________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૯૩
જેઓશ્રીના પાવન પગલે ઠેરઠેર જ્ઞાન – તપ અને ત્યાગના યજ્ઞો મંડાયા છે, જેઓશ્રીની વૈરાગ્યવાહિની વેધક વાણીની અમીવર્ષાને ઝીલીને હજારો યુવાનોએ વિલાસી અને વિકરાળ સંસારને ફગાવી દઈને સંયમના પંથે પ્રયાણ કર્યું છે તે વર્ધમાનતપાનિધિ પૂ. આચાર્ય દેવશ્રી સંસારી અવસ્થામાં સી. એ. ( C. A.) લંડન સુધીને અભ્યાસ કરવા છતાં જેઓશ્રીને આ સંસારનાં પ્રલોભને લોભાવી શકયાં નહિ...તેઓશોએ વિ. સં૧૯૯૧માં પૂ. સિદ્ધાંતમહોદધિ
સ્વ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં ભરયુવાનવચ્ચે આ સંસારને ત્યાગ કરી પોતાના લઘુબંધુ સાથે ચારમાં મુકામે ચારિત્ર સ્વીકાર્યું'.
યાદગાર બની ગયું. સં. ૧૯૯૨માં શિષ્ય સમુદાય સહિત પાલીતાણું પધાર્યા. વીરમગામ તથા સમી આદિ સંઘના આગેવાનોની આગ્રહભરી વિનંતીથી આચાર્ય પ્રવર શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીએ સં. ૧૯૯૨ના વૈશાખ સુદ અને શનિવારના પ્રાતઃ સમાયે વિશાળ માનવ સમુદાયની હાજરીમાં પન્યાસ શ્રી ભક્તિવિજયજીને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા.
ઉપરીયાલા તીર્થની તીર્થ કમિટી તથા ઘણુ ગામોના આગેવાનની ભાવનાથી તપેનધિ ગુરુદેવને અર્ધ શતાબ્દી મહોત્સવ બહુ ધામધૂમપૂર્વક ઊજવાશે. આચાર્યશ્રી તનિધિ હતા. દસચી વાપરવાનો નિયમ તીર્થ યાત્રામાં પણ તપશ્ચર્યા ચાલુ હોય અને શ્રદ્ધાળુ ભાઈ બહેનને તપશ્ચર્યામાં જોડાવાની પ્રેરણા આપતા હતા.
આચાર્યશ્રીને શંખેશ્વર તીર્થ તરફ ખૂબ ભક્તિભાવ હતા. અને પાર્થ પ્રભુના ધ્યાનમાં લીન થઈને તીર્થની શીતલ છાંયડીમાં સદાને માટે પોઢી ગયા.
વર્ધમાન તપના પ્રણિપ્રેરક, ધર્મ પ્રભાવનાના વાતક, અકયતાના રાગી, ઉપરવાળા તીર્થના ઉદ્ધારક, ઘણુય રાજ પુરુષની પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાયના પેનિધિ ગુરુદેવ હતા. એવા તે પુણ્યરાશિ બડભાગી હતા કે તેમના સમુદાયમાં ૨૧ ળિો, ૪૨ પ્રશિષ્ય અને ઘણુ સાધ્વીજીને વિશાળ સમુદાય છે.
વર્ધમાન તપોનિધિ આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
તેજસ્વી જ્ઞાનશક્તિના કારણે ગુરુકૃપાથી તેઓશ્રીએ જૈન આગમન, દાર્શનિક તથા ન્યાયશાસ્ત્રને ખૂબ જ તલસ્પર્શી અભ્યાસ કર્યો, સાથે સાથે વર્ધમાન આયંબિલ તપની ૧૦૮ એળીની આરાધના કરી.
પિતાની ત્યાગ અને વૈરાગ્ય છલકતી વાણીથી વિલાસી વાતાવરણથી ગુમરાહ બની ગયેલા હજારે નવયુવકેને તેઓશ્રીએ આધ્યાત્મિક શિબિરો દ્વારા સન્માર્ગે વાળ્યા છે. અનેક કોલેજિયન નવયુવકોને તેઓશ્રીએ આધ્યાત્મિક શિબિર દ્વારા સન્માર્ગે વાળ્યા છે. અનેક કોલેજિયન નવયુવકોને સંયમપંથે વાળ્યા છે. સુક્કલકડી કાયા હોવા છતાં વાણીમાં કોઈ અજબ જાદુ છે. પ્રવચનમાં પેટ પકડીને હસાવી શકે છે. કરુણતા લાવીને ધ્રુસકે ધ્રુસકે રડાવી પણ શકે છે. ગળામાં કોઈ અજબ ગજબની મીઠાશ છે. ભગવાનની ભક્તિમાં એકતાન થઈ જતાં તેઓશ્રીના મુખે સ્તવન સઝાય અને પૂજાની ઢાળે સાંભળવી એ એક જીવનને લહાવો છે.
,
"
t
પિતાના સ્વ. ગુરુદેવશ્રી સાથે ૩૫ વર્ષ રહીને તેઓશ્રી જે કાંઈ પામ્યા છે તે આજે ૭૦ વર્ષની બુઝવયે પણ ભવ્ય જીવોના કલ્યાણ માટે અનેક આત્માઓને આપી રહ્યા છે. સ્વ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને તેઓશ્રીને સાધુભગવંતને સંસ્કૃત – પ્રાકૃત – ન્યાય શાઅ આગમોની વાચના આપીને અનેક મુનિઓને સંયમી સાથે વિદ્વાન પણ બનાવ્યા છે. આજે તેઓશ્રીને એકસો આડત્રીસ (૧૩૮ ) જેટલા શિષ્ય-પ્રશિષ્યોને પરિવાર છે. લેખનશક્તિમાં પણ તેઓશ્રીની કલમે વિવિધ ગ્રંથનાં સર્જન થયાં છે.
તેઓશ્રીની કલમે લખાયેલ “લલિતવિસ્તાર” “ધ્યાન જીવન’ સમરાદિત્ય કેવળી ચરિત્ર, ઉચ્ચપ્રકાશના પંથે, નિશ્ચય વ્યવહાર, પરમ તેજ વગેરે પચાસેક પ્રેરક મૂલ્યવાન ગ્રંથનું સર્જન કર્યું છે. એમાંય રમતજ' નામના ગ્રંથમાં પૂજ્યશ્રીની માર્મિક અને તલસ્પર્શી જ્ઞાનપ્રતિભાનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રતીત થાય છે.
વળી છેલ્લાં ૨૯ વર્ષોથી “દિવ્યદરન' સાપ્તાહિક (૬૮ ગુલાલવાડી મુંબઈ – ૪) દ્વારા તેઓશ્રીની અનુભવ ગર્ભિત જ્ઞાનમય વૈરાગ્યરંગી અમૃતવાણીને પુણ્યલાભ હજારે વાચકોને મળો રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org