જેવી સિદ્ધિ મેળવનાર ભાગ્યે જ કોઈ કામર્થ્યવાન થશે તે કહેતાં હું જરી પણ અચકાઈશ નહીં. તેઓશ્રી ઢારે આલમના રોગી હતા, સર્વધર્મને તેઓ આદરમાનથી જોતા તા. તેઓશ્રીને જન્મ વૈષ્ણવ કુટુંબમાં થયે હતો, પરંતુ પૂર્વ ભવનાં તીર્થકર થનાર આત્મા અવધિજ્ઞાનપણે જન્મ લે છે. તે ક્યારે જાણી શકાય કે જીવમાત્ર પણ તેમને જન્મ થાય તે ટાણે દુઃખ ભૂલી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy