SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ–૨ પગે, ઠંડી-ગરમીની પરવા વિના જનજાગૃતિ માટે ગામેગામ જબ્બર પ્રચાર કરી હારા હૈયાંને મદ્ય-માંસને ત્યાગ કરાવતા અહિંસાની ચંદ્રિકાએ જાદુ કર્યાં. પંજાબની માતૃક્તને નવચેતના પ્રદાન કરી. સાચે જ વરલીમાં પદવીદાન સમારંભમાં તેને સર્વ ધર્મ સમન્વયીથી અલંકૃત કરવામાં આવ્યા તે સાર્થક કરી રહ્યા છે. ધનિષ્ઠ માતાજી પેાતાના પુત્રરત્નની સયમયાત્રા અને સેવાસાધનાથી ગૌરવ અનુભવે છે. ધર્મ-ક્રિયા, સાધુ-સાધ્વી સેવા-ભક્તિ, વ્રત પચ્કૃખાણુ તીમાં વૃદ્ધાવસ્થામાં આનંદથી જીવન ધન્ય બનાવી રહ્યા છે. આચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી ગરવી ગુજરાતના ઝાલાવાડ વિભાગનું ધ્રાંગધ્રા જિલ્લાનુ ધાળા ગામ એ ઉપાધ્યાયશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પીતામ્બરદાસ અને માતાનું નામ હરખખેન. વિ.સ’. ૧૯૬૮ના વૈશાખ વદ ૭ના દિવસે એમને જન્મ. નામ દેવચંદ ઉર્ફ દેવશીભાઈ, જ્ઞાતિ વિશાશ્રીમાળી, આખું કુટુંબ જૈન ધર્મ તરફની દૃઢ શ્રદ્ધાના રંગે રંગાયેલું . દેવચંદભાઈ તેમના ઘરમાં ત્રીજા નંબરના પુત્ર હતા. જેમ મેધવર્ષાથી વનરાજી વિકસે તેમ સુસંસ્કારીની વર્ષોથી, શીલ અને સસ્કારી વાર્તાઓ, ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણુથી આ તેજસ્વી બાળકનું જીવન વિકસી રહ્યું. પૂર્વી ભવના સંસ્કારો લઈને આવેલા દેવચંદભાઈ ઉંમરલાયક થતાં મળેલા માનવજીવનને સાર્થક કરવા ધરસ'સારનો ત્યાગ કરી પ્રત્રજ્યા લેવાને તેમનું મન ઝ ંખી રહ્યું. તેવામાં જ એક સુમગ ચાગ થયો. માલવાદ્વારક, શાસન ભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીને પરિચય થયો. ઉપાધ્યાયશ્રીએ દૈચંદ્રના મનને વૈરાગ્યના રંગે રંગી દીધું. સંસારની અસારતા સમજવાથી દેવચંદભાઈ વધુ ને વધુ સંયમના અનુરાગી બન્યા ને એક દિવસ છે વિઈના ત્યાગ કર્યા, છ વિગઈના ત્યાગ, આવા અધરી નિયમ લેવાય, ન ‘“ જેમની પાસેથી લીધા હાય તેમની પાસે જઈ છેડાવી આવે.'' વડીલાએ દેવચ*દભાઈને આગ્રહ કરી ઉપરોક્ત શબ્દો કહ્યા. સરળ સ્વભાવી આ યુવાનના મનમાં મથન ચાલે છે. પ્રેમ અને પવિત્રતાની મૂર્તિ સમા આગમસમ્રાટ સૂરિપુંગવ શ્રીમદ્ આગમાહારક શ્રી આનદસાગરસૂરીધરજી મહારાજ તે વખતે ખંભાતમાં બિરાજમાન હતા ત્યાં દેવચંદ્રભાઈ પહેાંચી ગયા અને ત્યાં જઈ પાષધ લીધા. અહી આવીને મૃગજળ જેવા સ’સારના પરાધીન અને ક્ષણિક સુખાને બદલે આત્મના સ્વાધીન સહુજ અને શાશ્વત આનંદને પ્રાપ્ત કરવાના એમણે નિષ્કુ'ય લીધા. પૌષધવ્રતમાં એ પુણ્ય પુરુષને પરિચય પામીને દેવચ ́દનું હૃદય કાઈ,અપૂર્વ આશ્ર્લાદ અનુભવી રહ્યું. પૂજ્ય ગુરુદેવે પણ આ તેજ સ્વી રત્નને પારખી લીધું'. પરિચય પુષ્ટ બનતાં સવત ૧૯૮૬ ના જે દિ ૧૪ ના શુભ દિને ખભાત નગરમાં ૧૯ વર્ષની યુવાન Jain Education International eve વયે સંસારના ત્યાગ કરી દીક્ષા ગ્રહણુ કરી અને ભગવાન મહાવીર પ્રભુના બતાવેલા ત્યાગમાના પથિક અન્યા. પૂજ્ય આચાર્ય દેવે પેાતાના વિદ્વાન શિષ્યરત્ન આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના શિષ્ય શાસન સુમટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના પટ્ટધર વ્યાક રણુ વિશારદ મુનિરાજશ્રી મહેાદયસાગરજીના શિષ્ય તરીકે દેવચંદ ભાઈને સ્થાપિત કર્યા અને એમનુ નામ પાડયું મુનિશ્રી દનસાગરજી. માત્ર ૧૯ વર્ષની ઉંમરે તેમણે સંસારનાં સર્વાં પ્રલાભની છેાડી શ્રમણુજીવનના સ્વીકાર કર્યાં. જીવનમાં જ્ઞાન અને સંયમની સાધનાના મહાન યજ્ઞ માંડયો. સંયમની સાધનામાં સતત જાગ્રત રહીને એક આદર્શ શ્રમણુરૂપે પેાતાનું ઘડતર કરતા રહ્યા. સંસ્કૃત, પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે ધાર્મિક અભ્યાસ વિશદ કર્યો. વિનય અને વૈયાવચ્ચ આદિ ગુણાથી સૌના પ્રેમ સંપાદન કર્યો. સાધના વિના સિદ્ધિ નથી. સિદ્ધિ વિના આત્મવિકાસ અધૂરો ગણાય, તેથી આપણા ચરિત્રનાયકે જ્ઞાનપ્રાપ્તિ માટેને પુરુષા ચાલુ રાખ્યો. તેમ જ ઉપવાસથી વર્ષીતપ, જ઼થી અને અઠ્ઠમથી ન્યૂન વર્ષીતપ અને બીજી ઉગ્ર તપશ્ચર્યા કરેલી છે. આવી કટાર તપશ્ચર્યાએ સાથે માલવા-મેવાડ જેવા વિષમ પ્રદેશામાં પૂ. ગુરુદેવશ્રી સાથે રહી પ્રતિકૂળતા પરષાને સમતા ભાવે સહન કરી વિહારા કર્યાં. તેની કડક સંયમરુચિ, વિદ્વત્તા, વિનયાદિ ગોગ્યતા જેઈ આચાર્ય દેવશ્રી ચંદ્રસાગરસૂરીધરજી મહારાજે તેમને સવત ૨૦૦૮ ના કારતક વદ ૩ ના રવિવારના દિવસે પાલીતાણા-ખુશાલ ભુવનમાં ગણિપદવી પ્રદાન કરી. તે પછી પાલીતાણામાં ગુરુ દરતી પ્રતિષ્ઠાપ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજે ઉપાધ્યાયપદ અપણુ કર્યું. તે દિવસ સં. ૨૦૨૨ મહાસુદ ૧૧ બુધવારના હતા. ઉપાધ્યાય પદ બાદ સ્વતંત્ર ચાતુર્માસ દરમ્યાન શાસનનાં પ્રભાવિક કાર્યો કર્યા, જેવાં કે ઉદ્યાપન, પ્રતિષ્ઠા, ઉપધાન, છરીપાલિત સંધ, દીક્ષા મહેાત્સવ, આદિ યાદગાર કાર્યોની હારમાળા છે. ગુજરાત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, માલવા, રાજસ્થાન વગેરે પ્રાંતામાં ગામેગામ વિચરી શાસનનાં અનેક ચિરસ્મરણીય કાર્યો કર્યા છે. ઉપદેશ વી વડે મનુષ્ય ભવની દુ ભતા સમજાતી મેાહનું વિષ ઉતારા અને તેને પ્રભુશાસનના રાગી બનાવ્યા છે. આજે પણ પૂજ્યશ્રીના શિષ્યા-પ્રશિષ્યો છે, જેઆનાં નામ આ પ્રમાણે છે. મુનિરાજશ્રી જિતેન્દ્રસાગરજી, સંગઠનપ્રેમી મુનિરાજશ્રી નિત્યેોદયસાગરજી, મુનિરાજશ્રી મહાયશસાગરજી, મુનિરાજશ્રી પુન્યપાલસાગરજી, મુનિરાજશ્રી ચંદ્રાનન સાગરજી, મુનિરાજશ્રી પ્રીતિવર્ધનસાગરજી, મુનિરાજશ્રી કીર્તિવર્ધનસાગરજી, મુનિરાજશ્રી કલ્પવનસાગરજી વગેરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy